પરમાત્માંની હાજરી કયાં છે ? * અંતરચક્ષુ ઊધડે તો અત્ર, તત્ર, સર્વત્ર. * જયાં ભોગની રુચિ નથી. * જયાં સંગ્રહ પ્રત્યે આસક્તિ નથી ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.   ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. […]

ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.

જીવ મહાન કયારે બને ? * જીવ અન્તર્મુર્ખ બની બીજા ર્થે પોતાનું જીવન જીવે છે ત્યારે મહાન બને છે. જીવ વિભાગમાં કોણ આવે ? * ઇચ્છાને આધીન બને તે.   જીવાત્માં શેનાથી બદ્ધ છે ? * આસકિતથી. * કર્મેથી. -કર્મ શોક અને મોહમાં ડુબાડે છે. * કાળથી. * વાસનાથી.

પરમાત્માં શું છે ? *  સર્વને ચેતના આપતી સત્તા. * પ્રક્રૂતિનુ અપ્રગટ અસ્તિત્વ. *પ્રક્રૂતિનું નિઃશેષણપણે શાંત થઈ જવું. * વિશ્વવ્યાપિ સત્તાનું કેન્દ્ર.

જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.

જીવાત્મા કોને કહેવાય ? * જે દેહને પોતાનું સ્વરુપ માને છે તે જીવાત્મા છે * જે કારણ અને કાર્યથી,કર્મે અને તેના ફળથી સંકળયેલો છે * પ્રક્રુતિના નિયમોથી બધ્ધ છે * શરીરની સર્વે ક્રિયાઓન પ્રેરક અને સંચાલક છે

ઓમ શું છે ? * સર્વ વેદોનો સાર. * સર્વ મંત્રોનુ બીજ. * સકળ પ્રાર્થનાઓનું સત્વ. * ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. * જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. * અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ..

આપણે શેની શોધ કરવાની છે ? * આપણી  અને પરમાત્માની. * આત્માના મુળ વતનની. શૈશવ અવસ્થામાં જે વતનનું સ્મરણ ભુંસાયું નહોતું તેની શોધ અતિ દુષ્કર તો નહીં જ હોય એમ સમજી સતત આત્મખોજની યાત્રા ચાલું રાખવાની.   આપણા વિશુદ્ર સ્વરુપને પામવાની શું જરૂરી ? * આપણે આપણા સ્વરુપને પામવું કે મેળવવું નથી; ફકત દઢનિસ્ચય જ કરવાનો રહે છે. * અખુટ મૈત્રી. * અપાર કરુણા. * સમગ્ર વિસ્વને આવરી લેતો પ્રેમ.

ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ?

ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ? * જે કાંઇ થઈ રહ્યું છે તે પરમાત્માની ઇચ્છાથી થઈ રહ્યુ છે એની સ્પષ્ટ સમજણ કેળવવી ! * પરમાત્માને આગળ રાખવા,મુખ્ય કરવા,પોતે પાછળ રહેવું. * કર્મના નિયમો અટળછે,તેમા આપણું કશું ચાલતું નથી એનો સ્વીકાર કરી લેવો. * વળગણો ઓછી કરવી. * ફેલાઈએ એટલા ફસાઈએ એ બાબત સતત દયાનમાં રાખવી. * વ્યવહાર ઓછો કરતો જવો. * કોઈના ભાગ્ય સાથે ભળ્વું નહી. * ભગવાનનું સમજી બધું કરી છુટવું. * ભગવાન સાથે સંબંધ જોડયા પછી પણ ઉપાધી રહેતી હોય તો જોડાણ કાચું છે પણ પાકું નથી તેમ સમજવું. […]

મનુષ્ય મરે છે પણ સંસ્કારો મરતા નથી એટલે શુ? * સંસ્કારો સુક્મ શરીર સાથે સંકળાયેલા છેએટલે શરીર મરવા છતાં વાસનાઓનો,વિચારોનો,કર્મોનો અને અનુભવોનો અંતઃકરણમાં જે સંગ્રણ કર્યો છે તે સુક્મ શરીર સાથે જોડાયેલા રહે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors