મનની ચંચળતાનું કારણ શું? * વાસના.તે મનુષ્યને બાહ્ય વિષયો તરફ ખેંચી જાય છે. * વિક્ષેપશક્તિ. -જે મન અને ઇન્દ્રિયોને બહિર્મુખ કરે છે.

સાચો સજજન કોને કહેવાય? * જે વર્ષાના વાદળની જેમ વર્તે તેને. -સાગરમાથી તે ખારુ જળ શોધે છે અને મીઠુ જળ વર્ષાવે છે -સારા-નરસાનો ભેદ કર્યા વિના બધે જળ વર્ષાવ્વ છે * અન્યની પીડા સમજે, તેને સહાય કરે અને છતા પોતે કાંઈ કર્યું છે એવું અભિમાન ન રાખે. * જેના વિચાર, વાણી અને વર્તન નિર્મળ હોય. * જેની દષ્ટિમાં સમાનતા હોય.રાગ-દ્વેષ ન હોય. * જે લોભ કપટ,પાપ.કામ અને ક્રોધથી મુકત હોય. * જે પોતાના દોષ અને અન્યના ગુણો જુએ તેને. * સદાચારને કેન્દ્રમા રાખી જીવન જીવે તેને. * અન્યના દુ;ખમાં ભાગ […]

મનને અને જીવને રોજ શું કહેવું જરૂરી છે? * અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી. * અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો. * ભોગભોગવવાની વૃતિ ના રાખવી. * સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો. * આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી. * સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું. * જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું. * કર્મભાવ ન રાખવો. * કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવ્ર બધું જોવાનું છે.

મન સ્વસ્થ રહે તે માટે શું કરવું? * મન કામનાઓનું લીલુ ક્ષેત્ર છે એટલે ફળની લાલસા, ઇચ્છા, અપેક્ષા કે કામનાથી ધેરાયેલુ મન પ્રવૃતિશીલ બને છે.ત્યારે હળવું ફુલ રહી શકતુ નથી ખરેખર તંગ બની જાય છે. * મનની અસ્વસ્થતાનું કારણ તાણ છે. * આ તાણ કે તંગદિલી દુર કરવા ફળની લોલુપતા ન રાખવી. * નિષ્કામભાવ્ર કર્મ કરવું. * અનુકૂળ કે પ્રતિકુળ સંજોગોમાં સમતા રાખવી અને મનને સદવિચારોના સંબંધમાં લાવવું.

મનને સન્માર્ગે વાળવા શું કરવું? * સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળા ન કરવી. * સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. * સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. * આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટાલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. * ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.

ધાર્મિક પુરૂષનાં લક્ષણૉ કયાં? * શ્રીમદભાગવતમાં નીચેનાં લક્ષણૉ ગણાવ્યા છે.તેમનું આચરણ મનુષ્યને ખરા અર્થમાં ધાર્મિક બનાવે છે; -કૃપાળુ,અદ્રોહી,સર્વ પ્રાણીઓ પ્રત્યે સહિષ્ણુ,સત્યમાં અડગ,ઇર્ષારહિત,સમદષ્ટિવાન,વિકારહિત ચિતવાળો,ઇન્દ્રિયોને વશ કરનાર,કોમળ,પવિત્ર, અપરિગ્રહી,આ લોક-પરલોકની ચિંતા ન કરનાર,મિતાહારી,શાંત સ્થિર,ભગવતશરણ લેનાર,મોની,સાવધાન,ગંભીર,ધીરજવાન,ભુખ-તૃષ્ણા-શોક-મોહ-વૃધ્ધાવસ્થા-મૃત્યુ એ છને જીતનાર,માનની ઇચ્છા વિનાનો,સૌને માન આપનાર,જ્ઞાન આપવામાં કુશળ,સર્વનો મિત્ર,કરુણાવાન તથા દ્રષ્ટા.

 મનુષ્યના કેટલા પ્રકાર છે? * બે. -યંત્રારૂઢ. આપ્રકારમાં આવતા મનુષ્યો પ્રકૃતિના ચક્રમાં ધુમ્યા કરે છે તેને કયાંય વિશ્રાંતિ નથી કારણ કે તે માયાથી પ્રેરાઈને ભમે છે. -યોગારૂઢ. ભક્તિ,જ્ઞાન કે યોગ દ્રારા ચિત્ત સમભાવ પામે છે ત્યારે તે યોગારૂઢ અને છે. મનને કોણ વધુ પીડા આપે છે? * મનન ભ્રમો.

મનને ગમતો ખોરાક શું? * વૈભવ. * માહીતીજ્ઞાન. *  ક્ષણિક  આનંદ આપે તેવા વિષયો.

મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષની ઇચ્છા.

સજજન વ્યક્તિમાં તરી આવતાં લક્ષણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors