મનનો નિગ્રહ કોણ કરી શકે? * દરેક ક્રિયા કરતી વખતે પરિણામી દષ્ટિનો ઉપયોગ કરી શકે તે. * માંડકય ઉપનિષદની કારિકાઓના રચયિતા ગૌડપાદાચાર્યે આ પ્રશ્નનોઅદભુત ઉત્તર આપ્યો છે-દર્ભની ટોચ પર અકેક બિન્દુ ચઢાવીને સાગર ઉલેચવામાં જેવો ઉત્સાહ જોઈએઈવા ઉત્સાહથી કોઈપણ જાતનો કંટાળો લાવ્યા વિના રયત્ન કરનાર મનુષ્ય મનને નિગ્ કરે છે. * સમજણના આઠે ય અંગનો ઉપયોગ કરનાર. -વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ.મૌન,યુક્તિ,ધીરજ અને તટસ્થતા એ સમજણાના આઠ અંગ છે.

મનનો રોગ શી રીતે મટૅ? * પરિણામી દષ્ટિ કેળવવાથી. * એને દશ્યવિભાગથી અગળુ રાખવાથી. -મન પ્રકૃતિએ અસ્થિર છે. મનને ક્ષીણ કરવાથી કે પરમાત્મા સાથે અનુસંધાન કરવાથી જ શાંત થઈ શકે છે.

બે હાથ જોડીને પ્રણામ કરવાનું કારણ શુ હોઈ શકે ? * બે હાથ દ્રેત સુચવે છે ભેગા થાય ત્યારે અદ્રેતનો સંકેત સુચવે છે.અને સર્વેમાં તે અદ્રેત તત્વ જ રહેલું છે તેનું સ્મરણ કરાવે છે. * બે હાથ જોડાય ત્યારે અદ્રેત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તેનું સ્મરણ થાય છે.અથવા બે હાથ ભેગા થઈ અદ્રેતના મહિમાનો સ્વીકાર કરે છે. * દ્રેતમાં અહંની હાજરી છે બે હાથ ભેગા થઈ વ્યક્તિને કે મુર્તિને પ્રણામ કરે છે.ત્યારે અહં ઓગળવાની શરૂઆત થાય છે અથવા નમ્રતાનો પ્રારંભ થાય છે.

મનુષ્યના મનને શું ખલેલ પહોચાડે છે? * ખોટી ધારણાઓ. * પુર્વગ્રહો અને ખોટા નિર્ણયો.

સંયમિત મન કોન કહેવું? * જે મન કશામાં બંધાયેલું ન હોય,જેને કોઈ પ્રકારનું વળાગણ ન હોય,જે કશાથી ભાગતું કે નાસતું ફરતું ન હોય. * જે મન ફસાયા વિના ઇન્દ્રિયગ્રામમાં મુકતપણે અને નિર્ભયપણે વિહાર કરી શકે. * જે મન કોઈ વ્યક્તિ કે પદાર્થોમાં રોકાયા વિના મુકતપણે ફરી શકે.

ભગવતકૃપા થઈ છે એનો ખ્યાલ કેવી રીતે આવે? * ભગવાન સિવાય બીજા બધાની મહતા વિચારોમાંથી છુટી જાય. *સકળ ઇચ્છાઓ શાંત થઈ જાય. *હ્રદયમાંથી આપોઆપ ભગવતનામનું ગુંજન થયા કર. *જગત જેવું છે તેવું સ્પષ્ટ થવા માંડે. *અંદરથી આનંદનું ઝેરણું સતત વહ્યા કરે. *ઊપાધી માત્ર ટળી જાય. *વૈરાગ્યભાવ ટકી રહે. *સંસારના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ક્ષીણ થતું જાય. * સમવૃતિનો અનુભવ થાય.

મન ચંચલ કેમ છે? બર્હિમુખ છે માટે. * પ્રકૃતિનાં તમામ તત્વો પરિવર્તનશીલ હોવાથી. * તે સતત અતૂપ્તિ અથવા અભાવ અનુભવનું હોય છે એટલે.

મન કેવું છે? * ચંચળ. * કયારેક પહાડ જેવું અચળ. * વૃક્ષની જેમ ચલાયમાન. * કયારેક હવા સાથે ઊડી જાય તેવું તણખલાસમું નિર્મળ.

મનની ચંચળતાનું કારણ શું? * વાસના.તે મનુષ્યને બાહ્ય વિષયો તરફ ખેંચી જાય છે. * વિક્ષેપશક્તિ. -જે મન અને ઇન્દ્રિયોને બહિર્મુખ કરે છે.

સાચો સજજન કોને કહેવાય? * જે વર્ષાના વાદળની જેમ વર્તે તેને. -સાગરમાથી તે ખારુ જળ શોધે છે અને મીઠુ જળ વર્ષાવે છે -સારા-નરસાનો ભેદ કર્યા વિના બધે જળ વર્ષાવ્વ છે * અન્યની પીડા સમજે, તેને સહાય કરે અને છતા પોતે કાંઈ કર્યું છે એવું અભિમાન ન રાખે. * જેના વિચાર, વાણી અને વર્તન નિર્મળ હોય. * જેની દષ્ટિમાં સમાનતા હોય.રાગ-દ્વેષ ન હોય. * જે લોભ કપટ,પાપ.કામ અને ક્રોધથી મુકત હોય. * જે પોતાના દોષ અને અન્યના ગુણો જુએ તેને. * સદાચારને કેન્દ્રમા રાખી જીવન જીવે તેને. * અન્યના દુ;ખમાં ભાગ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors