ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૩૨ થી ૪૨

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૩૨ થી ૪૨
એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે |
કર્મજાંવિદ્વિ તાંસર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આવા બેજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સમ્પન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબન્ધનથી પૂર્ણ રીતે છૂટી જઇશ. ॥ ૩૨ ॥
શ્ર્યાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞ: પરંતપ |
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. ॥ ૩૩ ॥
તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા |
ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિન: ॥ ૩૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃએ જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે; એમને યોગ્ય રીતે દન્ડવત્ પ્રણામ કરવાથી , એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્ત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. ॥ ૩૪ ॥
યજજ્ઞાત્વા ન પુંર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ |
યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥ ૩૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાન્ડુપુત્ર! જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિ:શેષભાવે પહેલાં પોતાનામાં* અને પછી મુજ સચ્ચિદાનન્દઘન પરમાત્મામાં જોઇશ.+ ॥ ૩૫ ॥
અપિ ચેદસિ પાપેભ્ય: સર્વેભ્ય: પાપકૃત્તમ: |
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસિ ॥ ૩૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિ:સન્દેહ આખા પાપ-સાગરને સારી રીતે પાર કરી જઇશ.॥ ૩૬ ॥
યથૈધાંસિ સમિદ્વોડગ્નિર્ભસ્મસાત્કુરુતેડર્જુન |
જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥ ૩૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે અર્જુન! જે રીતે ભડભડતો અગ્નિ ઘણાંબધાં ઇન્ધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. ॥ ૩૭ ॥
ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે |
તત્સ્વયં યોગસંસિદ્ધ: કાલેનાત્મનિ વિન્દતિ ॥ ૩૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સન્દેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્વાંત:કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. ॥ ૩૮ ॥
શ્રદ્ધાવાંલ્લભતે જ્ઞાનં તત્પર: સન્યતેન્દ્રિય: |
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃજિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલમ્બે તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઇ જાય છે. ॥ ૩૯ ॥
અજ્ઞશ્ર્વાશ્રદ્ધાનશ્વ સંશયાત્મા વિનશ્યતિ |
નાયં લોકોડસ્તિ ન પરો ન સુખં સંશયાત્માન: ॥ ૪૦ ||
ગુજરાતી ભાંષાતર ઃપણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ર્વિતપણે ભ્રષ્ટ થઇ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ. ॥ ૪૦ ||
યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસંછિન્નસંશયમ્ |
આત્મવંતં ન કર્માણિ નિબન્ધ્નંતિ ધનગ્જય ॥ ૪૧ ||
ગુજરાતી ભાંષાતર ઃ હે ધનંજય! જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંત:કરણના પુરુષને કર્મો નથી બાન્ધતા. ॥ ૪૧ ||
તસ્માદજ્ઞાનસમ્ભૂતં હ્યત્સ્થં જ્ઞાનાસિનાત્મન: |
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥ ૪૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે હે ભરતવંશી! તું હ્રદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઇ જા અને યુદ્ધ માટે ઊભો થઇ જા. ॥ ૪૨ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્યવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનકર્મસન્યાસયોગો નામ ચતુર્થોડધ્યાય: ॥ ૪ ॥

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors