મનુષ્યન યાં સુધી અપરાધ કરવા પ્રેરાય છે? * અસત્યગામી હોય છે ત્યાં સુધી. * જયાં સુધી તે અહંકારને અને અજ્ઞાનને વશ હોય છે ત્યાં સુધી.

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના અંતતત્વને પામવાનો ઉપાય શું? * કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મહત્વ સ્વીકારીને નમ્રતાપુર્વક,પ્રેમપુર્વક અને પ્રાર્થનાના ભાવ સાથે તેની પાસે જવું. * પુરેપુરી ધીરજ રાખવી. * આક્રમકતાની વૃતિને કયારેય અવકાશન આપવો. * હ્રદયને આગળા રાખવું.પુરેપુર સદભાવ સાથે અને પ્રેમપુર્વક હ્રદયે મળવું. * નિષ્ઠામાં ઊણપ ના આવવા દેવી. * પુર્વગ્રહોને બાજુએ રાખી સમગ્રતયા દર્શન કરવું.  

વ્યક્તિગત ઇચ્છાઓ કયારે શમી જાય છે ? * વ્યક્તિની ઇચ્છાઓ પરમાત્માની ઇચ્છાઓ સાથે તાદાત્મ સાધે અથવા પરમાત્માની ઇચ્છામાં પોતાની ઇચ્છા રમતી મુકી દે કે પરમાત્માની ઇચ્છાના વિજયમાં પોતાની ઇચ્છાનો વિજય જુએ.  

મનુષ્ય માટે શું ભુશવું મુશ્કેલ છે? ચીટકેલું કલંક.

બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ? *  અહંકાર ભુજાઓ ફેલાવીને વચ્ચે ઉભો છે. *  સ્વાર્થ દિવાલની ગરજ સારે છે. *  ક્રોધ અને લોભ આડખીલી રુપ છે. *  અવિવેક સામી વ્યક્તિને ખીલવા દેતો નથી. *  નમ્રતાનો અભાવ બંધ બારણાનું કામ કરે છે. *  વિશ્વાસનો અભાવ.

મનુષ્ય પોતાના કાર્યમાં કયારે નિરાશ ન થાય ? * આશા દેખાતી હોય ત્યારે. * વિવેકયુક્ત બુધ્ધિ હોય ત્યારે. * સમજણ સહિતની શ્રધ્ધા હોય તો. * અનુભવજન્ય આત્મવિશ્વાસ હોય તો.  

મનુષ્યમાં વિશ્વાસનો અભાવ છે એ શી રીતે નક્કી કરી શકાય? * વર્તમાન અને ભવિષ્યકાળની ચિંતા રહેતી હોય તેના પરથી.

વ્યક્તિએ કઈ બાબતોમાં પ્રમાણભાન ચુકવા જેવું નહી ? * અન્ય સાથે વ્યવહાર કરવામાં. * અન્ય સાથેની વાતચીતમાં. * કામ કરવામાં. * ખાવાપીવામાં. * હરવા-ફરવામાં. * પહેરવા-એઢવામાં. * નહાવા- ધોવામાં -ટુકમાં દેહથી થતી તમામ ક્રિયાઓમાં.

મનુષ્યનું ઉત્તમ આભુષણ કયું? * ઉત્તમ ગુણોથી શોભતું શુધ્ધ ચારિત્ર.

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે? * \’લધુતાસે પ્રભુતા મિલે\’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.  

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors