આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે. ગુણધર્મો :- બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ […]

પરિચય : ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્‍વચ્‍છ થઇ જાય છે. ગુણધર્મ : તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે. ઉપયોગ : (૧) પેટમાંથી […]

પરિચય : મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ. ગુણધર્મ : રાઇ કડવી, ઉષ્‍ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્‍ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે. રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્‍ણ, સ્‍વાદિષ્‍ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્‍વેદલ હોવાથી રસસ્‍ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે. ઉપયોગ : (૧) શરીર […]

મેથી

મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્‍યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્‍યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. […]

સૂંઠથી ભાગ્‍યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્‍ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે. સૂંઠ તીખી, સ્નિગ્‍ધ, લઘુ, ઉષ્‍ણ, રુચિકર અને આમવાતનાશક છે. ઉપયોગ : (૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો. (૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો. (૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું. (૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો. (૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે […]

પરિચય : હિંગને આપણે સારી રીતે જાણીએ છીએ. તેનો ઉપયોગ દરેક ઘરમાં નિયમિત થતો હોય છે. શુદ્ઘ હિંગ બહુ મોંઘી હોય છે. વળી શુદ્ઘ હિંગ મળવી પણ મુશ્‍કેલ છે. તેને સસ્‍તી વેચવા માટે વેપારીઓ તેમાં જાતજાતની ભેળસેળ કરે છે. હિંગનો વધારે ઉપયોગ પાપડ બનાવવામાં થાય છે. પાપડ સારા બને તે માટે હિંગ પણ સારી ખાતરીની લેવી જોઇએ. લિજ્જત પાપડવાળા આ બાબતમાં ખૂબ જ ચોકસાઇ અને ખ્‍યાલ રાખતા હોય છે. આ જ કારણે આજે તે દેશ-પરદેશમાં ખૂબ જ જાણીતા બન્‍યા છે. ગુણધર્મ : હિંગ તીખી, ઉષ્‍ણ, હ્રદ્ય, પિત્તકર,પાચન, રુચિકર, તીક્ષ્‍ણ તેમજ […]

અફીણ એ એક જાતના ફળ ઉપર ચીરા પાડી તેમાંથી જે રસ ઝરે તેને સૂકવીને બનાવાય છે. ફળના ઝીણા ઝીણા બી તે ખસખસ. અફીણ માદક છે. ખસખસ માદક નથી. ખસખસ સ્વાદે મધુર, તાસીરે ગરમ, પચવામાં ભારે, મળને રોકનાર, વાતશામક, પિત્તશામક અને કફકર છે. તે બળવર્ધક, વાજીકર, વીર્યવર્ધક, કાંતિપ્રદ છે. બાળકને ખૂબ ઝાડા થયા હોય, મરડાને લઈને મળમાં ચીકાશ અને લોહી પડતું હોય, અપચાના કાચા ઝાડા થયા હોય તો ખસખસને દૂધમાં સારી પેઠે લસોટી એકરસ કરી પાવું જોઈએ. માથામાં ખૂબ ખોડો હોય, કેમેય કરીને જતો ન હોય તો દૂધમાં ખસખસને પીસીને માથે […]

પરિચય : આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્‍વચ્‍છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે. ગુણધર્મ : વરિયાળી તીખી, કડવી, સ્નિગ્‍ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્‍ણ, મેધ્‍ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્‍મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્‍યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે. ઉપયોગ : […]

શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્‍લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. પિત્ત-જવર અને અંતદાર્હ ઉપર : ચોખા બે ચમચી અને ધાણા એક ચમચી રાતે ચાર ગણા પાણીમાં પલાળી રાખવા. બીજા […]

જાણો સુકામેવાનેઃઅખરોટ અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનું કોચલું લાકડા જેવું એકદમ સખ્‍ત હોય છે. જે બે ભાગમાં વહેચાતા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોચલું તોડતા અંદરથી કથ્‍થાઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારનો મીઠો ગર્ભ (માવો) નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ-પીળા રંગનો મીઠો- રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે. અખરોટનો મગજ (ગર્ભ) ખાડા – ટેકરાવાળો અને અનિયમિત હોય છે. ગુણધર્મઃ અખરોટનો મગજ (ગર્ભ, મીંજ) સ્‍વાદે મધુર, જરાક ખાટો, […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors