કોને વૃધ્ધાવસ્થા આવતી નથી? * તૃષ્ણાને.

સતત સ્મરણમાં રાખવા જેવું શું ? * દશ્યમાન નાશવંત છે તે વાસ્તવિકતાનું ક્ષણવાર પણ વિસ્મરણ ન કરવું

સંસારી અને સાધુમાં તફાવત શું ? * મળે તે મુઠીમાં પકડી રાખે અથવા ભવિષ્ય માટે બચાવે તે સંસારી. * મળે તેને વહેચી દે,કશાને પકડી ન રાખે તેસાધુ,સંસારમાં રહે પણ સંસારને પોતાની અંદર પ્રવેશવા ન દે તે સાધુ.

માળા શા માટૅ ફેરવવી ? * આધાર વિના ભગવાન ના ભજી શકાય એ કારણે. * મનને ફેરવવા માટે.તેને માયામાથી ખસેડી પરમાત્મામા જોડાવા માટે. રોગનો દરવાજો કયો ? * અનિયમિતતા. * ભોગવિલાસ. * સ્વાદ પાછળની દોડ

કયું ચક્ર સ્વયંભુ ફર્યા કરે છે ? * વિનાશક કાળચક્ર.

સહનશક્તિને અકબંધ રાખવાનો ઊપાય શું ? * ધરના અને જગતના લોકોને બાળકો ગણવા. * જગતના લોકો દુષ્ટ નથી પણ અજ્ઞાની છે અને તેઓ જે કાંઈ ખોટું કરે છે તે અજ્ઞાનને કારણે કરે છે તેવા વિચારની સતત  હાજરી.

સૌથી મોટામાં મોટી પીડા કઈ? * આશા અને તૃષ્ણાની. * વાસનાની પીડા

વિજયપ્રાપ્તિનો સાચો આનંદ કયારે મળે ? * વિજયનો અહંકાર ન આવે તો. * મનની ગતિ-વિધિ પર વિજય મેળવ્યો હોય ત્યારે.

* જે ગુણૉ બીજાને અને પોતાને આનંદમાં રાખે તે. * રૂપ. -આ આકર્ષણ મર્યાદિત સમય પુરતું હોય છે,રૂપ ટકે ત્યા સુધી જ ટકે છે. * વાસના. -એનું આકર્ષણ તત્ક્ષણ પૂરતું જ હોય છે,જો કે સામાન્ય મનુષ્યમાં આવી ક્ષણો આવ્યા જ કરતી હોય છે. * સદગુણૉ. -આ આકર્ષણ લાબા ગાળાઅનું હોય છે * રૂચિની કે આદર્શોની સમાનતા.

અત્યારે કાળ બગડયો હોય તેવું લાગે છે ? * કાળ એટલે સમય.સમય પોતે બગડે કે સુધરે નહિ,પણ વાતાવરણ બગડે કે સુધરે.વાતાવરણને માણસોના સમુહગત કર્મો સાથે સંબંધ હોવાથી મોટા ભાગના મનુષ્યો નિષિદ્ર કર્મો કરે ત્યારે વાતાવરણ બગડેલું દેખાય.વાતાવરણ ઉપર જ યુગોનું નિર્માણ છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors