જીવનને સુધારવું એટલે શું? * તેને દોષોમાથી મુકતકરી સદગુણોથી શોભાવવું.

જીવનનો કયો નિયમ અફર લાગે છે * કર્મનો,વાવે તેવું લણે અને કરે તેવું પામે એ નિશ્ચિત છે. એટલે કશું કરતા પહેલા ખુબ જ જાગ્રત રહેવું જરુરી છે.

જીવનનો ભાર વહેવાની સાનુકુળતા કયારે રહે ? * સન્મિત્રો અને સત્પુરુષોનો સહવાસ હોય ત્યારે. * નિષ્કામભાવે અથવા નિઃસ્વાર્થભાવે તમામ પ્રવૃતિ થતી હોય ત્યારે.

મનુષ્ય શેમા સપડાય છે ? * પ્રેયમાં ? * તત્કાળ સુખમાં. * ક્ષણભંગુર ભોગવટામાં. * બહારના ભભકામાં,દેખાવમાં. * રુપમાં-સૌદર્યમાં. * લોભ-લાલચમાં. * ઇન્ટ્રિયોમના વિષયોમાં.

કયો મનુષ્ય પોતાના પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે ? * જે પોતાના અંતઃકરણ પર અને ઇન્ટ્રિયો પર અંકુશ રાખી શકે છે અથવા જેનૂં જીવન સંયમી છે. * જે લાલચુ અને સ્વાર્થી નથી. * જેનામાં પુરુથાર્થ અને શ્રધ્ધાનો ઉત્તમ સમન્વય થયેલો છે

મનુષ્ય પાપ કયારે કરી બેસે છે ? * આવેશમાં * પૂર્વના અવિચારી કર્મો ફળ આપવા તૈયાર થાય છે ત્યારે. * કોઇને કોઇ કારણસર અન્તઃકરણની સમતુલા ગુમાવી બેસે છે ત્યારે. * મન અને ઇન્ટ્રિયો બહેકી ઊઠે છે અને તેમને નિયંત્રણમાં રાખનારની હાજરી નથી હોતી ત્યારે.

મનુષ્યે કઈ બાબત નાની અથવા નજીવી ન ગણવી ? * પરમાત્માને. * પાપને, * રોગને. * શત્રુને. * અગ્નિને. * ઝેરના ટીપાને.

મનુષ્યે આંતરિક વિકાસ સાધવો હોય તો પાયાની બાબતો કઈ ? * સાધના. * વ્રુતિઓ અને વાસનાઓ પર અંકુશ. * રાગ-દ્વેષ જેવા ધાડપાડુઓના હાથમાં સપડાવું નહિ. * નિયમિતતા,નિષ્ઠા અને અનાસક્તિ કેળવવી. * પ્રત્યેક પરિસ્થિતીમાં સમતા રખવી. * જ્ઞાન પ્રાપ્તી માટે નિરંતર પુરુષાર્થ કરવો. * કોઇ પણ સંજોગોમાં શ્રધ્ધા ન ડગવી જોઇએ. * ચારિત્રનું જીવની જેમ રક્ષણ કરવું…

પરમાત્માની સહેજે સ્મૃતિ રહે તે માટે શું કરવું? * પ્રત્યેક બાબતમાં ભગવાનને આગળ રાખવા.એટલે કે કર્તાભાવ ન રાખવો.બધુ પ્રભુમય છે અને એમની ઇચ્છાથી જ થઈ રહ્યુ છે એવી નિત્ય જગૃતિ રાખવી. * પરમાત્મા શેઠ છે અને આપણે મુનિમ છીએ એવો નિરંતર ભાવ કેળવવો.

મનુષ્યની મોટી ખામી કઈ ? * પોતાની મુર્ખતા.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors