અમ્રુત ફળ પાકી કેરી પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે. પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે. પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે. પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે. કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. […]
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || મૈં તો મેરે નારાયણ કી આપહિ હો ગઇ દાસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || લોગ કહૈ મીરા ભઇ બાવરી ન્યાત કહૈ કુલનાસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || બિષ કા પ્યાલા રાણાજી ભેજ્યા પીવત મીરા હાઁસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || મીરા કે પ્રભુ ગિરધર નાગર સહજ મિલે અબિનાસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
હે રી મૈં તો પ્રેમ-દિવાની મેરો દરદ ન જાણૈ કોય | ઘાયલ કી ગતિ ઘાયલ જાણૈ જો કોઈ ઘાયલ હોય | જૌહરિ કી ગતિ જૌહરી જાણૈ કી જિન જૌહર હોય | સૂલી ઊપર સેજ હમારી સોવણ કિસ બિધ હોય | ગગન મંડલ પર સેજ પિયા કી કિસ બિધ મિલણા હોય | દરદ કી મારી બન-બન ડોલૂં બૈદ મિલ્યા નહિં કોય | મીરા કી પ્રભુ પીર મિટેગી જદ બૈદ સાંવરિયા હોય |
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી આનંદ ઉપજ્યો અપાર રે આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે સાધી સાહેબ સાથે તાર રે… સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને ચારે વાણીથી એ પાર જી સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં હરદમ ભજનમાં હોંશિયાર જી વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને મોહની મટી ગઈ તાણાવાણ જી ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ સાચા સાધુની ઓળખાણ […]
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત અમરીયા બની જે નિતનિત ખેલે રે મરવું તો આળપંપાળ જી ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત. જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને લાભ ને હાનિ મટી જાય જી, આશા ને તૃષ્ણા […]
અકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો સફેદ વાળ થવાના પ્રમુખ કારણ- જુની શરદી વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ અસંતુલિત ભોજન માનસિક તણાવ અને ચિંતા જળ તેમજ વાયુ પ્રદૂષણ વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે આનુવંશિકતા તીવ્ર માંસિક ઝાટકા પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા વાળની સરખી રીતે સફાઈ ન કરવી વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપાય આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક સુધી રહેવા દો. કઢી પત્તાનું સેવન પણ વાળને સફેદ થવાથી […]
તન-મનને તરબતર કરતાં તરબૂચ ઉનાળુ ફળ તરબૂચ – ટેટી નદીના રેતાળ પ્રદેશમાં વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળો છે. ધોમધખતા તાપમાં તન-મનને આ બંને ફળો તરબતર કરે છે. બંને ફળો સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહજ ચીકાશયુક્ત, પેટ સાફ લાવનાર, પિત્તશામક, વાત-કફકર છે. વળી તેઓ મૂત્રલ હોઈ પેશાબ સાફ લાવે છે. સાકર ટેટી સાકર જેવી મીઠી લાગે છે. તે ખરજવા માટે ખૂબ લાભ કર છે. ખરજવાના રોગીએ તેનું નિત્ય સેવન કરવું જોઈએ. બંને ફળો મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે. પેશાબની બળતરા અને […]
શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા ફણસ સૌથી મોટું ફળ. ફાલસા ચણીબોર જેવડા નાનાં ગોળ. ફણસ સ્વાદે મધુર, સહેજ તૂરાશ પડતું હોય છે. તે તાસીરે ઠંડું, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાતકર, કફકર, પિત્તશામક, મંદાગ્નિ કરનાર, મેદવર્ધક અને દાહશામક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, હ્રદ્ય, ભ્રમહર, વિષધ્ન, માંસવર્ધક, ક્ષય, ક્ષત, વ્રણનાશ વગેરેમાં સારું છે. ફાલસા ખટમીઠા, ઠંડા, હલકાં, લૂખા, અગ્નિવર્ધક, મળને રોકનાર, વાત-કફનાશક અને પિત્તકર છે. તે પ્રમેહ, તાવ, આમવાત, ક્ષય વગેરેમાં સારા છે. ફાલસાનું શરબત બળતરા, પિત્તવિકાર, તરસ, થાક વગેરે મટાડે છે. ફાલસાના મૂળનો લેપ ડૂંટીથી પેડું વચ્ચે કરવાથી ગર્ભપાત […]
જાણો ‘કફ પ્રકૃતિ’ વાળી વ્યક્તિઓ કેવી હોય ? આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણે પ્રકૃતિવાળી વ્યક્તિઓમાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓને ઉત્તમ કહેવાય છે, કારણ કે ‘કફ પ્રકૃતિ’ વાળા મનુષ્યો બળવાન, ધનવાન, વિદ્યાવાન, ઓજસ્વી, શાંત, ઉદાર, માયાળુ અને દીર્ઘ આયુષ્યવાળા હોય છે. કફ પ્રકૃતિવાળા મનુષ્યોના શરીરની સંધિઓ એટલે સાંધાઓ, અસ્થિઓ, માંસ અને સ્નાયુઓ દ્દઢ, સ્નિગ્ધ, પુષ્ટ અને શ્લિષ્ટ હોય છે. તેઓનો વર્ણ થોડો શ્યામ પિત્તાભ હોય છે? તથા ત્વચા મૃદુ, ચળકતી અને સ્નિગ્ધ હોય છે. કેશ ઘન અને કાળા તથા રોમ કોમળ, પિત્તાભ અને દીર્ઘ હોય છે. બાહુઓ પુષ્ટ અને દીર્ઘ […]
પાચનતંત્ર માટે ઉપયોગી – સોપારી મોટી અને વજનદાર સોપારી ગુણમાં ઉત્તમ છે. સડેલી, ખોરી, પોચી, ફોફી, હલકી, નાની સોપારી ખાવી નહિ. સોપારી સ્વાદે તૂરાશ પડતી મીઠી છે. તાસીરે તે ઠંડી છે, પચવામાં ભારે, અગ્નિદીપક, આહારપાચક, મળશોધક, વાતકર અને કફ- પિત્તનાશક છે. તે અવાજ અને પાચનતંત્ર માટે ઉપયોગી તથા પથ્ય છે. સોપારીનો વધુ ઉપયોગ સારો નહિ. તે લોહીનું પાણી કરી નાખે છે અને શરીરે સોજા ઉત્પન્ન કરે છે. સોપારી ખાનારે ઘીનું અધિક સેવન કરવું જોઈએ. માથાના દુઃખાવામાં સોપારી ઘસીને માથે ચોપડવી. સોપારીને બાળી તેની રાખ કરી ઊલટીમાં આપવાથી ઊલટી બંધ થાય […]