ઉપાધીમાથી બચવાનો ઉપાય શું ? * શરીરની કાળજી રાખવી,એની ઉપેક્ષા ન કરવી તેમ તેની કાળજી પણ ન રાખવી. * જે બાબતમાં સમજણના પડતી હોય તેમાં ડહાપણ ન કરવું અથવા તેવી બાબતોની જવાબદારીના લેવી. * લોભ,લાલચ કે મોહને વશ થઈ પોતાના ગજા બહારનું હોય તેવું કામ ન સ્વીકારવું . * પોતાની શક્તિઓ અને મર્યાદાઓ બરાબર સમજી લેવી એ તે બાબત સદૈવ જાગ્રત રહેવું. * પોતાના અહંને પોષવાની માથાકુટમાં ન પડવું. * ધરધણી મટી સેવક બનવું; શેઠ મટી મુનીમ બનવું. કર્તાભાવ ન આવવા દેવો. * જે જાણતા ન હોઈએ તેની ચિંત્તાના કરવી.
ઇશ્વર અને જીવ વચ્ચે નજરે ચડે એવો ભેદ કયો ? * ઇશ્વરને દેહ પ્રત્યે મમત્વ નથી, જયારે જીવને છે. * ઇશ્વરમાં સામર્થ્ય છે,પણ ઇચ્છા નથી. જીવમાં ઇચ્છા છે, પણ સામર્થ્ય નથી.
ઊંચામાં ઊંચી વિધા કઈ છે? * સોહમ્-તે હું છું-તે વિશેનું જ્ઞાન. -અહિ તે એટલે પરમાત્મા,પરમશકિત આપણું પુદગલ શેના આધારે તૈયાર થાય છે? * કર્મના નિયમ અનુસાર.
આત્મ સ્વરુપમાં સ્થિર થવાનું કારણ કયું? * અનુભવીનો સંગ. * દઢ વૈરાગ્ય.
ક્ષેત્રજ્ઞ કોને કહેવાય ? * ક્ષેત્રથી પોતે જુદો છે એવા દઢ નિશ્ચયવાળો. * જે ક્ષેત્રને શરીર સારી રીતે જાણે છે તે. * અંતઃકરણનો સાક્ષી આત્મા એજ ક્ષેત્રજ્ઞ છે. * જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો પરસ્પર સંબંધ અને મહત્વ બરાબર સમજી લે છે અને રોજ-બરોજના જીવનમાં આ જ્ઞાનનો ઇપયોગ કરે છે તેજ ખરો ક્ષેત્રજ્ઞ કહેવાય.
દિવ્યતા ભણી જવાનું પ્રથમ પગથિયું કયું? * પ્રેમ.
અનુભવજ્ઞાન કોને કહેવાય? * આચરણ દ્રારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને. સૂક્ષ્મ બાબતો કયારે સમજાય? * બુધ્ધિ એકગ્ર,નિર્મળ અને સત્યાનુસંધન કરનારી બને ત્યારે.
પરમહંસ કોને કહેવાય? * દંડને ધારણા કરનાર. * મસ્તક મૂડાવી નાખનાર. * યજ્ઞોપવીત વગરના. * વેદોકત વર્ણાશ્રમ કર્મો ત્યજી દેનાર. * આત્મામાં જ સ્થિતિવાળા. * પરમ બ્રહ્મનો સાક્ષાત કરનાર.
પૂર્ણમ અદઃ પૂર્ણમ ઇદમ્નો અર્થ શું? * ઇશાવાસ્ય ઉપનિષદના આ શાંતિમંત્રનાં વિવિધ અર્થધટનો થયાં છે.આ મંત્રમાં પરમાત્માની પરમ સત્તાનો પૂર્ણતાનો સંકેત લાગે છે.ી સત્તામાથી ગમે તેટલી સત્તા લઈ લેવામાં આવે તો પણ તેમાં કદી ધટાડો થતો નથી કારણ કે સત્તા એ પરમાત્માનો ધર્મ છે.
લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.