તાસીરે ચારોળી તાસીરે ઠંડી હોય છે લગભગ બધા સૂકા મેવા તાસીરે ગરમ છે, ચારોળી એ ફળનું બી છે. ચારોળી સ્વાદે મીઠી અને સહેજ ખાટી છે. તાસીરે ઠંડી, પચવામાં ખૂબ ભારે, ચીકણી, મળ સાફ લાવનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વીર્યવર્ધક, જાતીય શક્તિ ધરાવનાર, રોચક અને પથ્ય છે. તે ખૂબ ચાવીને થોડી ખાવી જોઈએ કારણ કે પચવી મુશ્કેલ છે. વાતરોગ, પિત્તરોગ, દાહ, તાવ, તરસ, ક્ષય, દુર્બળતા, કૃશતા વગેરેમાં ચારોળી સારી છે. દરેક મીઠાઈ, પાક અને પકવાનમાં ચારોળીનો સપ્રમાણ ઉપયોગ કરવાથી તેની રોચકતા અને ગુણવત્તા વધે છે. ચારોળીને દૂધમાં પીસીને […]
પરિચય : વાવડિંગથી આપણે સૌ સારી પેઠે વાફેક છીએ. ભલે એ મસાલાની ચીજ નથી; પરંતુ, ઘરઘરમાં તેનો ઉપયોગ થાય છે. તે અવારનવાર ઉપયોગમાં આવનારી અતિ નિર્દોષ અને ગુણકારી વસ્તુ છે. મોટા મોટા વૈદ્યો અને બધા જ ઔષધશાસ્ત્રજ્ઞો એને આવકારે છે. બાળરોગ-ચિકિત્સકોએ પણ એને યોગ્ય સ્થાન આપ્યું છે. વાવડિંગના લાલાશ પડતા મરી જેવા દાણા હોય છે. આજકાલનાં ખાનપાન આરોગ્યલક્ષી નથી. તેમાંય બાળકોને ગળ્યું ખૂબ ભાવતું હોય છે. પરિણામે કૃમિની તકલીફ થાય. એ જ પ્રકારનું ખાવાનું ચાલ્યા કરતું હોઇ કૃમિને પોષણ પણ મળતું રહે છે. આ કારણે બાળક દૂબળું જ રહે છે. […]
ધાણી – દાળિયાથી કફ વિકારો દૂર થાય છે હોળી ધૂળેટીમાં દાળીયા, ધાણી, શેકેલા ચણા ખાવાનું અને હોળીનાં અગ્નિનો શેક આરોગ્ય માટે લાભદાયી. 22 એપ્રિલ સુધી આશરે ચાલનારી આ ઋતુમાં શિવરાત્રી, ધૂળેટી જેવા તહેવારો આવે છે. ઉનાળાને હજુ વાર છે. ગરમીની શરૂઆત થતા શિયાળા દરમ્યાન શરીરમાં એકત્ર થયેલ કફને સૂર્યસ્નાન અને હોળીનાં અગ્નિ વડે પીગાળી ને શરીરને કફ વિકારથી મુક્ત કરવાનું હોય છે. અજ્ઞાનતાનાં કારણે અત્યારે જે લોકો વિવિધ ઠંડા પીણાં, આઇસ્ક્રીમ વિગેરે આરોગે છે તે કફનાં રોગોને નિમંત્રે છે. (ખંજવાળ, દાદર, ખસ, ખુજલી, કોઢના રોગો, રક્ત વિકાર, સોજાપ્રમેહો (ડાયાબીટીસ), ગુમડા, […]
ખજૂર પૌષ્ટિક તથા ગુણકારી છે ગરમ પ્રદેશમાંથી આવતું ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. ખજૂર સૂકાઈ જતાં ખારેક બને. શુભ કાર્યોમાં ખારેક વહેંચવામાં આવે છે. ખજૂર સ્વાદે તૂરાશ પડતું મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સ્વભાવે ચીકાશવાળું, વાતકર તથા કફ- પિત્તનાશક છે. તે હ્રદ્ય, બળપ્રદ, વીર્યવર્ધક, ક્ષયનાશક અને રક્તપિત્તશામક છે. તે પૌષ્ટિક, તૃપ્તિકર, રોચક અને પથ્ય છે. તે દાહ, ક્ષય, ઘા પડ્યો હોય તેમાં, છાતીમાં ક્ષત હોય તેમાં, ઊલટી, તાવ, ઝાડા, ભૂખ, તરસ, ઉધરસ, શ્વાસ, મૂર્છા, થાક વગેરેમાં સારો છે. ખજૂર પચવામાં ભારે છે અને અગ્નિમાંદ્ય કરે છે તેથી તેનો સપ્રમાણ […]
કાજુ સ્વાદિષ્ટ, પોષક અને પથ્ય હોય હે કાજુના ૬-૮ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેને રસાદાર ફળ બેસે છે. એ ફળની બહાર બી હોય છે. તે બીનું મીંજ તે કાજુ. તે શરીરના કીડની-મૂત્રપિંડના આકારનું છે. તેથી પેશાબના રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય. કાજુ સહેજ તૂરાશ પડતાં મીઠા છે. પચવામાં હલકાં, તાસીરે ગરમ, સહેજ ચીકાશવાળા, અગ્નિવર્ધક, ત્રિદોષશામક છે. તે સ્વાદિષ્ટ, ધાતુવર્ધક, પોષક અને પથ્ય છે. ઝાડા, મરડો, સંગ્રહણી, હરસ, આફરો, પેટનાં કૃમિ, પેટના રોગો, ચામડીના રોગો, સફેદ કોઢ, વ્રણ (ઘા), વાળના રોગો, તાવ, પેટનો ગોળો, અગ્નિમાંદ્ય વગેરેમાં તે ઉપયોગી છે. બદામ […]
ગાજર ઠંડીના દિવસોમાં જોવા મળે છે. *ગાજર શિયાળામાં પૌષ્ટિક ખોરાક છે. *ગાજરમાં વિભિન્ન ખનીજ તત્વો અને વિટામીનથી ભરપૂર છે. *ગાજરના સેવનથી ઘણા રોગોનો નાશ થાય છે. કાર્બોહાઈટ્રસ, પ્રોટીન, લોહ ફોસ્ફરશ, કેલ્શિયમ બધા તત્વો સમાયેલા છે. *વિટામીન એ અને ઈ એમાં મળી આવે છે. વિટામીન એ ગાજરમાં મળે છે. *આંખો માટે બહુ જ ફાયદાકારક છે. *સવારમાં ગાજરનો રસ લેવો આંખો માટે ઘણો સારો છે. *જમ્યા પછી ગાજર ખાવાથી દાંતના જીવાણું નાશ પામે છે. *દાંત ચમકદાર બને છે. દંતક્ષય નાશ પામે છે. પેઢામાંથી લોહી આવવું, મોઢામાં વાસ આવવું દૂર થાય છે. *ગાજર […]
આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે. ગુણધર્મો :- બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ […]
પરિચય : ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્વચ્છ થઇ જાય છે. ગુણધર્મ : તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે. ઉપયોગ : (૧) પેટમાંથી […]
પરિચય : મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ. ગુણધર્મ : રાઇ કડવી, ઉષ્ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે. રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્ણ, સ્વાદિષ્ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્વેદલ હોવાથી રસસ્ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે. ઉપયોગ : (૧) શરીર […]
મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. […]