ભારતની સાત પવિત્ર પુરી : ભારતની સાત પવિત્ર પુરી :

ભારતની સાત પવિત્ર પુરી :૧. અયોધ્યા૨. મથુરા૩. હરિદ્વાર૪. કાશી૫. કાંચી૬. અવંતિકા૭. દ્વારિકા૧. અયોધ્યાઅયોધ્યા એટલે ભગવાન શ્રી રામની જન્મભૂમિ. ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.

તખ્તેશ્વર મહાદેવ ભાવનગર

તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.

ભીમનાથ મહાદેવ ધંધુકા – તીર્થ સ્થાનો – Bhimnath mahadev, Dhandhuka, Panduputra bhim

ધંધુકા તાલુકાના ભીમનાથ ગામે પાંડુપુત્ર ભીમના હસ્તે સ્થાપિત થયેલું ભીમનાથ મહાદેવ આવ્યું છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની હાલ જગ્યા છે ત્યાં આવેલા. એવી કથા છે કે ભીમને ભૂખ લાગી હતી,પણ અર્જુનનો નિયમ હતો કે શિવલિંગનાં દર્શન કર્યા પછી જ જમવું. જંગલમાં ક્યાંય શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ રહ્યું. અર્જુને શિવલિંગનાં દર્શન કરી ભીમ સહિત પાંડવો […]

ગાંધીનગરમાં આવેલું અદ્ભુત સાંસ્કૃતિક તીર્થ અક્ષરધામ

ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને […]

ગરુડેશ્વર મહાદેવ રાજપીપળા – તીર્થ સ્થાનો

નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.

ઘેલા સોમનાથ જસદણ

દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયું એ દરમિયાન સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ ક્યાં છે તે હજુ સુધી કોઈને ખબર નથી, પણ ઈતિહાસ એવું કહે છે કે રાજકોટના જસદણથી થોડે દૂર આવેલા ઘેલા સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ છે. આજુબાજુ કોઈ ગામ નથી. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોના હૃદયમાં સોમનાથ મહાદેવ જેટલી જ શ્રદ્ધા આ ઘેલા સોમનાથ મહાદેવની છે. વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત ઉપર સુલતાન જાફર મહંમદનો ડોળો હતો. ઘેલા વાણિયાએ શિવલિંગની રક્ષા કાજે જાનની આહુતિ આપી હતી. તેથી આ શિવલિંગનું નામ સોમનાથમાંથી ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું.

ઉદવાડા – પારસી ધાર્મિક સ્થળ

પારસી તીર્થધામોમાં ઉદવાડા અને સંજાણમાં છે. વલસાડમાં પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસીઓનો પવિત્ર આતશ બહેરામ સદીઓથી અખંડ પ્રજવલિત રહ્યો છે. જરથોસ્તી-પારસી યાત્રાળુ માટે આ સૌથી પવિત્ર યાત્રાધામ છે. નવસારીમાં પણ પવિત્ર આતશ બહેરામ ઉપરાંત પાંચ પારસી અગિયારીઓ છે. ઈરાન છોડીને ભારત આવી પારસીઓ સંજાણના રાજાનો આશ્રય મેળવી રહ્યા એટલે આ સ્થળનું ધાર્મિક મહત્વ છે. સંજાણ ઉમરગામ તાલકામાં છે.

છબીલા સાગર હનુમાનજી

આશરે ૧૨૦૦૦ વર્ષ પૂર્વે પાલનપુર અને ગામના એક સ્થાને હનુમાજીની મૂર્તિ ધરતીમાંથી પ્રગટ થયાના એંધાણ પ્રાપ્ત થયા હતા. આજે પણ જે જગ્યાએથી આ વિશાળ મૂર્તિ મળી આવી હતી ત્યાં મોટો ખાડો છે. જયાં ખાડો પડી ગયેલ છે ત્યાં આજે પણ મૂર્તિ પૂજનની પૂર્ણ વિધિ કરી તેલ સિંદૂર ચઢાવાય છે. આ કારણે હનુમાનજીનું નામ છબીલા સાગર હનુમાન રાખવામાં આવ્યું છે. ચૌધરી પરિવારના માણસો બળદગાડામાં મૂર્તિ લઈને ઉત્તર ગુજરાત તરફ આવતા હતા ત્યાં દિવસ આથમી જતા જંગલમાં જ રાત્રિરોકાણ કરવું પડ્યું. પરોઢિયે બ્રહ્મ મૂહૂર્તમાં હનુમાનજીને લઈને પ્રયાણ કરતા રસ્તામાં જ બળદગાડું થંભી […]

વડોદરાનું ઐતિહાસિક ખંડેરાવ મંદિર

મહારાષ્ટ્રીયનોના કુળદેવતા શ્રીમલ્હાર મ્હાળસાંકાંત (ખંડોબા)નું મંદિર વડોદરામાં આવ્યું છે. આ મંદિર લગભગ ૨૩૦ વર્ષ જૂનું અને ઐતિહસિક છે. અહીંયા બે મંદિર છે. એક જૂનું એક નવું. વર્ષો પેહલાંની વાત છે. મહારાષ્ટ્રના જેજુરીના પર્વતોમાં બે રાક્ષસ રહેતા હતા. એમનું નામ મણિ તથા મલ હતું તે સાધુ, સંતો તથા નગરજનોને બહુ ત્રાસ આપતા હતા. નગરજનો તેમના ત્રાસથી કંટાળી શિવને આરાધે છે. શિવ પ્રસન્ન થાય છે. તેમણે બંનેનો નાશ કરવા ખંડોબાનો અવતાર ધારણ કર્યો સફેદ ઘોડા પર હાથમાં તલવાર, માથે પીળી પાઘડી, પીળી શાળ તથા પત્ની સાથે રાક્ષસોનો વધ કરવા નીકળ્યા. રસ્તો ભૂલી […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors