પોતાની જાતને રોજ શું યાદ કરાવવું જોઈએ? * હું આત્મા છુ શરીર નથી અને શરીરને આપેલુ નામ પણ નથી. * ભગવાન ! હું રાજી છુ તમે જે કરશો તે મને ગમશે.

દીર્ધ જીવન માટે મહત્વના ઉપાય કયાં ? * સાત્વિક આહાર. -દુધ,ધી,ફળ,ઉપવાસને દિવસે લેવાતો આહાર. * શુધ્ધ હવા,નિર્મળ જળ અને પરિશ્રમ. * ચિંતામાંથી નિવૃતિ. * વીર્યનું સંરક્ષણ. * સદાચાર. * પ્રસન્નતા મળૅ તેવી પ્રવૃતિમાં રસ. * પ્રાણાયામ.

જીવનમાં સંયોગ-વિયોગ આદિ દ્રન્દ્રો અનિવાર્ય છે? * સામાન્ય ઉત્તર\’હા\’માં છે.લાખો લોકો સંયોગ-વિયોગ,રાગ-દ્રેષ,સુખ-દુઃખ.હર્ષ-શોક જેવા દ્રન્દ્રોમાંથી સપડાયેલા રહે છે.ભલે કોઈ એના નિશ્ચિત કારણ પર આંગળી મુકી શકે કે ન મુકી શકે. * જયા સુધી આપણામાં તમોગુણ,રજોગુણ અને સત્વગુણ પ્રવર્તે છે,ીટલે કે ત્રણેય ગુણાની હાજરી છે ત્યાં સુધી દ્રન્દ્રોની એક અથવા બીજી રીતે હાજરી રહેવાની.જે સમભાવની સ્થિર સ્થિતિએ પહોચી ગયા છે તેમને સંયોગ-વિયોગ જેવા દ્રન્દ્રો સતાવતા નથી.

આંતરિક શક્તિ વિકસાવવા શું કરવું? * ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિચારથી અને નિશ્ચયબળથી સંયમ કરવો. * મનને જબરદસ્ત એકગ્ર કરવું.

ઉચ્ચ જીવન કોને કહેવું? * જેનાં વિચાર,વાણી અને વર્તનમાં સચ્ચાઈ,નમ્રતા,નિર્મળતા,નિષ્ઠા અને એકવાકયતા હોય. * જેમાંથી સૌ કોઈને શુભ જીવન જીવવાની પ્રરણા મળે. * જેના સમાગમ અને સહવાસથી પરમ શાંતિ અને આનંદ મળે

જીવનમાં હળવાશ કયારે અનુભવાય? * જીવનમાંક કઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે,આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.

જીવનમાં મોટામાં મોટી સિધ્ધિ કઈ? * પોતાને પોતાની ઓળખાણ થઈ જવી. * સ્થુલમાંથી સુક્ષ્મમાં પ્રવેશ અને અનણ્તનો અનુભવ. * આત્મસાક્ષાત્કાર. * નિઃસીમ પ્રેમને અખંડ વહેતો રાખવો.

જીવનને સંપુર્ણ બનાવવા શું આવશ્યક? * જ્ઞાન,ભક્તિ અને કર્મનો સમન્વય.

જીવનમાં શું ખુલ્લુ પડી જાય તો સારૂ? * કરેલા દોષો.

સરળ જીવન કોને કહેવું ? * જે હૈયે હોય તે હોઠે આવે અથવા જેનું ચિત નિર્મળ હોય અને હલનચલન નિષ્પાપ હોય. * વિચાર અને વર્તન વચ્ચે ઓછામાંઓછુ અંતર હોય. * વ્યવહાર આંટીધુંટી વિનાનો હોય અને હ્રદયમાં સચ્ચાઈ હોય.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors