•પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિશ કરવાથી આરામ થાય છે. •સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે. •તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરે મટે છે. •ધંતુરાનાં પાનનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો, આ તેલનું માલિક કરવાથી શરીરનાં જકડાઈ ગયેલા અંગો છૂટાં પડી તકલીફ મટે છે. […]

ખોરાક જ્યારે વધારે પ્રમાણમાં લેવાય ત્યારે શું થઈ શકે છે વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે. વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે. વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે. વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન […]

પરિચય : ગુજરાત અને ભારતમાં પીપળા (અશ્વત્થ, પીપલ પેડ)ના વૃક્ષને પ્રાયઃ બધા લોકો સારી રીતે ઓળખે છે. તેના ખૂબ ઊંચા અને વિશાળ ઘેરાવામાં થતાં ઝાડ ગામ, નગર, જંગલ, વેરાનમાં સર્વત્ર થાય છે. માર્ગો પર છાંયો કરવા તે રસ્તાની બંને બાજુએ વવાય છે. હિંદુઓ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્‍ણુ તથા પિતૃદેવોનો વાસ માની તેની પૂજા કરે છે. હિંદુ મંદિરોના પ્રાંગણમાં પીપળો ખાસ હોય છે. તેના પાન ૪ થી ૭ ઈંચ લાંબા, ૩ થી ૪ ઈંચ પહોળા, હ્રદયાકારના, ઉપર જતાં સાંકડા ને અણીદાર અને ઉપરથી ચળકતા-લીસ્સા હોય છે. તેની પર ચણીબોરથી જરા મોટા, […]

લીવર અને મૂત્રાશયના દર્દોની અકસીર ઔષધિ – ભોંય આમલી પરિચય : ગુજરાત તથા ઉષ્‍ણપ્રદેશોમાં ભોંય આમલી કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય છે. પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં નાના અનેક ફળ આવે છે. તેનો સ્વાદ આમળા જેવો હોય છે. તેની પર નર – માદા બંને ફૂલ થાય છે. ચોમાસામાં ફૂલ લીલા કે […]

લીંડીપીપર વિષે આપણે આગળ જોઈ ગયા. તેના મૂળ તે પીપરમૂળના ગંઠોડા. તે જેમ મોટા, વધુ ગાંઠોવાળા અને ભારે તેમ સારા. પાતળા ડાંડી જેવા હલકાં. પીપરીમૂળ સ્વાદે તીખું, તાસીરે ગરમ, પચવામાં હલકું, લૂખું, શ્રેષ્‍ઠ અગ્નિદીપક, ઉત્તમ કફહર અને વાતહર, પિત્તકર, કૃમિધ્ન અને પાચક છે. તે બરોળના રોગ, પેટનો ગોળો, પેટનો આફરો, ઉધરસ, શ્વાસ, શરદી, ક્ષય વગેરેમાં સારા છે. ગંઠોડાનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. અનિદ્રાના રોગીએ રાત્રે સૂતી વખતે ભેંસના ગરમ દૂધ સાથે ગંઠોડાનું ચૂર્ણ મેળવી પી જવું. ચક્કરની બીમારીમાં ગોળ સાથે ગંઠોડાનું નિયમિત સેવન કરવું. સગર્ભા સ્ત્રી ગોળની રાબમાં સહેજ […]

કાઠિયાવાડની ધરતીનું આ ઔષધ મેલેરિયાનુ રામબાણ ઔષધ છે. અપચાથી થતા તાવ, ઠંડીનો તાવ, મેલેરિયા કે તરીયા તાવ, ઝાડા, ઉદરનો વાયુ, તરસ, ખાંસી, ઉદર કૃમિ, મધુપ્રમેહ, ત્વચા રોગ અને સોજા મટાડનારી સુંદર વનસ્પતિ છે. તાવ : તડકે ફરવાથી, અપચાથી કે ઋતુદોષથી થયેલા તાવ, વ્રણ, વિદ્રધિથી થયેલ કે મેલેરિયાના તાવમાં-મામેજવાના પંચાંગનો ઉકાળો કરી, તેમાં કાળા મરીનું ચૂર્ણ ચપટી નાંખી, ફાયદો જણાય તેટલા દિવસ ૨-૩ ‍વાર પીવું. જીર્ણ તાવ : મામેજવાનું ચૂર્ણ ૩ થી ૫ ગ્રામ, કાળા મરી ચૂર્ણ ૪ રતી, પાણીમાં બે વાર દેવું. તેની ઉપર ગોદંતી ભસ્મ કે ઘાપાણ ૧ ગ્રામ […]

ચંદન સુખડ તરીકે પણ ઓળખાય છે. તેનું લાકડું સુગંધી હોય છે. તેને ઓરસિયા ઉપર ઘસીને ઘસારાનો શરીરે લેપ કરાય છે, કપાળે ‍તિલક કે ત્રિપુંડ કરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. ચંદનનો રસ કડવો અને સહેજ મીઠો હોય છે. તેની તાસીર ઠંડી છે. તે હલકું, લૂખું, કફ- પિત્તશામક, દાહપ્રશમક, દુર્ગંધહર અને રંગ સુધારનાર છે. તે ચામડીના રોગ, મગજની નબળાઈ, પેટના કૃમિ, ઝાડા, હ્રદયની વિકૃતિ, પેશાબના રોગ અને જાતીય નબળાઈમાં ઉપયોગી છે. સુખડના ચૂર્ણ, તેનો ઘસારો (લેપ) અને તેલનો ઔષધીય ઉપયોગ થાય છે. તેલ મોં ઉપર ઘસવાથી ખીલના ડાઘ, ખીલના […]

કબજિયાત – પીપાળાનુ પાન નાખીને ઉકાળેલુ દૂઘ પીવાથી ગૅસને કારણે થયેલ કબજિયાત મટે છે. પેટના વાયુ મટે છે. ગરમ દૂધ સાથે બે ચમચી ગુલકંદ કે ઇસબગુલ રાત્રે સૂતી વખતે લેવાથી મળ સાફ આવે છે. એસિડિટી – થોડું થોડું કરીને દિવસમાં ત્રણ વાર ગરમ દૂધ પીવાથી લાભ થાયછે. મૂત્રાશયના રોગ – દૂધમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રાશયના બધા રોગ શાંત થાય છે. મસા – રાત્રે સૂતી વખતે દૂધની સાથે ઈસબગુલ લેવાથી લાભ થાય છે. ખંજવાળ – દૂધમાં પાણી મેળવીને તેને રૂના પોતાં વડે શરીર પર મસળવાથી અને થોડી વાર પછી સ્નાન કરી […]

પરિચય : મીઠો લીમડો વનસ્‍પતિશાસ્‍ત્રમાં ‘બકામ લીમડા’ તરીકે ઓળખાય છે. સામાન્‍ય લોકભાષામાં તે ‘કઢીપત્તિ’ તરીકે જાણીતો છે. તે શાકમારકીટમાં તથા શાકભાજીનાં બજારોમાં સહેલાઇથી મળતો હોય છે. દરેક ગામડામાં પણ તે સહેલાઇથી મળી જાય છે. ગુણધર્મ : મીઠા લીમડાનાં પાન શીતળ, કડવાં, તીખાં, દીપન, પાચન, કંઇક તુરાશ પડતાં અને લઘુ હોય છે. તે દાહ, હરસ, કૃમિ, શૂળ, સોજા અને કોઢને મટાડનાર, વિષનાશક અને રુચિકર છે. બધી ભાજીઓ કરતાં મીઠા લીમડામાં વિટામિન ‘એ’ વધુ પ્રમાણમાં હોય છે. શ્ર્વેતસાર (કાર્બોદિત પદાર્થ) અને પ્રોટીનનું પ્રમાણ પણ અન્‍ય ભાજીઓ કરતાં આમાં વધારે હોય છે. મીઠા […]

સરગવાનાં ફૂલ અને શીંગનું શાક ખવાય છે. તેના પાન, છાલ, મૂળ વગરેના ઔષધીય ઉપયોગો ઘણા છે. આ સરગવાનેસેજનઅનેમુનગાવગેરેનાનામથીપણઓળખવામાંઆવેછે. અંગ્રેજીમાંતેનેડ્રમસ્ટિકપણકહેવામાંઆવેછે. તેનુંવાનસ્પતિકનામમોરિંગાઓલિફોરાછે. ફિલિપિન્સ, મેક્સિકો, શ્રીલંકા,મલેશિયાવગેરેદેશોમાંપણસરગવાનોખૂબજવધુઉપયોગકરવામાંઆવેછે. દક્ષિણભારતમાંવ્યંજનોમાંતેનોઉપયોગકરવામાંઆવેછે.સરગવાનાબીજમાંથીતેલકાઢવામાઆવેછેઅનેછાલ, પાન, ગુંદર, જડવગેરેમાંથીપણઆયુર્વેદિકદવાઓતૈયારકરવામાંઆવેછે. સરગવો સ્વાદે મીઠો, સહેજ તૂરો, તાસીરે ગરમ, ગુણમાં લૂખો, પચવામાં હલકો, અગ્નિદીપક, મળશોધક, ત્રિદોષશામક છે. તે કૃમિનાશક, બરોળ, સોજા, શ્વાસ, તાવ, મેદ, ગોળો, આંખના રોગ, ચામડીના રોગ, માથાનો દુઃખાવો વગેરેમાં સારો છે. સરગવાની છાલ, સાટોડી, ગોખરું અને વાયુવરણાને સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી અને તેના કૂચાનો લેપ કરવાથી કેન્સરમાં ઝડપથી લાભ થાય છે. આયુર્વેદમાં 300 રોગોનોસરગવાથીઉપચારબતાવ્યોછે ગામડાંમાંસરગવાનાંકુમળાંઝીણાંપાનઅનેફૂલોનુંપણશાકબનાવવામાંઆવેછે. આશાકદીપક, પાચક, કૃમિનાશકઅનેવાતનાશકગણાયછે. -સરગવામાંકાર્બોહાઈડ્રેટ, […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors