શિવજીનું રુદ્રાષ્ટકમ नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् । निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥ ગુજરાતી ભાષાંતરઃ હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ કરનાર (અથવા આકાશને પણ આચ્છાદિત કરનાર) હે દિગંબર, હું આપને ભજુ છું. निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् । करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥२॥ ગુજરાતી […]

=બિલીપત્રનું મહત્વ તથા તેના પ્રકારો= =========================== બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે. (૧) અખંડ બિલ્વપત્ર : આનું વિવરણ બિલ્વાષ્ટકમાં આ પ્રમાણે છે : ‘અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં પોતાનામાં […]

શ્રી દત્તાત્રેયના ૨૪ ગુરૂ ગુરૂદત્તાત્રેયે જડ તથા ચૈતન્ય પદાર્થમાંથી સારા ગુણધર્મ ઉતારી તેન ગુરૂ રૂપે સ્થાપ્યા.અને જગતને પરમાત્માનું માર્ગદર્શન આપ્યું આવાં મહામાનવી એ તેમના ૨૪ ગુરૂ ગણ્યાં હતાં. ૧ ધરતીઃ પ્રથમ ગુરૂ ધરતીમાતાને કહે છે કે શરીરનો કચરો ધરતી માતાને આપીએ છીએ તે ધરતી તેમનું ખાતર બનાવી આપને સુંદર મજાનો ખોરાક આપે છે. એક દાણો નાખી અનેક દાણા આપે છે. તમે તેમનાં પર ચાલો, કુદો અથવા ખોદો છતાં પણ તમારા કલ્યાણની ભાવના ધરતી માતા તમારા ઉપર રાખે છે. તમે બીજા પ્રત્યે કલ્યાણની ભાવના રાખી અને તમારી હૃદયની ભાવના કલ્યાણમય બનાવો. […]

બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે. (૧) અખંડ બિલ્વપત્ર : આનું વિવરણ બિલ્વાષ્ટકમાં આ પ્રમાણે છે : ‘અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં પોતાનામાં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન […]

જીવનના સાત પગલા (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો .. અને કુરબાન થવાની આશા છે. (૫) પ્રૌઢાવસ્થા ખુદને માટે કશુ ન વિચારતા… બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ […]

જિંદગી જીવવી એક કળા છે ’ એમ સાંભળીને અનેક લોકોને આશ્ચર્ય જેવું લાગતું હશે, પરંતુ જીવન એક કલા છે એ વાસ્તવિકતા છે. જે લોકો જીવન જીવવાની કળા નથી જાણતા અથવા તેને કલાત્મક કર્તવ્ય નથી માનતા, તેઓ જીવતા હોવા છતાં પણ સારી રીતે નથી જીવી શકતા. ઘણા લોકો જીવનની વિવિધ ઉપકરણો વડે શણગારવાને જ કળા સમજે છે, પરંતુ બાહ્ય પ્રસાધનોથી જીવનને શણગારતા રહેવું એ કળા નથી. આ મનુષ્યની એક લાલચ છે, જેને પૂરી કરવામાં તેને જૂઠો સંતોષ મળતાં હોય એમ લાગે છે. પરિણામે તે એમ માની બેસે છે કે તે જિંદગી […]

દુઃખ કે મુશ્કેલી આવી ૫ડતાં લોકો ચિંતા, શોક, નિરાશા, ભય, ગભરાટ, ક્રોધ, કાયરતા, વિષાદ વગેરે આવેશોથી ગ્રસ્ત થઈ જાય છે અને સં૫ત્તિ આવતાં અહંકાર, મદ, મત્સર, અતિભોગ, ઈર્ષ્યા, દ્રેષ વગેરે ઉત્તેજનાઓમાં ફસાઈ જાય છે. આ બંને પ્રકારની ઉત્તેજનાઓ મનુષ્યની આંતરિક સ્થિતિને રોગીઓ કે પાગલ જેવી બનાવી દે છે. મનુષ્ય માટે આવી સ્થિતિ વિ૫ત્તિ,ત્રાસ, અનિષ્ટ, અનર્થ અને અશુભ ૫રિસ્થિતિ સિવાય બીજું કાંઈ પેદા કરી શકતી નથી. જીવન એક હીંડોળો છે. એમાં આગળ અને પાછળ એમ બંને તરફ હિલોળા આવે છે. એની ૫ર ઝૂલનાર પાછળ અને આગળ એમ બંને તરફ જતાં પ્રસન્ન […]

સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.] [1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. [2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. [3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. [4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો. [5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. [6] દીકરીને સાસરે […]

વ્યવસ્થિત જીવન માટે સૌ પ્રથમ સિદ્ધાંત અને તેના વ્યાવહારિક નિરૂપણની જરૂર છે. ‘કર્તવ્ય’ તેમાં સૌ પ્રથમ આવે છે. પોતાના કાર્યમાં મગ્ન રહેવું અને બીજાના કાર્યમાં ખલેલ ન પહોંચાડવી એ કર્તવ્યની સ્પષ્ટ વ્યાખ્યા છે. જે માણસ હંમેશા બીજાને બતાવવાનો દાવો કરે છે  તે સ્વયં પોતાનો જ રસ્તો નથી જાણતો હોતો.        ઈમાનદારી જીવનનો બીજો સિદ્ધાંત છે. જે કરો તે જ કહો અને જે કહો તે જ કરો. એ મૂળ મંત્ર છે. ઈમાનદારીનું કામ જીવનમાં અનેક ચાલબાજી, ચાલાકી અને છળકપટથી દૂર રહેવાનું છે. ઈમાનદારી મનુષ્ય પ્રત્યે  વિશ્વાસ પેદા  કરે છે અને આ વિશ્વાસ  જ સંપૂર્ણ સુખ  અને સમૃદ્ધિની  જનેતા છે.  ઓછો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors