કયાં કારણે આત્મા જીવભાવમાં બંધાય છે ? * સંગદિષથી. * ધૃણા અથવા દયા. * શંકા,ભય,લજજા. * નિન્દા,મારા-તારાપણાનો ભાવ. * કુળ,અહંની હાજરી. * શીલ અને * વિત્તને કારણે. આત્માવિભાગમાં કોણ આવે? * ઈચ્છા ઉપર અંકુશ મુકી શકે તે.* જે નામરૂપનો ઉપયોગ કરે,તેની પાછળ ફના ન થાય તે.

આત્મા ભણીને યાત્રા કયારે શરૂ થાય ? * મન,બુધ્ધિ,ચિત્ત અને અને અહંને પોષણ આપતા સકલ આધારો નિમૂળ થવા માડે ત્યારે. આત્માનો અનુભવ કોને કહેવાય? * જેનો કર્તાપણાનો અને ભોક્તાપણાનો  ભાવ નિર્મૂળ થઈ જાય. આત્મજ્ઞાન કોને થતું નથી ? * જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

તવ્તજ્ઞ કોને કહેવો ? * જે આત્મનિષ્ઠ હોય. * પરમ શાંતી હોય. * સદૈવ આનંદિત હોય. * સંસાર પ્રત્યે નિત્ય તૃપ્ત હોય. * મન  અને ઇન્દ્રિયોને વશ કર્યા હોય. * અયોગ્ય અને કામ્ય કર્મોથી મુકત હોય. * વિષયસુખથી અળગો થઈ ગયો હોય. ખરો તવ્તજ્ઞાની કોને કહેવો ? * જે પંચમહાભુત,પાંચ તન્માત્રા,પાચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો તેમ જ મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકારનો સજાગપણે અને વિવેકપુર્વક ઉપયોગ કરી શકે તેને તત્વજ્ઞાની કહેવો જોઈએ. * જે પોતાપણુ ખોઈ શકે તે. તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો […]

આપણને પરમ શક્તિનો અનુભવ કેમ થતો નથી ? * આપણે દેહરૂપે વર્તીએ છીએ માટે. * એ માટે શરીર ,મન અને હ્રદયને જે તપમાંથી પસાર કરવા જોઈએ તે કર્યા નથી એટલે. આ ત્રણેયની શુધ્ધિ વિના અંદરનો અરીસો કેવી રીતે ઉજજવલ બને? એટલે એ ત્રણેયને તપાવીને એમાં જે અશુધ્ધિકરણ છે તેને ગાળી નાખવું જરૂરી છે. * રાગ-દ્રેષની પ્રબળતા. * અમર્યાદિત ઇચ્છાઓ અને વાસનાઓ. * સંસારની બાબતોને અગ્રતાક્રમ.

પરમ પદની પ્રાપ્તિ કયારે થાય ? * દશ્ય વિભાગની કોડી જેટલી કિંમત થઈ જાય. * અહંકાર નામશેષ થઈ જાય. * લોભનું વિસર્જન થઈ જાય. * મોહનો ક્ષય થઈ જાય. * માયા-મમતા છૂટી જાય. પરમ શક્તિની પ્રતીતિ વધુ કયારે થાય ? * સર્જનની ક્ષણૉમાં – પરમ શક્તિની હાજરીમાં મહાન ઊર્જાશક્તિની ઉપસ્થિતિમાં સર્જન શક્ય બને છેઃ સર્જનથી ધબકતી ક્ષણૉમાં સ્વયંનું વિસર્જન કરી દેવું એજ અસામાન્ય અનુભવ છે. * સમાન સ્થિતિએ પહોચીએ ત્યારે. -આપણે સીમિત છીએ.એટલે આપણી પહોચ હોય તેટલો જ અનુભવ થાયઃચેતનાનો અનુભવ કરવો.હોય તો એની સમસ્થિતિએ પહોચીને જ શકય બનેઃવ્યાપક જ […]

આપણામાં ભગવતજયુતિનો આવિર્ભાવ કયારે થાય ? * ભગવત જયોતિ આપણાથી જુદી નથી એવું સમજાય ત્યારે * ઇન્દ્રિયો,મન,બુધ્ધિ અને અહંકાર ભગવાનના ચરણે અર્પણ કરીએ ત્યારે. * જે સાધના પથ ગ્રહણ કર્યો હોય તેમાં પુરેપુરી સંનિષ્ટા અને સમજણ પૂર્વકનું સાતત્ય જળવાય ત્યારે. ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય […]

તત્વ સાથે અનુસંધાન રહે તે માટે કઈ બાબતની જાગૃતિ રાખવા જેવી? * સંસારનું કોઈ પણા આકર્ષણ સામે આવે ત્યારે \’મારે જે જોઈએ છીએ તે આ નથી\’એવી સાવધાની રહે તો મન કયાંય ચોટવાનો પ્રશ્ન ન રહે.  

આધ્યાત્મિકતા માર્ગે જવા શું શું જરૂરી ? * નિશ્ચય. * સંપૂર્ણ નિષ્ટા. * અવિરત પુરૂષાર્થ. * અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. * સૂઝ અને જાગૃતિ. * વાસના અને ભ્રમણામાંથી મુક્તિ. * શ્રધ્ધા.

આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ? * નિર્ભયતા અને નિશ્ચયબળ અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

પરમ ગતિને કોણ પામે છે ? * ગીતાકારના શબ્દોમાં કહીએ તો -જે સંગરહિત છે. -કરવા યોગ્ય કર્મો કરે છે. -જે સ્વ ધર્મને વળગી રેહે છે. -વર્તમાનની જવાબદારી સારી રીતે પાર પાડે છે. -અનાસકતભાવે જાગ્રત રહી કર્મ કરે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors