જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? * જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ  જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . * પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. * કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. * જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો અહંકાર નામશેષ થયો હોય. * જેણે તત્વની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય. * જે તમોગુણ,રજોગુણ અને સત્વગુણનો પોતાની રીતે ઉપયોગ કરી શકતો હોય અને જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાનો સાક્ષી રહી શકતો હોય.

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.

જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?

જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ? * બાંધેલી માન્યતઓ છૉડી દેવાય તો. * કામ,ક્રોધ અને મોહનું આવરણ હટે તો. * ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો. * ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો. * અનુભવી વ્યક્તિનો સંગ મળે તો. * પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..

લોભ કયારે ધાતક બને છે ?

લોભ કયારે ધાતક બને છે ? * અતિ પરિગ્રહથી. *પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે. * લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે. * લોભને અતિરેક થઈ જાય ત્યારે.

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ?

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ? * અનુભવીઓનું જ્ઞાન. * સંતના શબ્દોમાં કહીએ – કબીર કુવા એક હૈ,પનિહારી અનેક ભિન્ન ભિન્ન સબ ધટ ભયે ,પાની સબમેં એક. -એની પ્રતીતિ થઈ જાય તો સર્વવ્યાપી ચૈતન્યથી આત્મા ભિન્ન નથી તેવો અનુભવ થાય. * દ્રન્દ્રતીત અને ત્રિગુણાતીત સ્થિતિનું જ્ઞાન.

ચૈતન્યની અનિભુતિ કયારે થાય ?

ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.

અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ?

અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય?

જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય? * સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય. * હિંમત અને આત્મવિશ્વાસ જન્મે. * અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો. * રાગ-દ્રેષ સમી જાય છે. * વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય. * સ્વીકારનો ભાવ જળવાઈ રહે. * વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય. * […]

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા?

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા? *અનુભવીનો સંગ કરવો. * પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે (૧) આત્મસ્મરણનો ઃ -પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ અથવા -સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ ૨) આત્મવિસ્મરણનોઃ -ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors