* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે.

મનને જીતવાના ઉપાય કયા? * મનને જીતવા કરતાં મનનો ઇન્દ્રિયો સાથે સંબંધ ન થવા દેવો અથવા મનની અવગણના કરવી. * સત્સંગ. * તૃષ્ણાનો ત્યાગ. * ભગવતચિંતન * પ્રાણનું નિયમન * સત વસ્તુઓનો સંગ કરવો.જયારે અન્ય પદાર્થોનો જરુર પુરતો ઉપયોગ કરવો.

મનને તાજગી કયારે મળે? * શાંતી,આનંદ,સંતોષ.પરહિત,ભક્તિ અને નિર્દોષ પ્રેમે જીવનને સતત ધન્ય કરતાં હોય. * નિર્મળ વિચાર-આચાર હોય. * રાગ-દ્રેષ,કામ-દક્રોધ,લોભ-મોહ જેવી વૃતિઓ શાંત પડી ગઈ હોય. * જીવનની પ્રત્યેક ક્ષણ સભર હોય.

મનની સ્થિરતા કયારે આવે? * સારું-નરસુ,શુભ અશુભ,પ્રિય- અપ્રિય એમ અનેક પ્રકારનાં દ્રન્દ્રોમાં સમતુલા સર્જાય ત્યારે.

મનની વિચિત્ર આદત કઈ છે? * વર્તમાનકાળને ચુકી જવાની. -વિચારને ભુતકાળ અને ભવિયકાળ સાથે સંબંધ છે તેટલો વર્તમાનકાળ સાથે નથી.કાર્યને વર્તમાન સાથે વિશેષ સંબંધ છે.ભુતકાળ અને ભવિયને અનુસંધિત જે કર્મ થાય છે તે ખરેખર ક્રિયા નથી ;પણ પ્રતિક્રિયા છે.સાચી ક્રિયા વર્તમાનમાં જ થાય છે કારણ કે ત્યારે વિચાર શાંત થઈ જતો હોત છે.

મનનો નિગ્રહ કોણ કરી શકે? * દરેક ક્રિયા કરતી વખતે પરિણામી દષ્ટિનો ઉપયોગ કરી શકે તે. * માંડકય ઉપનિષદની કારિકાઓના રચયિતા ગૌડપાદાચાર્યે આ પ્રશ્નનોઅદભુત ઉત્તર આપ્યો છે-દર્ભની ટોચ પર અકેક બિન્દુ ચઢાવીને સાગર ઉલેચવામાં જેવો ઉત્સાહ જોઈએઈવા ઉત્સાહથી કોઈપણ જાતનો કંટાળો લાવ્યા વિના રયત્ન કરનાર મનુષ્ય મનને નિગ્ કરે છે. * સમજણના આઠે ય અંગનો ઉપયોગ કરનાર. -વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ.મૌન,યુક્તિ,ધીરજ અને તટસ્થતા એ સમજણાના આઠ અંગ છે.

મનનો રોગ શી રીતે મટૅ? * પરિણામી દષ્ટિ કેળવવાથી. * એને દશ્યવિભાગથી અગળુ રાખવાથી. -મન પ્રકૃતિએ અસ્થિર છે. મનને ક્ષીણ કરવાથી કે પરમાત્મા સાથે અનુસંધાન કરવાથી જ શાંત થઈ શકે છે.

બે હાથ જોડીને પ્રણામ કરવાનું કારણ શુ હોઈ શકે ? * બે હાથ દ્રેત સુચવે છે ભેગા થાય ત્યારે અદ્રેતનો સંકેત સુચવે છે.અને સર્વેમાં તે અદ્રેત તત્વ જ રહેલું છે તેનું સ્મરણ કરાવે છે. * બે હાથ જોડાય ત્યારે અદ્રેત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તેનું સ્મરણ થાય છે.અથવા બે હાથ ભેગા થઈ અદ્રેતના મહિમાનો સ્વીકાર કરે છે. * દ્રેતમાં અહંની હાજરી છે બે હાથ ભેગા થઈ વ્યક્તિને કે મુર્તિને પ્રણામ કરે છે.ત્યારે અહં ઓગળવાની શરૂઆત થાય છે અથવા નમ્રતાનો પ્રારંભ થાય છે.

મનુષ્યના મનને શું ખલેલ પહોચાડે છે? * ખોટી ધારણાઓ. * પુર્વગ્રહો અને ખોટા નિર્ણયો.

સંયમિત મન કોન કહેવું? * જે મન કશામાં બંધાયેલું ન હોય,જેને કોઈ પ્રકારનું વળાગણ ન હોય,જે કશાથી ભાગતું કે નાસતું ફરતું ન હોય. * જે મન ફસાયા વિના ઇન્દ્રિયગ્રામમાં મુકતપણે અને નિર્ભયપણે વિહાર કરી શકે. * જે મન કોઈ વ્યક્તિ કે પદાર્થોમાં રોકાયા વિના મુકતપણે ફરી શકે.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors