દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૬૧ થી ૭૨

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૬૧ થી ૭૨

તાનિ સર્વાણિ સન્યમ્ય યુક્ત આસીત મત્પર: |
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઇને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ॥ ૬૧ ॥
ધ્યાયતો વિષયાન્ પુંસ: સઙસ્તેષૂપજાયતે |
સઙાત્સગ્જાયતે કામ: કામાત્ક્રોધોડભિજાયતે ॥ ૬૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાયછે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ॥ ૬૨ ॥
ક્રોધાદ્ભવતિ સમ્મોહ: સમ્મોહાત્સ્મ્રુતિવિભ્રમ: |
સ્મ્રુતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ ૬૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મ્રુતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મ્રુતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઇ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. ॥ ૬૩ ॥
રાગદ્ધેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ર્વરન્ |
આત્મવશ્યૈર્વિધેયાત્ પ્રસાદમધિગચ્છતિ ॥ ૬૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્ધેષ વિનાની ઇન્દ્રિયો દ્ધારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંત:કરનની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. ॥ ૬૪ ॥
પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યોપજાયતે |
પ્રસન્નચેતસો હ્રાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે ॥ ૬૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અંત:કરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુ:ખોનો અભાવ થઇ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઇને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઇ જાય છે. ॥ ૬૫ ॥
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના |
ન ચાભાવયત: શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ॥ ૬૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ર્વયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંત:કરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? ॥ ૬૬ ॥
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુ વિધીયતે |
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ॥ ૬૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. ॥ ૬૭ ॥
તસ્માદ્ધસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ: |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તેથી હે મહાબાહો! જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહીત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે. ॥ ૬૮ ॥
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સન્યમી |
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને: ॥ ૬૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનન્દની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે; અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. | ૬૯ ॥
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશંતિ યદ્ધત્ |
તદ્ધત્કામા યં પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્રોતિ ન કામકામી ॥ ૭૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઇ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઇચ્છનારો નહી. ॥ ૭૦ ॥
વિહાય્ કામાન્ ય: સર્વાન્ પુમાંશ્ર્વરતિ નિ:સ્પૃહ: |
નિર્મમો નિરહઙાર: સ શાંતિમધિગચ્છતિ ॥ ૭૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે પુરુષ સઘળી કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઇને વિચરે છે તે જ શાંતિને પામેલો છે. ॥ ૭૧ ॥
એષા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ |
સ્થિત્વાસ્યામંતકાલેડપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥ ૭૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! આ બ્રહ્મને પામી ચુકેલા પુરુષની સ્થિતિ છે: આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઇને બ્રહ્માનન્દને પામી જાય છે. ॥ ૭૨ ॥
ૐ તત્સદિતિ શ્રામદ્ધગવદ્ધીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્ધાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્ધીતિયોડધ્યાય: ॥ ૨ ॥

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors