ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૨ અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ । એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. ॥ ૧૧॥ જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે । અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું, તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.॥ ૧૨॥ સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ । સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ […]
* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે. * પાંચ અંગો આ પ્રમાણે છે ૧, અધિષ્ઠાન. – જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે. ૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર. – દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે […]
અર્જુન ઉવાચ । પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ । એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥ અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું. (નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી) ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે । એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ભગવાન કહે: હે કોંતેય !આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય […]
મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં મુખ્ય મુખ્ય મેળા આ મુજબ છે. ભવનાથ, તરણેતર, અંબાજી, શામળાજી, ડાંગ દરબાર, રવેચીનો મેળો, કવાંટનો મેળો. આ તમામ મેળામાં માત્ર ગુજરાતીઓજ નહીં દેશ-વિદેશથી લોકો ઊમટી આવે છે. દરેક મેળાનું ગુજરાતમાં આગવું મહત્વ છે. આ મેળાઓમાં માનવ મહેરામણ હૈયુ હૈયું દ.. એમ ઊમટી પડે છે. મેળામાં ઊંચ-નીચ,અમીર-ગરીબ નાત-જાતનો કોઈ ભેદભાવ જોવાતો નથી. યુવાન-યુવતીઓ માટે તો મેળો એટલે તેમનાં હૈયાંની ઘડકન. મેળાની […]
વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો? * જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો, * આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે, * વૃતિઓને શાંત કરવાનો. * મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો. * ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.
રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન કર્યું અને પૂના ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં દિગ્દર્શનના પાઠ શીખ્યા, ત્યાર બાદ તેમણે અમદાવાદની ઈસરો સંસ્થામાં ટેલિવિઝન વિભાગમાં નિર્માતા તરીકે પણ ફ્રજ બજાવી હતી… હિન્દી ફિલ્મોધોગને મનોરંજન અને વ્યાપારિક સફ્ળતા તરફ્ દોરવી શ્રેષ્ઠતા પુરવાર કરનાર ગુજરાતીઓ દ્યણા હશે, પરંતુ સત્યજિત રે, ઋત્વિક દ્યટકથી માંડી શ્યામ બેનેગલ, અડૂર ગોપાલકૃષ્ણન, કુમાર સાહની વગેરેની પંકિતમાં બેસે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પુરસ્કાર, પ્રતિષ્ઠા પ્રા કરે એવા ગુજરાતી […]
ગુજરાતની લીલી નાધેર એટલે કચ્છ. કચ્છ તો શૂરા-પૂરાથી સદાય ઊભરાતો રહ્યું છે. કચ્છની ધરતી ઉપર એવા એવા વીરલા પાકી ગયા કે આજે પણ ગુજરાતની છાતી ગજગજ ફૂલે છે. કચ્છનો લાખો ફૂલાણી, બહાર વાટિયો છતાં કચ્છની પ્રજાનો વહાળ સોયો નરબંકો કાદુ મકરાણી, કચ્છના દાદા મેંકરણ વગેરે વગેરે. વાત છે અહીં કચ્છમાં આવેલા માંડવી શહેરની. માંડવી કચ્છનું બહુ નાનકડું શહેર. એક સમયનો અનન્ય જહાજવાડો. એક બંદર. અત્યારનું એક રમણીય પ્રવાસન સ્થળ તથા બીચ. આ માંડવી પાસે બહુ નજીક કુદરોડી ગામ આવેલું છે. આ ગામનું નામ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ […]
ન્હાનાલાલ ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાઙ્ગાાભાઇ (નર્મદ યુગના મહાન કવિ) હતા અને એમની મૂળ અટક ત્રિવેદી હતી. તેઓ ફરસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. ગાંધીજી ેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી. મૂખ્ય કૃતિઓ * કવિતા ન્હાના ન્હાના રાસ (૩ ભાગ), ચિત્ર દર્શનો, ેમ […]
ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્યિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોકડાયરો કહે છે. આ કારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજયમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે