ભગવતશક્તિ આપણને શેમાથી ઉગારે છે ?

ભગવતશક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી. * અહંકારની ભ્રમણામાથી. * મિથ્થાભિમાનની છલનામાંથી.

આપણે ભગવાનન કૃપા માગીએ છીએ તે બરાબર?

આપણે ભગવાનની કૃપા માગીએ છીએ તે બરાબર? *ખરખર તો કૃપા માગવાની વસ્તુ નથી.પણ મેળવી શકાય છે.કૃપા પુરુષાર્થથી મેળવી શકાય છે બધુ ભગવાન ન કરે.બે હાથે તાળી પડે.પિતા પણ આપણા માટે બધુ કરતો નથી.એમને જે કરવા યોગ્ય લાગે છે તે જ કરે છે આપણે કરવા જેવું હોય તે આપણા ઉપર છોડે છે * ભગવાન સંકેત કરે છે ચાલવાનું આપણે હોય છે આપણે આળસુ થઈ પડયા રહીએ અને કૃપાની માગણી કરીએ એ કેટલું બરાબર?

મુળભુત સત્તા અને સ્થુલ સત્તામાં શુ ફેર ?

મુળભુત સત્તા અને સ્થુલ સત્તામાં શુ ફેર ? * મુળભુત સત્તા કોઇની શરણાગતિ સ્વીકારતી નથી,પણ એની શરણાગતિ જગત સ્વીકારે છે. * મુળભુત સત્તા વ્યાપક એઈટલે તેમાં પક્ષપાતરહિતપણૂં એ. * મુળભુત સત્તામા હકુમત કે આગ્રહ નથી. * મુળભુત સત્તાની શરણાગતિમાં નિર્ભયતા છે. * આપણી ભુલ થાય તો મુળાભુત સત્તા આડકતરી રીતે સંકેત કરે છે. * મુળભુત સત્તા સામ,દામ,દંડ ભેદનો ઉપયોગ કરતી નથી. * મુળભુત સત્તા કોઈને આધારે નથી,અથવા તેને કોઇનું અવલંબન નથી. * સ્થુલ સતા સાધનોને આધારિત છે,ીટલે તો તે સેન્ય અને સતા વધારવા ઇચ્છે છે અને તે દિશામાં સતત પુરુષાર્થ […]

આપણે અંદરના પ્રકાશનો અનુભવ કેમ કરી શકતા નથી ?

આપણે અંદરના પ્રકાશનો અનુભવ કેમ કરી શકતા નથી ? * દેહરૂપ આવરણ ખસેડવાનો કયારેય પ્રયત્ન કરતા નથી એટલે. * તમોગુણ અને રજોગુણની પ્રબળતમ હાજરીને કારણે.

પરમ તત્વની સમીપ લઈ જતાં સાધનો કયાં?

પરમ તત્વની સમીપ લઈ જતાં સાધનો કયાં? * ક્ષણે ક્ષણેની જાગુતિ. * નામસ્મરણ.મનન.પ્રાર્થના. * સત્સંગ. * સંત-સમાગમ. * અનુભવી પુરૂષોની વાણીનો અભ્યાસ. * તત્વ પ્રત્યેની નિષ્ઠા.

આપણામાં ભગવત જયોતિનો આવિર્ભાવ કયારે થાય ?

આપણામાં ભગવત જયોતિનો આવિર્ભાવ કયારે થાય ? * ભગવત જયોત આપણાથી જુદી નથી એવું સમજાય ત્યારે * ઇન્દ્રિયો,મન,બુધ્ધિ અને અહંકાર ભગવાનના ચરણે અર્પણ કરીએ ત્યારે. * જે સાધના પથ ગ્રહણ કર્યો હોય તેમાં પુરેપુરી સંનિષ્ટા અને સમજણ પૂર્વકનું સાતત્ય જળવાય ત્યારે.

ચૈતન્યની અનુભૂતિ કયારે થાય ? * હ્રદયગ્રંથિનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમા લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.

આધ્યાત્મની દિશામાં પ્રગતિ થઈ રહી છે તેની કેવી રીતે ખબર પડે? * દ્રન્દ્રરહિત પણાનો અનુભવ થાય તો ખબર પડે. * સંસારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછુ થતું અનુભવાય. * કામ,ક્રોધ,મદ,મોહ,લોભ અને મત્સર ક્ષીણ થઈ રહ્યા છે તેની અવારનવાર પ્રતીતિ થાય. * સ્થુલથીમાંડી સૂક્ષ્મ કક્ષાના વિચારો ઓગળી રહ્યા છે નિરંતર ચિત શુધ્ધિ થઈ રહી છે,ગહન શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું સર્વ સ્થિતિમાં લાગ્યા કરે. * દ્રન્દ્રને સ્થાને નિદ્રન્દ્ર જોવા મળે,એક જ પરમ ચૈતન્ય વિલસી રહ્યુ છે એવી સમજણની હાજરી રહેવા માંડે.

મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ? મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ?

મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ? * હા. મૌનમાં મનની અપાર શાંતિ હોય તે આવશ્યક છે. મૌન એટલે શાબ્દિક મૌન નહી પણ વૈચારિક મૌન.મૌન એટલે મનની નીરવ અવસ્થા;ભાવાવસ્થા.એજ પ્રાર્થના. * મનની આવી સ્થિતિમાં પ્રાર્થના થઈ જાય છે,કરવી પડતી નથી.એમાં ચેતના સ્પંદિત થઈ ઊઠે છે અને એ સ્પંદનોનો આપણને અનુભવ થાય છે. * આપણી અંદરની ચૈતન્યશક્તિ ગુંજારવ કરે અને આપણે સાંભળીએ તે પ્રાર્થના અસરકારક જ ગણાય ને?

કર્તાપણાનું અભિમાન શા માટે ન રાખવું?

* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે. * પાંચ અંગો આ પ્રમાણે છે ૧, અધિષ્ઠાન. – જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે. ૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર. – દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors