શિંગોડા જેને હિંદી ભાષામાં સિંઘાડ઼ા અને સંસ્કૃત ભાષામાં શ્રૃંગાટક કહેવામાં આવે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડુબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. આ ફળના શીર્ષના ભાગ પર શિંગડાની જેમ બે કાંટા હોય છે, જેના કારણે તેને શિંગોડા કહેવામાં આવે છે. ચીની ખોરાક માટે આ ફળ એક અભિન્ન અંગ ગણાય છે. આ ફળને છોલીને તેના ગરને સુકવી અને ત્યારબાદ દળીને લોટ બનાવવામાં આવે છે. આ લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું ભારત દેશમાં લોકો […]
આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ […]
સંતરા વિટામીન એ, બી, સી અને કેલ્શિયમથી સમૃધ્ધ ફળ છે. આની અંદર સોડિયમ, પોટેશિયમ, મૈગ્નેશિયમ, કોપર, સલ્ફર અને લોરીન જેવા તત્વો મળી રહે છે. લીંબુના વંશના ફળ સંતરા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. સંતરાના ઉપર રેસા હોય છે જે છાલ દ્વારા ઢાંકેલા રહે છે તેની અંદર સૌથી વધારે કેલ્શિયમ હોય છે. તેથી સંતરાનું તેના રેસાની સાથે જ સેવન કરવું વધારે ઉપયોગી રહે છે. સંતરાની અંદર પાણીની માત્રા ૮૭ ટકા, શર્કરા ૧૧ ટકા, તેમજ વસા અને પ્રોટીન પણ હોય છે. આનાથી વધારે સંતરામાં સોડિયમ, લૌહ, તામ્બુ, ફોસ્ફરસ, મૈગ્નેશીયમ, પોટેશિયમ, સલ્ફર તેમજ […]
સોજા, મારચોટની ઔષધિ – આવળ પરિચય : સૌરાષ્ટ્ર – ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં વન-વગડામાં, રસ્તાની પડખે કે પડતર જમીનમાં આવક (આવર્તકી, ખખસા) નાં નાનાં છોડ વ્યાપક પણે જોવા મળે છે. છોડ ૩ થી ૬ ફુટ ઊંચા, અનેક ડાળીવાળા, આમલીનાં પાન જેવા દરેક સળી ઉપર ૮ થી ૧૨ સંયુક્ત પાન, ફૂલ પીળા રંગનાં, નાનાં અને ગુચ્છામાં થાય છે. તેની ઉપર લાંબી, ચપટી, તપખીરી રંગની શીંગ થાય છે. જેની અંદર ગોળ-ચપટાં ૧૦-૧૨ બીજ થાય છે. આવળની છાલ કપડાં તથા ચામડા રંગવા ખાસ વપરાય છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ અને પંચાંગ […]
આકાશમાં દુર દુર લખો તારઓ દેખાય પણ ચોતરેફ તો અંધકાર જ છવાયેલો દેખાય હોય છે.કરોડો તારા ઓનો પ્રકાશ કયાં જતો હશે? તમે જાણો છો કે પ્રકાશના કિરણો પોતે અદ્રશ્ય હોય છે અને શુન્ય અવકાશમાં દેખાતા નથીસુર્યના કિરણો પૃથ્વીની આસપાસના વાતાવરણમાં પ્રવેશે પછી જ આપણને પ્રકાશ તરીકે જોવા મળૅ છે.હકીકતમાં સુર્યના કોઈ કિરણો કોઈ વસ્તુ પર પડીને પરાવર્તન પામે ત્યારે જ તેની હાજરી દેખાય છે.બ્રહ્માડમાં ચોતરેફ શુન્યાવકાશ છે.ત્યાં કશુ જ નથી,એટલે પ્રકાશના કિરણો પરાવર્તન પામતા નથી અને પ્રકાશ થતો નથી એટલે બ્રહ્માડ કાળું ડિબાંગ હોય છે.
ભગવાન શ્રી દ્વારકાધીશ ની રાજધાની દ્વારકા ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્વે રસ્તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે. સૌરાષ્ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ […]
શરીરમાં જરૂરી પાણીની માત્રાને સંભાળી રાખવામાં કાકડી ખુબ જ સહાયક છે. ગરમીમાં આનું સેવન ખુબ જ લાભદાયક છે. (૧) મુત્રમાર્ગની પથરી, પેશાબમાં શર્કરા અને કષ્ટ સાથે ટીપે ટીપે પેશાબ થતો હોય તો કાકડીના બીનું ૩-૪ ગ્રામ ચુર્ણ ૧ કપ દ્રાક્ષના રસ સાથે લેવાથી મટે છે. (૨) કાકડી મુત્રલ છે. પેશાબ બંધ થઈ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચુર્ણ, પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખુબ હલાવી કપડાથી ગાળી સવાર, બપોર, સાંજ પીવાથી […]
મૂત્રમાર્ગની પથરી બલ્ય વનસ્પતિથી મટ્યા પછી ફરી થતી નથી હાલમાં પથરી અને કીડનીના દર્દીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પથરીને કારણે હાઈબ્લડપ્રેસર અને બીજા ઉપદ્રવો પણ રહે છે. પથરીની સમયસર ચિકિત્સા ન કરવામાં આવે તો કીડનીને લગતા કેટલાક રોગો પણ થાય છે. કોઇ વખત એકાદ વખત ઓપરેશન કરાવી કઢાવી નાખ્યા પછી પણ ફરી પથરી થાય છે અને દર્દી હૃદયદ્રાવક પીડામાંથી પસાર થાય છે. કીડનીમાંથી ઓપરેશન કરી પથરી કઢાવવી સામાન્ય બાબત નથી. એટલે દર્દી બીજી ચિકિત્સા પઘ્ધતિઓ તરફ વળે છે. આવા કંટાળેલા દર્દી અને એક્સરે વગેરેમાં ન પકડાતી ક્ષારની રેતી કે […]
બાળકના જન્મની સાથે જ માતા – પિતાએ તેના માટે હંમેશાં પૂરતો સમય ફાળવવો જોઇએ. તેના વિકાસ માટે અત્યંત જરૂરી એવું વાતાવરણ રચવું જરૂરી છે. તેમાં સમય અને માનસિક સમતુલા બન્નેની આવશ્યતા છે. પરિસ્થિતિને સમજીને બાળકની દરેક હિલચાલ, ચેષ્ટાઓ, પસંદગી-નાપસંદગી, વિધાનો વગેરે ઉપર ધ્યાન આપવું જોઇએ. બાળકને ઉછેરતાં ઉછેરતાં આપણે પણ ઘણું બધું શીખતાં જઇએ છીએ. સવારનો અને રાત્રિનો સમય ખાસ બાળકો માટે ફાજલ રાખવો જોઇએ. તેમને આપણી સાથે રમવા અને વાતો કરવા પ્રેરીએ. તેમના સમયમાં માત્ર તેમની સાથે જ રમીએ, વાતો કરીએ, પ્રવૃતિ કરીએ. બાળકોને પણ આપણા પ્રત્યે પ્રેમ, આદર […]
સામગ્રી : ૨ કાકડી (મધ્યમ આકારની), ૧ નાની સાકરટેટી, ૧ કાચી કેરી, ૧ ૧/૨ મોટી ચમચી આખો ગરમ મસાલો. (લવિંગ, તજ, મરી, એલચો) ૧/૨ કપ પાણી, ૧ કપ ખાંડ, ૨ નાની ચમચી સંચળ, ૩/૪ કપ સરકો. રીત : કાકડી, સાકરટેટી અને કાચી કેરીની છાલ ઉતારીને જુદા જુદા આકારના ટુકડા કરો. ખાંડ, પાણી, સરકો, મિક્સ કરીને એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો. તેમાં આખા ગરમ મસાલા નાખી ધીમા તાપે ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી મીઠું અને બધા ટુકડા નાખી મિશ્રણને બરાબર હલાવી ૧૦ મિનિટ ઢાકીને આંચ ઉપર રહેવા દો. પછી […]