મનુષ્યને ફસાવનારું કોણ ? * ઇન્ટ્રિયોની વિષયજાળ. * દેહને અનુસરનારું મન. * અનિયંત્રિત અને મલિન મન . * અણસમજથી ઉત્પન્ન થયેલી માન્યતા.

માણસમાં કેટલું હીર છે તે કયારે ખબર પડે ? * અપમાન વખતે. * કસોટી કાળે. * આપતિ સમયે. * પ્રતિકુળ સંયોગોમાં અથવા બધાં પાસા અવળા પડવા માંડે ત્યારે . * જેમને એ પોતાના માંની બેઠો હોય તેમનો સહકાર બંધ થઈ જાય ત્યારે.

મનુષ્ય પાપ કરવા કેમ પ્રેરાઈ છે ? * લોભને કારણે. * સ્વાર્થને કારણે. * એનામાં અજ્ઞાન ભર્યુ છે એટલે. * કામ અને ક્રોધને વશ થઈ જાય છે તે કારણે. * ઋણાનુબંધ,પરિગ્રહ અને મોહને કારણે.

મનુષ્યને શેનો વધુ ભય લાગે છે ? * પોતે કરેલા પાપોનો. * ભવિષ્યનો. * આબરુનો. * વ્રુધ્ધાવસ્થાનો. * આધિ-વ્યાધિ -ઉપાધિનો. * અતિ નિકટના સ્નેહીજનોના કાયમી વિયોગનો. * મુત્યુનો. * પોતે જેને મુલ્યવાન ગણે છે તેને ગુમાવવાનો.

જીવનનો અનુભવ મેળવવાનું સાધન કયું ? * ક્રિયા અથવા કર્મ. -કર્મ દ્રારા આ જગતમાં બંધનરુપ શું છે અને મુક્તિરુપ શું છે તેનો ખ્યાલ આવે છે. * અનુભવી પુરુષોનો ગાઢ સહવાસ.

વ્યક્તિએ કયાં સામાન્ય ધર્મોનું પાલન કરવું જોઇએ.? * સ્વધર્મનું. * સામાજિક ધર્મનું. * રાષ્ટધર્મનું. * સત્કર્મ કરવાનું. * સર્વે પ્રત્યે સદભાવના રાખવાની. * પરમ સત્યેને સમજવા અને પામવા નિત્ય નિરંતર પુરુષાર્થ કરવો.

મન કયારે રોગિષ્ટ ન રહે ? * આહાર.વિહાર અને નિદ્રા પ્રમાણસર હોય. * સંયમીત અને મુદુવાણી હોય. * આહારશુધ્ધિ અને દેહશુધ્ધિ હોય. * નિયમિતતા હોય. * સારા લોકોનો સંગ હોય. * નીતિની કમાણી હોય. * આવશ્યક એટલો  શ્રમ હોય. * સદગ્રંથોનો અભ્યાસ અને સત્સંગ પ્રીતી હોય. * નિરંતર પ્રવ્રુતિ અખંડ નિવ્રુતિ હોય.

મનુષ્યે દૈનિક જીવનમાં કઈ બાબત ધ્યાનમાં લેવી જોઇઅ? * સમયના સદઉપયોગની . * અન્તઃકરણને નિર્મળ રાખવાની. * બુધ્ધિનો સર્વાગી વિકાસ સાંધવાની. * વિષયવાસનાનો ત્યાગ કરવાની. * સ્વાર્થવ્રુતિ છોડવાની. * પવિત્ર અને ભક્તિપરાયણ જીવન જીવવાની.

જીવનનું સરળ ગણિત કયું ? * કોઈના દોષો સામે દષ્ટિન કરવી. * અહંકાર છોડવો. * હરિસ્મરણ કરવું. * વહેચીં ને ખાવું. * અંતઃકરણ અને શરીર વિકાર રહિત કરવા. * સૌ પ્રત્યે સમભાવ રાખવો. * પુરુષાર્થ કર્યા કરવો; પરિણામ શ્રીહરિને સોપવું; નિષ્કામભાવે કર્મ કર્યા કરવું. * કોઈ જ્ઞાનીજને કહ્યું છે તેમ- સદગુણોનો સરવાળો,ગુણનો ગુણાકાર,બુરાઈની બાદબાકી અને ભ્રમનો ભાગાકાર કરતા રહેવું.

મનુષ્ય અપ્રિય બને એવો કયો દોષ ગણાય ? * કટુ વાણી. * અભિમાન.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors