જીવન સુખમય છે કે દુઃખમય? * મનુષ્ય જીવનનો કઈ રીતે ઉપયોગ કરે છે તેના ઉપર આધાર છે. * વાસનાનો ક્ષય થાય પછી જીવન સુખમય્;વાસનાની હાજરીમાં જીવન દુખઃમય.

આયુષ્યના કયાં સમયે ભગવત સ્મરણ કરવું જોઈએ? * બાળપણથી મૃત્યુ સુધી ભગવતસ્મરણ થઈ શકે તો ઉત્તમ.સાચી કાળજી અને લાગણી હોય તો જ એ શક્ય બને છે. -પણ બાળપણ અણસમજમાં પુરુ થઈ જાય છે. -યુવાની વાસના અને મોહના ફંદમાં રોકાઈ જાય છે -વુધ્ધાવસ્થામાં શરીર રોગનું ધર બનતું જાય છે અથવા સંસારની ઉપાધી ધેરી લેતી હોય છે. * આયુષ્ય અનિશ્ચિત હોવાથ શ્વાસોશ્વાસમાં નામસ્મરણ વણાઈ જાય તેવી જાગૃતિ રાખવી જોઈએ.

કામ, ક્રોધ,લોભ,મોહ અને અહંકાર એ પાચ દુર્ગુણોને રોજબરોજના જીવનમાં જીતવાનો ઉપાય? * કામને જીતવા પરસ્ત્રીને માતા અથવા બહેન ગણવી. * નિર્બળની અવજ્ઞાને પોતાની અવજ્ઞા સમજી તેનું રક્ષણ કરીને ક્રોધ જીતવો. * પરાયા ધન પર દષ્ટિના કરવી અને પોતાનું ધન પરમાત્માએ આપેલું છે માની યોગ્ય સ્થાને વાપરી લોભને જીતવો. * સર્વ સુદર પદાર્થો નાશવંત છે એવી નિત્ય જાગૃતિ રાખી મોહને જીતવો. * પોતાનાથી અનેક ગણા શ્રેષ્ઠ મનુષ્ય આ જગતમાં છે એમ સમજી અહંકારને જીતવો.

પરમાત્મા કોને સહાય કરે છે ? * નિશ્ચયબળાવાળાને. * ઉધમશીલને. * સાહસિકને. * શ્રધ્ધાવાનને.

જીવનમાં સિધ્ધ કરવા જેવું શું છે? * દેહનો સાધન તરીકે ઉપયોગ કરતા શીખવું. * અહંભાવ અથવા અહંહારનું વિસર્જન. * દેહધ્યાસમાંથી મુક્તિ. * હું મન છુ,શરીર છુ એવી ભ્રમણનું નિરસન.

ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો તજી દે છે? * આ વૃતિઓને ઇન્દ્રિયો દ્રારા વિવેકપુર્વક ઉપયોગ કરવાથી ભગવાનને આગળ રાખી આ વૃતિઓનો ખપ પુરતો ઉપયોગ કરવો. * વ્યવહારમાં કયારેય ફુફાડાની જરૃર પડે છે તો ફુફાડો રાખવો પણ કરડવાની હદ સુધી ના જવું એ વિવેક છે.

ક્રોધ,લોભ, મોહ આદિ વૃતિઓને અસર જલ્દિ કેમ પડે છે? * આ બધી વૃતિઓ સંક્રમણ કે સંચાર કરનારી છે. એની આજુબાજુના પર એની અસર થયા વિના ભાગ્યે જ રહે છે . -ક્રોધી મનુષ્ય અન્ય મનુષ્યમાં ક્રોધ પેદા કરી શકે છે;મોહમાં સપડાયેલો મનુષ્ય અન્યને મોહમાં નાખી શકે છે;ટુંકમાં રોગચાળો જ ફેલાઈ છે એવું નથી;વૃતિઓ પણ ફેલાતી હોય છે અને અન્યને ફસાવતી હોય છે સામી વ્યક્તિ જગ્રત હોય તો જ બચી શકે. * આ બધી વૃતિઓને તરત સક્રિય કરીએ છીએ એટલે તેમનાથી પકડાઈએ છીએ આ વૃતિઓને ચોવીસ કલાક મુલતવી રાખીએ તો એનું જોર […]

જીવન ધડતરમાં પાયાની બાબતો કઈ? * વિચાર અને આચાર. -નિર્મળ અને બળવાન વિચાર તેમ જ નિષ્ઠાપૂર્વકનું નિષ્કામ અને અણિશુધ્ધ આચરણ અથવા પૂરેપૂરી સાવધાની સાથે કરેલું કર્મ જીવનધડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.

સર્વત્ર શ્રી હરિની ઝાંખી કયારે થાય? *દષ્ટિ મૃણ્મય મટી ચિન્મય બને તો.

પરાત્પર તત્વને કોણ પામી શકે? *શ્રુતિ કહે છે કે કોઈ ધીર્યવાન પુરુષ જ *આત્મપ્રધાન વ્યક્તિ,પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors