व्रतेन दीक्षामाप्नोति दीक्षयाप्नोति दक्षिणाम् । दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ॥ ગુજરાતી ભાષાંતરઃવ્રત અર્થાત્ સત્ય નિયમના પાલનથી મનુષ્ય દીક્ષા પ્રાપ્ત કરે છે, દીક્ષાથી ફળ પ્રાપ્ત કરે છે, ફળ પ્રાપ્તિથી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધા દ્વારા સત્ય પ્રાપ્ત કરે છે. यजुर्वेद वया इदग्ने अग्नयस्ते अन्ये त्वे विश्वे अमृता मादयन्ते । वैश्वानर नाभिरसि क्षितीनां स्थूणेव जनां उपमिद्ययन्थ ॥ ગુજરાતી ભાષાંતરઃહે અગ્નિ ! તમારા સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો […]
તારી એક એક પળ જાય સવા લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, સાથે આવ્યો શું લઈ જશો? આવ્યો તેવા ખાલી જશો; જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી… તું તો માળા… જૂઠા જગના જૂઠા ખેલ, મનવા ! મારું તારું મેલ, તું તો છોડી દે ચિંતા આખા ગામની… તું તો માળા… રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાનો ચોર, મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની… તું તો માળા… ભક્તિ ખાંડા કેરી ધાર, ઊંઘણશિનું નહિ કામ; હાંરે મને લાગી રે લગન, આંખે આંસુડાંની હેલી, નંદુ ચેતીને તું ચાલ યમ તણા મારથી… […]
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે… દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે… અખિલ બ્રહ્માંડમાં… પવન તું પાણી તું, ભૂમિ તું ભુધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવા ને, શિવ થકી જીવ થયો એ જ આશે… અખિલ બ્રહ્માંડમાં… વેદ તો એમ વદે, શ્રૃતિ સ્મૃતિ શાખ દે, કનક કુંદળ વિષે ભેદ નો\’ હોયે, ઘાટ ઘડ્યા પછી રૂપ નામ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે… અખિલ બ્રહ્માંડમાં… ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, […]
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં … કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા … ઈશ્વર પડ્યો નથી રસ્તામાં … સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે, સાચું છે એ પરમેશ્વર છે … પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં … રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા, એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા, નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં, નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં, પણ નશીબ હોય […]
ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે ગોવિન્દ નામ લે કર ફીર પ્રાણ તનસે નીકલે શ્રીગંગાજીકા જલ હો યા યમુનાજીકા પટ હો મેરા સાંવરા નીકટ હો જબ પ્રાણ તનસે નીકલે શ્રી વૃદાવન સ્થલ હો મેરે મુખમેં તુલસી દલ હો વિષ્ણુ ચરણકા જલ હો જબ પ્રાણ તનસે નીકલે શ્રી સોહના મુકુટ હો મુખડે પે કાલી લટ હો યે હી ધ્યાન મેરે ઘટ હો જબ પ્રાણ તનસે નીકલે સન્મુખ સાઁવરા ખડા હો બંસીમેં સ્વર ભરા હો તીરછા ચરણ ભરા હો જબ પ્રાણ તનસે નીકલે જબ અંતકાલ આવે કોઈ રોગના સતાવે યમ […]
જો ગુરુની આંગળીનો અગ્ર ભાગ પ્રમાણમાં ચપટો હોય તો તે વ્યક્તિમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. તેનું મન ચંચળ હોય છે અને એકાગ્રતાનો અભાવ હોય છે. જો ગુરુની આંગળીનો મધ્ય પર્વ લંબાઇમાં વધુ હોય તો તે વ્યક્તિમાં સક્રિયતાનો પણ અભાવ હોવાનું જણાય છે. તેનાથી વિરુદ્ધ તે મોટેભાગે કલ્પના પ્રિય અને તર્કમાં કુશળ હોવાનું જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે. જો ગુરુની આંગળીનો અગ્રભાગ અણીવાળો અથૉત્ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિ હોશિયાર અને કોઇ કળાના ક્ષેત્રમાં અગ્રણી હોવાનું પણ જણાય છે. જોકે, તેનામાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ […]
વિદ્યાની દેવી સરસ્વતી શારદા એટલે કે દેવી સરસ્વતી, જેને આપણે વિધ્યાની દેવી તરીકે પુજીએ છીએ. આ દેવી શારદાનો મહિમા એટલો અપરંપાર છે કે સૃષ્ટિ રચયિતા બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ અને સૃષ્ટિનો વિનાશ જેમના હાથમાં છે તે દેવાધિદેવ મહાદેવ પણ અર્ચના કરે છે. દેવી સરસ્વતી જ્ઞાનની સૌરભ પ્રસરાવનારી છે, શીતળતા આ૫નારી છે અને તેનાથી સાચા વૈભવના દર્શન થઈ શકે છે. દેવી શારદાની શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરનારને તેના જીવનમાં શાંતિ, શિતળતા, શોભાની અભિવૃધ્ધિતો થાય જ છે. પરંતુ તે સમગ્ર સમાજને જ્ઞાનરૂપી પ્રકાશ આપીને તેને નવજીવન બક્ષે છે. દેવી સરસ્વતીના સાચા ભક્ત થવા માટે સાચો […]
કોઇ પણ પૂજા, જપ વગેરે કર્યા બાદ અગ્નિમાં આપવામાં આવતી આહુતિની પ્રક્રિયા હવનના રુપમાં પ્રચલિત છે. કોઇ ખાસ ઉદ્દેશથી દેવતાઓને આપવામાં આવતી આહુતિ એટલે યજ્ઞ. જેમાં દેવતા, આહુતિ, વેદમંત્ર, દક્ષિણાનો સમાવેશ થાય છે.પુત્ર પ્રપ્તિની કામનાથી પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવવામાં આવે છે, જે મહારાજા દશરથે કરાવતા શ્રીરામ સહિત ચાર પુત્ર પ્રાપ્ત થયા હતા. અશ્વમેઘ યજ્ઞ માટે એવું કહેવામાં આવે છે કે જે સો વાર આ યજ્ઞ કરે તેને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય છે. રાજાઓ રાજસૂય યજ્ઞ કરાવતા હતા. યુધિષ્ઠિરે પોતાની કીર્તિ જાળવી રાખવા અને પોતાના રાજ્યની સીમાઓ વધારવા માટે રાજસૂય યજ્ઞ કરાવ્યો […]
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે, અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી, જેમાં કન્યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્માં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે, અને આ સૌભાગ્યવશ પોતાના કપાળે ચાલ્લો આમ, સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે. ઓમ ઇષ એકપદી ભવ ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય શક્તિ મળે . ઓમ […]
ભક્ત ભગવાનની પૂજામાં ફળ, જળ, પત્ર, ફૂલ વગેરે પૂજા સામગ્રીનો ઉપયોગ કરી તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. ભકત દ્વારા ઉપયોગમાં લેવાતી આ પૂજા સામગ્રી તો માત્ર પ્રતિક સમાન છે. અસલ વસ્તુ ભક્તનો પ્રભુ પ્રત્યેનો ભાવ છે, અને પ્રભુ તે ભાવના આધારે જ પોતાના ભક્તની ભક્તિનું મૂલ્યાંકન કરતા હોય છે, અને ખુદ ભક્ત પણ આ વાત સારી રીતે જાણતો હોય છે. પરંતુ જેમ નિરાકાર ઈશ્વરની ઉપાસના માટે આપણે સાકાર પથ્થરની મૂર્તિ સામે બે હાથ જોડીને ઉભા રહીએ છીએ તેમ ભક્તની સાચી ભક્તિ તેની સાચી ભાવના ઉપર જ આધારીત હોય છે […]