નિર્દોષ જીવન કોણ જીવી શકે ? * જેનું મન શાંત થઈ ગયું હોય. * રાગ-દ્વેષ હટી ગયા હોય. * ચંચળતા- ચપળતા શમી ગઈ હોય. * પદાર્થો પ્રત્યેનું આકર્ષણ અને આસક્તિ છુટી ગયા હોય. * સ્વાર્થ દૂર થઈ ગયો હોય, * મારા-તારા પારકાપણાની ગણતરી ન રહી હોય. * જે નિત્ય ર્તુપ્ત હોય.

જીવનનૌકા કયારે અંતરયાત્રા શરૂ કરી શકે? * મોહ અને મમતાના અંકોડામાંથી મુકત થાય તો. * રાગ અને સ<બધોની પકડ ઢીલી થાય તો.

ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ? * આ બધી વૃતિઓ બહિમ્રુખ છે અને જીવનશક્તિને હણે છે. -આ વૃતિઓ આપણને સ્થિર રહેવા દેતી નથી.જેમ તલવાર એ કોઈપણ પરિસ્થિતિમાં તલવાર જ છે; એનો પ્રધાન ધર્મ કોઈને મારવાનો છે તેમ કામ-ક્રોધ આદિ વૃતિઓ ધીમા ઝેર જેવી છે જ;પણ સાત્વિક ગુણ ધરાવતી વ્યક્તિ તામસી પ્રવૃતિ ધરાવતી વ્યક્તિ જેમ તલવારનો ઉપયોગ નહી કરે,તેમ સંયમી પુરુષની ઇન્દ્રિયો આવી વૃતિઓને દાદ નહી આપે અને કયારેક સહેજ ચુક થશે તો તેમાંથી પાછા ફરી જવાનું શકય છે જયારે અસાવધાને આ વૃતિઓ મારવાનું કામ કરે […]

ષડરિપુઓ તરીકે ઓળખાતા કામ,ક્રોધ વગેરના પ્રભાવમાંથી બચવા શું કરવું? * \’સ્વ\’માં સ્થિર રહેવું. -અહિ \’સ્વ\’ એટલે અહેં રહિત આત્મતત્વ.

રોજબરોજના જીવનમાં શાંતી જોઈતી હોય તો શું કરવું જોઇએ ? * વ્યવસ્થિત અને નિયમિત જીવન કરી દેવું જોઈએ. * અન્યની ભાંગજડમાં ન પડવું. * ચિત્તને અંદરની ચેતના પર એકાગ્ર કરી હાથમાં લીશેલ કાર્યમાં રોકવું * ક્ષણજીવી પદાર્થોમાં સુખ ન શોધવું. * વાણી પર સંયમ રાખવો; વ્યવહારમાં ચોખ્ખા રહેવું. * આળસ કે પ્રમાદ ન સેવવા. * કલેશ તેમ કંકાસથી આધા રહેવું. * અન્યને શાંતી અને આનંદ મળે તેની સતત કાળજી રાખવી. * અન્યની અપેક્ષાઓને સમજવાની-સંતોષવાની તૈયારી રાખવી. * નિરર્થક ચિંત્તાઓ,બિનજરુરી વાતો અને ખોટા વળગણો ન કરવા.

જીવનની ધન્યતાનો કોને અનુભવ થાય? * જેણે ઇરાદાપૂર્વક કોઈનું અહિત કર્યુ નથી. * જેના હ્રદયમાં અન્ય વિશે દ્રેષભાવ જન્મયો નથી. * અન્યની નિંદામાં કે પોતાની પ્રશંસામાં જેણે રસ લીધો નથી. * જેનામાં કોઈની પાસેથી કશું લઈ લેવાનો ભાવ જન્મયો નથી. * જેણે સ્વાર્થ બુધ્ધિ વિકસવા દિધી નથી. * નક્કી કરેલા ધ્વેય ભણી જેણૅ દઢતાથી પગલાં ભર્યા છેને નિશ્ચયને ઢીલો પડવા દિધો નથી. * સમજણના આઠેય અંગો(વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ,મોન,ધીરજ,યુક્તિ અને તટસ્થતા)પરત્વ્ર જે જાગ્રત છે. * જેનું દેહાભિમાન ઓગળી ગયુ છે અને પોતે જ આત્મા છે એવો અનુભવ કર્યો છે.

જીવનમાં સંગ્રહવા જેવું શું? *સમજણપુર્વકનો વિવેક.

રૂપ પ્રત્યેના આકર્ષણથી બચવા શું કરવું? * એના ક્ષણભંગુરનો વિચાર કરવો. * રૂપના સર્જનહારનું ચિંતન કરવું;રૂપ આટલુ સારૂ હોય તો તેનો સર્જનહાર કેટલો મનમોહક હશે? એટલે રૂપ કરતા રૂપ આપનાર સ્વામીની શોધ કરવા લાગી જવું. * ચામડીની અંદર રહેલા માંસ-મજ્જા અને અસ્થિનો વિચાર કરવો. * ગુણને પ્રાધાન્ય આપવા માડવું.

જીવનને ધન્ય કરવા કયો માર્ગ ગ્રહણ કરવો? * તટસ્થ રહી જાતને ફંફોસવાનો,એટલે કે અંતર્યાત્રાનો માર્ગ. * જે માર્ગે જવાથી અજ્ઞાનનો કાટ ધસાઈ જાય અને ભક્તિ,ધર્મ,સદાચાર વગેરેથી આત્માની પ્રતીતિ થાય.

સુખી જીવનમાટૅનો ઊપાય શું? * વર્તમાનકાળ નો ઉત્તમ ઉપયોગ. * વિચાર,વાણી અને વર્તનમાં નિર્મળાતા. * નબળા વિચારો નહિ,દુઃખને વાગોળાવું નહી. * ક્રોધને હુંપદનો સંગ નહી. * પરનિંદામાં રસ નહી.લોભની દોસ્તી નહી. * સઆદુ જીવન,સંયમી જીવન.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors