કેવી રીતે કરવામાં આવે છે સોળ શૃંગાર ?

શૃંગારનો ઉપયોગ જો પવિત્રતા અને દિવ્યતાના દ્રષ્ટિકોણથી કરવામાં આવે તો તે પ્રેમ અને અહિંસાનો સહાયક બની સમાજમાં સૌમ્યતાનો વાહક બની શકે છે. માટે જ તો ભારતીય સંસ્કૃતિમાં સોળ શૃંગારને જીવનનું મહત્વનું અને અભિન્ન અંગ માનવામાં આવે છે. આવો, જાણીએ શું હોય છે સોળ શૃંગાર અને કેવી રીતે તે કરવામાં આવે છે…

 

 

 

 

 

 

 

 

શૌચ- શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધિ.

સૌદર્ય પ્રસાધનો- હળદર, ચંદન, ગુલાબ જળ તથા અન્ય સુગંધિત પદાર્થોનું મિશ્રણ શરીર ઉપર લગાવવું.

સ્નાન- સ્વચ્છ, શીતળ કે ઋતુ પ્રમાણે જળની મદદથી શરીરને સ્વચ્છતા અને તાજગી પ્રદાન કરવી.

કેશ બંધન- કેશ એટલે વાળને સ્નાન બાદ સ્વચ્છ કપડાની મદદથી લૂછીને, સુકવીને ઋતુ અનુકૂળ તેલ અને સુગંધિત દ્રવ્યો લગાવી બાંધવા.

અંજન- આંખો માટે અનુકૂળ અને ઔષધિય ગુણોથી સંપન્ન પદાર્થ, જે પાંપણો પર લગાવવામાં આવે છે.

અંગરાગ(અત્તર-સુગંધિત પદાર્થ)- સુગંધિત પદાર્થ જે શરીરના અંગો પર લગાવવામાં આવે છે.

અલતો- હાથ અને પગમાં મહેંદીની જેમ જ લગાવવામાં આવતો સુંદર અને સુગંધિત રંગ.

દંતમંજન- દાંતોને સાફ કરવા અને ચમકીલા બનાવવા.

વસ્ત્ર- ઋતુ અનુકૂળ, દેશ, કાળ, વાતાવરણને ધ્યાનમાં રાખી વસ્ત્રો પહેરવામાં આવે છે.

ભૂષણ- શોભામાં ચાર ચાંદ લગાવી દેનારા સોના, ચાંદી, હીરાના આભૂષણો. મણી અને મોતીમાંથી બનેલા ઘરેણા પણ પહેરવામાં આવે છે.

સુગંધ- વસ્ત્રો ધારણ કર્યા બાદ શરીર પર સુગંધિત દ્વવ્ય લગાવવામાં આવે છે.

પુષ્પહાર- સુગંધિત પદાર્થ લગાવ્યા બાદ ઋતુ અનુસાર ફૂલોની માળા પહેરવામાં આવે છે.

કુમ-કુમ- વાળને ઓળ્યા બાદ સેંથાને સિંદૂરથી સજાવવામાં આવે છે.

તાંબુલ- સારી ગુણવત્તા વાળુ પાન, કેટલાક સ્વાદિષ્ટ અને સુગંધિક પદાર્થો મેળવીને મુખમાં રાખવું.

ભાલ તિલક- મસ્તક પર ચહેરાને અનુરુપ તિલક કે બિંદી લગાવવામાં આવે છે.

દાઢી પરની બિંદી- તમામ શૃંગાર થઇ ગયા બાદ કેટલાક લોકો દાઢી પર પણ કાળો ટીકો કે બિંદી લગાવે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors