નાનજી કાલિદાસ મહેતા

નાનજી કાલિદાસ મહેતા

સલાહસિક શાહ-સોદાગર અને કર્મનિષ્ઠ ઉદારચરિત ઉદ્યોગપતિ ઇ.સ. ૧૮૭માં જામનગર રાજયના નાના ગામ ગોરાણમાં એમનો દનેમ પિતા કાલિદાસ પરચૂરણ ચીજોના વેપારી તેમના ધાર્મિક સ્વભાવે વૈષ્ણવ સંસ્કારના બીજ રોપ્યાં. માતા જમનાબાઇની કડક પણ વાત્સલ્યપૂર્ણ પ્રકૃતિએ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિ ભાવ પેદા કર્યા અર્ધા રોટલાથી સંતોષ નહિ માની શકનાર બાર વર્ષના કિશેર નાનજીભાઇ ઇ.સ ૧૯૦૧માં દેશી વહાણમાં આફ્રિકાના સફરે ગયા એક ભયંકર સમુદ્રી તોફાનમાંથી સલામત બચી આફ્રિકાના મજંગા નામના ગામમાં વડીલ બંધુ સાથે વેપારમાં જોડાયા મોટાભાઇ ત્યાંથી દક્ષિણ આફ્રિકા ગયા અને નાનજીભાઇ સ્વદેશ પરત આવ્યા દેશમા આવી માતા-પિતાની ગોદમાં ગોઠવાયા પણ દેશમાં ચેન ન પડે. ઇ.સ. ૧૯૦૫માં બીજી સફર ઉપાડી જંગબાર પહોંચ્યા સામાન્ય મહેતાજીની નોકરી મળી. મનની મહેચ્છાને નોકરી કેમ રુચે ? યુગાન્ડાના કમલી નામના એક નાના ગામમાં આવ્યા સખત પરિશ્રમ કરી પોતાને હાથે નાની દુકાન ઊભી કરી સ્વતંત્ર વ્યાપારના શ્રીગણેશ માંડયાં. ધીમે ધીમે એકમાંથી અઢાર દુકાનોના માલિક બન્યા.વળી થોડો સમયદેશમાં આવ્યા ફરી આફ્રિકાની સફર આ વખતે કમલીમાં પહેલી જિનિંગ ફેકટરી નાખી અને થોડા સમયમાં બાવીસ ફૅકટરીના માલિક બન્યાં ઇ.સ. ૧૯૪૨માં યુગાન્ડા સ્યીગર ફેકચરી શરૂ કરી પછી દેશ-પરદેશમાં અનેક ઉદ્યોગ-ધંધા વિકસતા ગયા કેતકીનાં વિશાળ ખેતરો, રબ્બર, ચહા, કોખીના પ્લાન્ટેશન વગેરે ઉદ્યોગમાં બરકત મળતી ગઇ પોરબંદરમાં મહારાણા મિલ્સ શરૂ કરી સ્વદેશથી અનેક સાહસી યુવાનોને પરદેશમાં સ્થિર કર્યા થોડા વખતમાં જ ઉદ્યોગોપતિ તરીકે તેમની નામના પ્રસરી.જીવનની ઉત્તરાવસ્થા તેઓએ પોરબંદરમાં ગાળી રાણાવાવ પાસે સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સની સ્થાપના કરી. નાનજીભાઇએ મેળવેલી સંપત્તિનો યજ્ઞબુદ્ધિથી વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો તેમણે કરોડો રૂપિયાદાન પેટે આપ્યા હતા પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ અને મહિલા કોલેજ સ્થાપી દેશની મહિલાઓની અપ્રતિમ સેવા બજાવી છે. પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થાનું કીર્તિમંદિરમાં રૂપાંતર જવાહર નેહરુ પ્લૅનેટોરિયમ, ભારત-મંદિર અને મર્હિષ વિજ્ઞાન મહાવિધાલય જેવી સંસ્થાઓના સર્જન દ્ધારા ભારતીય સંસ્કૃતિએ ભાખેલું ઋષિઋણ અન્નય ભાવે ચૂકવ્યું છે. તેઓ સમાજસુધારક, ધર્મસુધારક અને કન્યાકેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા. અઢળક સંપત્તિ વચ્ચે પણ એમણે અંગત જીવનમાં ગૌરવપૂર્ણ સાદાઇની જ પ્રતિષ્ઠા કરી હતી. બિ્રટિશ સરકારે એમ.બી.ઇ. નો ખિતાબ, પોરબંદર રાજયે રાજયરત્ન નો ઇલકાબ અને નવાનગર સંસ્થાને ઓર્ડર ઓફ મૅરિટ નું બહુમાન અર્પણ કરેલ.

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors