વેરભાવ ઉત્પન્ન થતા શું થાય ? * માનસિક તનાવ વધ્યા કરે. * શાંતિ નષ્ટ થઈ જાય. * ઊંધ હરામ થઈ જાય. * ભોજન ઉપરની પ્રીતિ ઊઠી જાય.
શ્રેષ્ટ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.
કઈ સમજણ બોજારુપ બને છે ? * જે સમજણ સાથે ક્રિયાઆચરણ ન જોડાયેલા હોય તે સમજણ બોજારુપ બની જાય.
અસુર કોને કહેવાય? * સ્વાર્થીને. * દુષ્ક્રુત્ય કરનાર. * ભય ઉપજાવનાર. * અપરાધ કરનાર.
ચરિત્ર ધડતરમાં પાયાની બાબત કઈ ? * નિષ્ટા.
મોટામાં મોટો ગુરૂ કોણ? * વિવેક.
વિશ્વ શું છે? *ભગવત્શક્તિની નિરંતર રમણા
શાશ્વત ધર્મ કયો ? * સ્વધર્મ. * અન્ પ્રાણીઓના દુઃખથી દુઃખી થવું. * અન્યના આનંદમાં આનંદ માણાવો. * પોતે પોતાને ઓળખેતે. * વ્યક્તિના વિકાસને વેગ આપનાર શક્તિ,નિયમ કે સિદ્રાંત.
ધ્યાન ધરવું એટલે શું ? * ધારણાનો વિષય હોય તેમાં મન સંપુર્ણ તલ્લીન અથવા એકરુપ થઈ જાય. * ધારણાના વિષય સિવાય મનમાં અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન થાય. * ધ્યાન કરનાર અને ધ્વેય-પદાર્થ સિવાય બીજી કોઈ વસ્તુની હાજરી ન રહે તે ધ્યાન.
અહંકારમાથી મુકત થવાનો ઉપાય શું? * અહંકારમાથી પોતાપણૂ હટાવી દેવું. * પોતાની ઇચ્છાઓને પ્રબલ ન બનાવવી. * શેરમાથે સવાશેર હોયજ છે તેની જાગૃતિ રાખવી. * અન્યની આવડતની પ્રશંશા કરતા શીખવું. * મહત શક્તિ કાર્ય કરી રહિ છે અને તેની ઇચ્છા પ્રમાણે થાય છે.એ બાબતનું વિસ્મરણ ન થવુ જોઈએ. * સંબંધ કે સહવાસમાં આવનારમાં ઇશ્વર છે એમ સમજી તેમની નિરપેક્ષભાવે સેવા કરવી.