ડો. રમણલાલ જોશી

ડો. રમણલાલ જોશી

ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક રમણલાલ જોશીનો જન્મ વિજાપુર તાલુકાના હીરપુરા ગામે તા. ૨૨મી મે, ઇ.સ. ૧૯૨૬ના રોજ થયો તેમણે પ્રાથમિક શિક્ષણ વડનગરમાં લીધું જયારે માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં લીધું ઇ.સ. ૧૯૫૦માં બી.એ. થયા અને ઇ.સ. ૧૯૫૪માં એમ.એ. થયા એમ.એ. માં એમને દ્ધિતીય વર્ગ આવ્યો હતો. ગોવર્ધનરામઃ એક અધ્યયન વિષે મહાનિબંધ લખી એમણે ઇ.સ. ૧૯૬૨માં ગુજરાત યુનિર્વિસટીમાંથી પીએચ.ડી.ની પજવી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૫૪થી ઇ.સ. ૧૯૫૯ સુધી તેઓ ગુજરાત યુનિર્વિસટીના ભાષાસાહિત્ય-ભવનમાં રિસર્ચ-ફેલો રહ્યા ઇ.સ. ૧૯૫૯થી ઇ.સ. ૧૯૬૨ સુધી તેમણે અમદાવાદની જી.એલ.એસ.આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવી ઇ.સ. ૧૯૬૨થી ઇ.સ. ૧૯૬૮ સુધી ગુજરાત યુનિર્વિસટીના ભાષાસાહિત્યભવનમાં અધ્યાપક રહ્યા અને ઇ.સ. ૧૯૬૨થી ઇ.સ. ૧૯૭૯માં ત્યાં જ તેઓ રીડર થયા. ઇ.સ. ૧૯૭૯માં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને ઇ.સ. ૧૯૮૬માં તેઓ જયારે નિર્વૃત્ત થયા ત્યારે સાહિત્ય ભવનના અધ્યક્ષપદે હતા. નિવત્તિબાદ ગુજરાત યુનિર્વિસટીમાં કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેકટર અને ઇ.સ. ૧૯૮૮માં યુનિવર્સટીમાં ગ્રાન્ટસ કમિશન તરફથી માનાર્હ પ્રાધ્યાપક (પ્રોફેસર એમિરિટસ) બન્યા. ગુજરાતી સાપિત્ય પરિષદના ઉપપ્રમુખપદે પણ તેઓ રહ્યા હતા.તેઓ માને છે કે વિવેચકનિં મુખ્ય કાર્ય સર્જકની ચેતનાભૂમિમાંથી કળાકૃતિ સર્જાય છે. એની સાથે વધુમાં વધુ તાદાત્મય સાધી તેનું રહસ્ય પ્રગટ કરવું અને એ સાથે જ આપણી રસાનંદ લેવાની શકિત્તને વિકસાવવી એ છે એમના અભિપ્રાય મુજબ સર્જનકલા અને વિવેચનશાસ્ત્ર પરસ્પર ગૂંથાયેલાં છે. આધુનિક ગુજરાતી સાહિત્યના વહેણો અંગે પોતાનો પ્રતિભાવ આપતાં તેઓ કહે છે કે, વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટયું છે. સાહિત્ય સાધનામાંથી શોખ વધારે બન્યું છે. સાહિત્યના ઉપાસકો ગાઝો જોવા મળતા નથી. પીએચ.ડી. થયા પછી વિવેચનક્ષેત્રે કરેલા તેમના મૂલ્યવાન પ્રદાનમાં અભીપ્સા (૧૯૬૮,૧૯૭૮),‘પરિમણ’ (૧૯૬૯),‘શબ્દસેતુ’ (૧૯૯૦),‘સમાન્તર’,‘વિનિયોગ’ (૧૯૭૭),‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી -’(૧૯૬૩),૧૯૭૭),‘વિવેચનની પ્રક્રિયા’ (૧૯૮૧),‘નિષ્પત્તિ’ (૧૯૮૮) ‘વિવેચનની આબોહવા’ જેવા ગ્રન્થોનો સમાવેશ થાય છે. ડો.જોશીએ ગુજરાત ગ્રન્થકાર શ્રેણીનું સંપાદન પણ ઇ.સ. ૧૯૭૯થી શરૂ કર્યું આ શ્રેણીમાં ગુજરાતી સર્જકોની પરિચય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૨ જેટલાં લઘુગ્રન્થ આ શ્રેણી અંતર્ગત પ્રસિદ્ધ થયા છે. ઇ.સ. ૧૯૮૯થી તેમણે ઉદ્દેશ નામનું સાહિત્ય અને જીવનવિચારનું માસિક પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત યુનિર્વિસટી ગ્રન્થનિર્માણ ર્બોર્ડ એમનો ભારતીય નવલકથા નામમો ગ્રન્થ ઇ.સ. ૧૯૭૪માં પ્રકટ કર્યો છે. વિવિધ ગુજરાતી સામાયિકોમાં તેમજ ઇન્ડિયન લિટરેચર તથા પી.ઇ.એન. માં તેઓ નિયમિતપણે લખે છે. જનસત્તા દૈનિકનો સાહિત્યવિભાગ પણ તેઓ સંભાળતા હતા.

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors