તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૨

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૨
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિગ્ચન |
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. ॥ ૨૨ ॥
યદિ હ્રહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિત: |
વર્ત્માનુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૨૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે પાર્થ! જો કદાચ હું સાવધાન થઇને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઇ જાય, કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ॥ ૨૩ ॥
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ |
સઙરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમા: પ્રજા: ॥ ૨૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. ॥ ૨૪ ॥
સક્તા: કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વંતિ ભારત |
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ર્વિકીર્ષુર્લોકેસંગ્રહમ્ ॥ ૨૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે હે ભારત! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઇચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. ॥ ૨૫ ॥
ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસડિગ્નામ્ |
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્ત: સમાચરન્ ॥ ૨૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. ॥ ૨૬ ॥
પ્રકૃતે: ક્રિયમાણાનિ ગુણૈ: કર્માણિ સર્વશ: |
અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ ૨૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની ‘હું કર્તા છું’ એમ માને છે. ॥ ૨૭ ॥
તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયો: |
ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે ॥ ૨૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પણ હે મહાબાહો! ગુણવિભાગ અને કર્મવિભાગના* તત્ત્વને+ જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો. ॥ ૨૮ ॥
* ત્રિગુણાત્મક
પ્રકૃતેર્ગુણસમ્મૂઢા: સજ્જન્તે ગુણકર્મસુ |
તાનકૃત્સ્નવિદો મન્દાંકૃત્સ્નવિન્ન વિચાલયેત્ ॥ ૨૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. ॥ ૨૯ ॥
મયિ સર્વાણિ કર્માણિ સન્ન્યસ્યાધ્યાત્મચેતસા |
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર: ॥ ૩૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળાં કર્મોને મારામાં સમર્પીને ઇચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઇને તું યુદ્ધ કર. ॥ ૩૦ ॥
યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠતિ માનવા: |
શ્રદ્વાવંતોડનસૂયંતો મુચ્યંતે તેડપિ કર્મભિ: ॥ ૩૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માયાનાં કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે પાંચ વિષયો – આ સર્વના સમૂહનું નામ ‘ગુણવિભાગ’ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ ‘કર્મવિભાગ’ છે. + ઉપર કહેલા ‘ગુણવિભાગ’ અને ‘કર્મવિભાગ’થી આત્માને અળગો એટલેકે નિર્લેપ જાણવો, એ જ એમના તત્ત્વને જાણવું છે.જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્વાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. ॥ ૩૧ ॥
યે ત્વેદભ્યસૂયંતો નાનુતિષ્ઠંતિ મે મતમ્ |
સર્વજ્ઞાનમૂઢાંસ્તાંવિદ્વિ નષ્ટાનચેતસ: ॥ ૩૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. ॥ ૩૨ ॥

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors