વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્ત ખોરાક સૌથી મહત્વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્તી મહેસૂસ કરવા તથા સ્વસ્થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્સ અનુસરો. (૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્ચે વચ્ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે. (૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો […]
તવ્તજ્ઞ કોને કહેવો ? * જે આત્મનિષ્ઠ હોય. * પરમ શાંતી હોય. * સદૈવ આનંદિત હોય. * સંસાર પ્રત્યે નિત્ય તૃપ્ત હોય. * મન અને ઇન્દ્રિયોને વશ કર્યા હોય. * અયોગ્ય અને કામ્ય કર્મોથી મુકત હોય. * વિષયસુખથી અળગો થઈ ગયો હોય. ખરો તવ્તજ્ઞાની કોને કહેવો ? * જે પંચમહાભુત,પાંચ તન્માત્રા,પાચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો તેમ જ મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકારનો સજાગપણે અને વિવેકપુર્વક ઉપયોગ કરી શકે તેને તત્વજ્ઞાની કહેવો જોઈએ. * જે પોતાપણુ ખોઈ શકે તે. તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો […]
સામગ્રી : ૧ લિટર દૂધ, ૩ ટે.સ્પૂન ખમણેલું કોપરું, ૨ ટી.સ્પૂન પલાળીને વાટેલા બાસમતી ચોખાનો પલ્પ, ૧ ટે. સ્પૂન પનીર, ૧ ટી. સ્પૂન કાજુનો ભૂકો, ૧૫૦ ગ્રામ ખાંડ, ૦।। ટી. સ્પૂન ઇલાયચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો. રીત : દૂધને ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે ચોખાની પેસ્ટ તેમાં ભેળવી દેવી.દૂધ જરા જાડું થાય એટલે ખાંડ નાંખી સતત હલાવતા રહી દૂધને ઊકળવા દેવું.ત્યાર બાદ કોપરાનું છીણ તથા કાજુનો ભૂકો ઉમેરવા.બરાબર ઊકળી દૂધપાક તૈયાર થાય એટલે નીચે ઉતારી પનીર, ઇલાયચી, જાયફળ નાંખવા. ધીરે ધીરે હલાવી બધું મિકસ કરી ફ્રિજમાં ઠંડો કરવો. (કોપરાનું […]
આપણને પરમ શક્તિનો અનુભવ કેમ થતો નથી ? * આપણે દેહરૂપે વર્તીએ છીએ માટે. * એ માટે શરીર ,મન અને હ્રદયને જે તપમાંથી પસાર કરવા જોઈએ તે કર્યા નથી એટલે. આ ત્રણેયની શુધ્ધિ વિના અંદરનો અરીસો કેવી રીતે ઉજજવલ બને? એટલે એ ત્રણેયને તપાવીને એમાં જે અશુધ્ધિકરણ છે તેને ગાળી નાખવું જરૂરી છે. * રાગ-દ્રેષની પ્રબળતા. * અમર્યાદિત ઇચ્છાઓ અને વાસનાઓ. * સંસારની બાબતોને અગ્રતાક્રમ.
પરમ પદની પ્રાપ્તિ કયારે થાય ? * દશ્ય વિભાગની કોડી જેટલી કિંમત થઈ જાય. * અહંકાર નામશેષ થઈ જાય. * લોભનું વિસર્જન થઈ જાય. * મોહનો ક્ષય થઈ જાય. * માયા-મમતા છૂટી જાય. પરમ શક્તિની પ્રતીતિ વધુ કયારે થાય ? * સર્જનની ક્ષણૉમાં – પરમ શક્તિની હાજરીમાં મહાન ઊર્જાશક્તિની ઉપસ્થિતિમાં સર્જન શક્ય બને છેઃ સર્જનથી ધબકતી ક્ષણૉમાં સ્વયંનું વિસર્જન કરી દેવું એજ અસામાન્ય અનુભવ છે. * સમાન સ્થિતિએ પહોચીએ ત્યારે. -આપણે સીમિત છીએ.એટલે આપણી પહોચ હોય તેટલો જ અનુભવ થાયઃચેતનાનો અનુભવ કરવો.હોય તો એની સમસ્થિતિએ પહોચીને જ શકય બનેઃવ્યાપક જ […]
પરમ શક્તિનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ? * વ્યાપક રૂપે વર્તવાનો પ્રયાસ કરવો. * જીવનનો યથાતથ અનુભવ કરવો.ચૈતન્ય જીવન રૂપે જ પ્રગટ થાય છેઃ જીવનની હાજરી એટલે જ ચૈતન્ય્ની હાજરી: જીવનના અભાવ પરમ શક્તિનો અનુભવ શક્ય નથી. * હ્રદયમાં પરમાત્મા સિવાયનું જે કાંઈ ભર્યુ હોય તેને ખાલી કરી નાખવું. * પરમાત્માની હાજરી છે એમ સમજીને સર્વ કર્મ કરવાં અને કર્મનું ફળ તેમને સમર્પિત કરવું. * પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. * રાગ-દ્રેષથી અળગા રહેવું. * રજોગુણ અને તમોગુણનો સંગ ન કરતાં સત્વગુણમાં સ્થિર થવું. * અન્તર્મુખ થઈ અંદરના જગત પર […]
સામગ્રી : ૧ કપ ચોખાનો લોટ, ૧/૨ કપ મગફળીનો પાઉડર, ૧/૨ કપ ચણાનો શેકેલો લોટ, ૧/૨ ચમચી તજનો પાઉડર, ૪-૫ સમારેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચો ઘી, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચો સમારેલી કોથમરી, તળવા માટે પ્રમાણસર તેલ. રીત : ચોખાનો લોટ, મગફળીનો પાઉડર તથા ચણાનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, લીલાં મરચાં, કોથમીર, તજનો પાઉડર તથા ઘી નાખી કઠણ લોટ બાંધો. અડધા કલાક સુધી લોટને રહેવા દઈ તેને ફરીવાર ગૂંદો. લોટ નરમ લાગે, ત્યારે તેના નાના નાના લૂઆ બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરો તથા બધા લૂઆની નાની નાની પૂરીઓ […]
સામગ્રીઃ- ૨૫૦ ગ્રામ છડેલી બાજરી, ૧ થી દોઢ લિટર દૂધ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૨ચમચા બદામની કતરણ, ૧ ચમચો ચારોળી, ૧ ટી સ્પૂન ઈલાયચી પાઉડર રીતઃ- છડેલા બાજરામાં અર્ધા ભાગનું દૂધ નાખીને કુકરમાં બાફવી. પછી જરૂર પ્રમાણે એક વાસણ લઈ એમાં બાફેલો બાજરો નાખી, વધેલું દૂધ રેડી ગેસ પર મૂકી હલાવ્યા કરવું. જયારે દૂધ એકદમ ઘટ્ટ બને અને લચકા જેવું થઈ જાય એટલે એમાં ખાંડ નાખી હલાવવું(ખાંડ ઓછી લાગે તો વધારે નાખવી) ખાંડનું પાણી બળી જાય અને એમ લાગે કે ઘટ્ટ થયું છે એટલે એમાં ઈલાયચી પાઉડર નાખી ૨ ચમચો બદામની […]
સામગ્રી : બેસન : ૨૫૦ ગ્રામ, કાજુ : ૬, દહીં : ૨૫૦ ગ્રામ, ધાણાજીરું : ૨ ચમચી, લીલું મરચું : ૧ ચમચો, જીરું : ૧ ચમચી, મીઠું : પ્રમાણસર, માવો : ૨૫૦ ગ્રામ, કિસમિસ : ૧૦, લાલ મરચાં : ૪ ચમચી, હળદર : ૧ ચમચી, હીંગ : ૧/૨ ચમચી,ઘી, કોથમીર. રીત : બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક […]
સામગ્રીઃ ૫૦૦ગ્રા. પરવળ, ૨ ચમચી ચણાનોલોટ, આદું, હિંગ, મરચું જીરું, હળદર, મીઠું. રીતઃ પરવળને છોલીને લાંબા સમારો.એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-જીરું-હિંગનો વધાર કરી, પરવળના કટકા વઘારી દઈ, પાણી, મીઠું, મરચું નાખી ચડવા દો.ચઢી જાય એટલે હળદર અને તેલ ભેળવેલો ચણાનો લોટ છાંટી ધીમા તાપે ઢાંકી રાખો.ચણાનો લોટ સીઝે નહિ ત્યાં સુધી ધીમા તાપે હલાવ્યા કરો. બધું બરાબર થઈ જાય એટલે નીચે ઉતારી લઈ પીરસો. પોષકતાઃ આમાં ૫૦૦ કેલરી છે. પરવળમાં જીવનક્રિયા માટે આવશ્યક કોષોથી તે સમૃધ્ધ હોઈ, વ્યકિતને આવશ્યક બધાં પોષક- દ્રવ્યો પરાં પાડે છે.