દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન

દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન

ઉનાળો પ્રવાસીઓનો પ્રિય સમય છે. અને આપણે પર્વતો વિશે વિચારવાનું બંધ કરી શકતા નથી. તેઓ શરીરને ઠંડક આપે છે અને આત્માને આરામ આપે છે અને કોઈપણ મોસમ માટે યોગ્ય છે, ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.દાર્જિલિંગ ભારતનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે દાર્જિલિંગને ભારતમાં હિલ્સની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાર્જિલિંગ, તમે હવામાં ચોક્કસ પ્રકારની હૂંફ અનુભવશો, જેનાથી તમે ઉત્સાહિત અને શાંતિનો અનુભવ કરશો. લીલી લીલી ચાના બગીચાઓ અને હિમાલયના શિખરોનો નજારો સમગ્ર લાગણીમાં વધારો કરે છે. ટૂંકમાં, આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ અને રોવર્સ માટે સ્વર્ગથી ઓછું નથી.
આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે.
આ શહેરનો ઇતિહાસ મધ્ય ઓગણીસમી સદી સુધી જાય છે. શરૂઆતમાં અહીં બ્રિટિશરોએ અહીં એક સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો. ત્યાર બાદ અહીં ચાનું વાવેતર કરવામાં આવ્યું. ભારતમાં ચાલુ રહેલ બહુ થોડા વરાળ એંજીન આ રેલ્વેમાં છે. અહીં બ્રિટિશ સ્ટાઈલની શાળાઓ છે જેમાં ભણવા માટે ભારત અને પડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. બાજુમાં આવેલ કાલિમપોંગ શહેર સાથે મળી ૧૯૮૦ની ગોરખાલેંડનું કેંદ્ર હતી. હાલમાં સક્રીય ગોરખાલેંડનામના અલગ રાજ્યની માંગણીનુમ્ કેંદ્ર પણ દાર્જિલિંગ છે.
દાર્જિલિંગનો ઇતિહાસ બંગાળ, ભૂતાન,સિક્કિમ અને નેપાળના ઇતિહાસ સાથે ગૂંથાયેલો છે. પૂર્વ ૧૯મી સદી સુધીના સમય સુધી દાર્જિલિંગની આસપાસનો પહાડી પ્રદેશ ઐતિહાસિક રીતે ભૂતાન અને સિક્કિમ રાજ્યો દ્વારા નિયંત્રિત હતો અને સિલિગુડીનો મેદાન પ્રદેશ નેપાળ રાજ્ય, દ્વારા નિયંત્રિત હતો અને અહીમ્ અમુક લેપ્ચા કુળના અમુક કુટુંબો રહેતાં હતાં .
૧૯૪૭માં ભારતની આઝાદી પછી, દાર્જિલિઁગને ભારતના પશ્ચિમ બંગાળમાં વિલિન કરવામાં આવ્યું. પર્વતીય શહેર દાર્જિલિઁગ કુરુસિયોંગ કાલિમ્પોંગ અને તેરાઇ ક્ષેત્રના અમુક ક્ષેત્રો મેળવીને દાર્જિલિઁગ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. અહીંની પહાડી ક્ષેત્રની વસતિ બ્રિટિશ સાશન દરમ્યાન અહીં સ્થાયી થયેલ નેપાળી લોકોની છે ૧૯૭૫માં સીક્કીમ નામના નવા રાજ્યની ઘોષણા થઈ. ભારત સરકારે કમને નેપાળી ભાષાને સંવિધાનમાં માન્યતા આપી.
દાર્જિલિઁગ એ દાર્જિલિઁગ સદર ઉપવિભાગનું નગર અને જિલ્લા મુખ્યાલય છે. આ નગર ૬૭૧૦ ફૂટની સરાસરી ઊંચાઈ પર આવેલું છે.[૧] આ શહેર દાર્જિલિંગ હિમાલય પહાડી ક્ષેત્રની દાર્જિલિંગ-જલપહાર પર્વતમાળામાં આવેલી છે જે પશ્ચિમ બંગાળના ઘુમથી શરૂ થાય છે. આ પર્વતમાળા Y આકારની છે. આનો આધાર કથરપહાર અને જલપહાર પર આવેલો છે ઓબ્સર્વેટરી હિલ આગળથી આના બે ફાંટા પડે છે. ઇશાન તરફનો ફાંટો તુરંત નીચે ઉતરી પડે છે જે લેબોંગ ટેકરા પર પુરો થાય છે. વાયવ્ય તરફનો ફાંટો ઉત્તર બિંદુ પરથી પસાર થઈ તુકેવર ચાના બગીચા આગળ પુરો થાય છે. હિમાલયની ઊંચી હિમચ્છાદિત ટેકરીઓની સોડમાં આવેલી ટેકરીઓ આ નગરને ઘેરે છે. નેપાળમાં આવેલ કાંચનજંઘા, વિશ્વની ત્રીજું સૌથી ઊઁચું શિખર જેની ઊંચાઈ ૮૫૯૮ મીટર છે તે અહીંથી સૌથી સારી રીતે દેખાય છે. વાદળ રહીત દિવસે અહીંથી નેપાળનું માઉંટ એવરેસ્ટ શિખર પણ અહીંથી દેખાય છે.
દાર્જિલિંગ ૮૮ કિમી લાંબી દાર્જિલિંગ હિમાલયન રેલ્વે દ્વારા ન્યૂ જલપાઈગુડીથી અથવા સીલીગુડીથી રાષ્ટીય ધોરી માર્ગ-૫૫ દ્વારા પહોંચી શકાય છે.સીલીગુડી અને દાર્જિલિંગ વચ્ચે બસ સેવા અને અન્ય વાહનની સેવા ઉપલબ્ધ છે.સૌથી નજીકનું હવાઈ મથક બાગડોરા ૯૦ કિમી દૂર આવેલું છે

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors