ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.

જીવનવિષયક સંદ્ર્હો કયારે ટળૅ? * મન દ્રન્દ્રરહિત થાય. * મન કોઈપણ જાતના ઉપદ્રવ્યો વિનાનું થાય,નિષ્કામ અને ચંચળતા-વિહોણું થાય.શોક,મોહ અને ભયરહિત થાય ત્યારે

પરમાત્માની શક્તિ કઈ? *નિશ્ચય્. પરમાત્માની શક્તિનો કયારે અનુભ થાય? * નામરૂપને સમર્પિત થતા આવડે તો.

પરમાત્માની સત્તા એટલે શું? * પરમાત્માની સત્તા કોઈની શરણાગતિ સ્વીકારતી નથી. * એની સત્તામાં પક્ષપાતરહિતતા છે. * એ સત્તા વ્યાપક છે અને તેને કશા અવલંબનની કે શાધનની જરૂર પડતી નથી. * ત્યાં આગ્રણ નથી,હકુમત ચલાવવાનો ભાવ નથી. * આ સત્તા નિર્ભયતા આપે છે.

ભગવાન પ્રત્યે હ્રદયમાં પ્રીતિ કેમ જાગતી નથી ? *દશ્ય પ્રત્યે સત્યપણું કેળવાયુ છે તે કારણે *વિષયો પ્રત્યે ભરપુર અનુરાગ છે એટલે. *ભગવતત્વની ઓળખાણ નથી પછી પ્રીતિ કેમ જાગે?

પરમાત્માના ગુણધર્મો કયાં? *અખંડ સ્મૃતિ તેનો ગુણ છે અને સત્તા તનો ધર્મ છે પોત કોણ છે તેની સતત સ્મૃતિ રહેતી હોવાથી પ્રકૃતિના કોઈપણ વિભાગથી તેઓ આકર્ષતા નથી.સત્તાને સન્માનની અપેક્ષા નથી અને સત્તા કશા પ્રત્યે આકર્ષાતી નથી.તે આજ્ઞા કરતી નહ્તી છતાં તેની આમન્યા બધા સ્વીકારે છે.સત્તામાં ક્ષોભરહિતપણાનું પણ દર્શન થાય છે

મોહમાં કઈ ભુલ થઈ જાય છે ? * ક્ષણિકમે શાશ્વત માની લેવાની. * દુઃખને સુખમાની લેવાની.

ભગવતતત્વ સ્વયં કયાં ઉપસ્થિત થાય છે? * આપણા નિશ્ચય અને નિષ્ટામાં, ભગવાન સર્વત્ર છે એવો જેને નિશ્ચય છે તેની પાસે ભગવતતત્વ હાજર જ છે * નિષ્કામપણુ હોય ત્યાં. * ભક્તિ હોય ત્યાં.

શેની વચ્ચે એકતા થાય તો જીવન સરળ બને? * વિચાર,વાણી અને વર્તન.

જ્ઞાનીઓ પરમાત્મા માટે \’નેતિ,\’\’નેતિ\’ કહે છે,એટલે શું ? * વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથ એટલે એમ કહે છે. * એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે. * દશ્ય માત્ર રહે ત્યાં સુધી \’આ નહિ;,;આ નહી\’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને \’દશ્ય\’જેવું કાંઈ નહી રહે પછી \’નેતિ,\’\’નેતિ\’ કહેવાનું નહી રહે. * કોઈ અનુભવના રએહ્,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહેમ્પછી શું વ્યક્ત કરવાનું રહે?

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors