બડકોટ-ઉત્તરાખંડ-ભારતના એક્સપ્લોર કરવા માટેનુ શ્રેષ્ઠ સ્થળ

બડકોટ-ઉત્તરાખંડ-ભારતના  એક્સપ્લોર કરવા માટેનુ શ્રેષ્ઠ સ્થળ

બડકોટ-ઉત્તરાખંડ-ભારતના એક્સપ્લોર કરવા માટેનુ શ્રેષ્ઠ સ્થળ
બડકોટ ઉત્તરાખંડમાં યમુનોત્રી નજીક સ્થિત સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. આ સ્થળ યમુનોત્રીથી 50 કિમીના અંતરે આવેલું છે. લીલાછમ પહાડો, વાદળી આકાશ અને વચ્ચે ખળખળ વહેતી નદી આ જગ્યાની સુંદરતાને બમણી કરવાનું કામ કરે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર એડવેન્ચર કરવાનો મોકો પણ આપશે . બડકોટ તેની પ્રાકૃતિક સુંદરતા અને જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. નેચર લવર્સની સાથે સાથે બર્ડ વોચર્સ અને ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ જગ્યા સ્વર્ગથી ઓછી ઊતરે તેમ નથી.
પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત આ સ્થાન ઉત્તરાખંડના ચાર ધામ સ્થળોની યાત્રા કરતા તીર્થયાત્રીઓ અને ભક્તો માટે એક પડાવ છે. બડકોટ અનેક આશ્રમો અને પવિત્ર મંદિરોથી પથરાયેલું છે. આ ઊપરાંત તે અનેક સાહસિક હાઇકિંગ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ નુ ધર પણ છે બડકોટની આસપાસ જોવાલાયક સ્થળો પણા છે
સૂર્ય કુંડ વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામમાં આવેલ સૂર્ય કુંડનું પોતાનું આગવું મહત્વ છે. કહેવાય છે કે આજે પણ આ ભાગીરથીનો પ્રવાહ આ કુંડમાથી થઈને આગળ વધે છે. આ કુંડોનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દુનિયાભરમાંથી પર્યટકો દર વર્ષે અહીં તેની સુંદરતા જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ કુંડનું પાણી એટલું ગરમ છે કે તેમાં બટેટા ગરમ કરીને ખાઈ શકાય છે. સૂર્યકુંડના પાણીનું તાપમાન 1900F છે.
યમુનોત્રી મંદિર બડકોટનું ધાર્મિક પર્યટક સ્થળ યમુનોત્રી ધામ પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. યમનોત્રીને ચાર ધામોમાંનું એક માનવામાં આવે છે. દિવાળી પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામના દરવાજા ખોલવામાં આવે છે.
હનુમાન ચટ્ટી ભગવાન હનુમાનને સમર્પિત મંદિર છે. આ મંદિર બડકોટથી 36 કિલોમીટરના અંતરે આવેલું છે. ગઢવાલ હિમાલયમાં હનુમાન ચટ્ટી નામની બે જગ્યાઓ છે. એક મંદિર યમુનોત્રી ધામમાં આવેલું છે, જ્યારે બીજું બદ્રીનાથ મંદિર સુધી છે. હનુમાન ચટ્ટી યમુનોત્રી અને ડોડી તાલ વચ્ચે ટ્રેકિંગ માટે જાણીતુ છે.
માઉન્ટ બંદરપુંછ ટ્રેકર્સ અને માઉંટેનીઅર્સ માટે એક લોકપ્રિય સ્થળ છે, જે એક ચેલેંજીંગ ટ્રેકિંગ છે. માઉન્ટ બંદરપુંછના શિખર સુધીનો ટ્રેક ગાઢ જંગલો, આલ્પાઈન ઘાસના મેદાનો અને હિમનદીઓમાંથી પસાર થાય છે, જે આ પ્રદેશની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક આપે છે. 12 કિલોમીટર લાંબો આ ગ્લેશિયર 6316 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.
લાખામંડળ ચકરાતા વિસ્તારમાં આવેલું એક પ્રસિદ્ધ મંદિર છે. મંદિરના દેવતા ભગવાન શિવ છે. લાખામંડળ સંકુલમાં આજે પણ ઘણા મંદિરોના અવશેષો મોજૂદ છે. અહીં ગ્રેફાઇટથી બનેલું શિવલિંગ છે જેના પર પાણી રેડવામાં આવે ત્યારે તે ચમકે છે. એવું માનવામાં આવે છે કે જો આ દ્વારપાલોની સામે કોઈ મૃતદેહ મૂકવામાં આવે અને મંદિરના પૂજારી તેના પર પવિત્ર જળનો છંટકાવ કરે છે, તો તે મૃત વ્યક્તિ થોડા સમય માટે પુન:જીવિત થઈ ઊઠે છે. જીવિત થયા પછી તે ભગવાનનું નામ લઈ ગંગાજળ ગ્રહણ કરી વળી પાછો તેનું શરીર છોડી દે છે. પરંતુ આજ સુધી આનું રહસ્ય કોઈ જણી શક્યુ નથી. આ મંદિર બડકોટથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે.
એપ્રિલ, મે અને જૂન; બડકોટની મુલાકાત લેવા માટે સૌથી કમ્ફર્ટેબલ સમય માનવામાં આવે છે. ત્યારે તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવાથી સુખદ હવામાન હોય છે. જો કે તમે ક્લાસિક હિમાલયન ઠંડીનો અનુભવ કરવા માંગતા હોવ તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી – શિયાળાના મહિનાઓ દરમિયાન બડકોટની મુલાકાત લો. આ સમયે ગરમ કપડાં સાથે રાખો કારણ કે આ મહિનાઓમાં તાપમાન 4-2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ જાય છે.
બડકોટનું સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. જે બડકોટથી લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું છે. એરપોર્ટથી બડકોટ બસ અથવા લોકલ સવારી દ્વારા પહોંચી શકાય છે.

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors