તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક
અર્જુન બોલ્યા:
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન |
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૧||

ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જો આપ બુદ્ધિને કર્મથી અધિક માનતા હો તો મને આ ઘોર કર્મમાં શા માટે નિયોજીત કરો છો?

વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મેં |
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૨||

ગુજરાતી ભાષાંતરઃ ભળતા વાક્યોથી મારી બુદ્ધિ શંકિત થઇ રહી છે. માટે મને એ એક રસ્તો દેખાડો જે નિશ્ચિંત પ્રકારે મારા માટે ઉત્તમ હોય.

શ્રીભગવાન બોલે

લોકેઽસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ |
જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ || ૩ ||

ગુજરાતી ભાષાંતરઃ શ્રી ભગવાન બોલ્યાઃ હે નિ઼ષ્પાપ! આ લોકમાં બે પ્રકારની નિષ્ઠામારા વડે પહેલા કહેવાઈ ચુકી છેેમનામાંથી સાંખ્યયોગીની નિષ્ઠા જ્ઞાનયોગ દ્રારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્રારા થાય છે.

ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોઽશ્નુતે |
 ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ || ૪ ||

ગુજરાતી ભાષાંતરઃ માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ વિઅના નિષ્કર્મતાને એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગમાત્રથી સિધ્ધિ એટલે કે સાંખ્યનિષ્ઠાનેપામી શકે છે.

ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ |
> કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ || ૫ ||

ગુજરાતી ભાષાંતરઃ ખરેખર કોઈપણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના ન્રહેતો;કેમકે આખાય મનુષ્યસમુદાયને પ્રકૃતિજનિત ગુણ્વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે.

કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ |
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે || ૬ ||
ગુજરાતી ભાષાંતરઃ જે મૂઢબુધ્ધિનો મનુષ્ય સધળિ ઈન્દ્રિયોને હઠપુર્વક ઉપર-ૌપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનુંચિંતન કરતો રહે છે,તે મિથ્થાચારી અથવા દંભી કહેવાય છે.

યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન |
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે || ૭ ||

ગુજરાતી ભાષાંતરઃ હે અર્જુન! જો મનુય મન વડૅ ઇન્દ્રીયોંને વશમાં કરી અનાસકત થઈને સધળી ઇન્દ્રીયોં દ્રારા કર્મયોગનું આચરણ કરે છે,તે યોગી શ્રેષ્ઠ છે.

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ |
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ || ૮ ||

ગુજરાતી ભાષાંતરઃ આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, એમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિધ્ધ નહી થાય.

યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધનઃ |
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગઃ સમાચર || ૯ ||

ગુજરાતી ભાષાંતરઃ યજ્ઞનિમિતે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઈને જ  આ મનુષ્ય-સમુદાય કર્મોથી બંધાય છે, માટૅ હે અર્જુન! તું આસકિત વિનાનો થઈને તે યજ્ઞનિમિતે જ સારી રીતે કર્તવ્યકર્મ કર.

સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ |
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ || ૧૦ ||

ગુજરાતી ભાષાંતરઃ પ્રજાપતિ બહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞસહિત પ્રજાઓન્ર દર્જીને તે પ્રજાઓને કહ્યુ કે તમે આ યજ્ઞ દ્રારા વૃધ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઇચ્છિત ભોગ આપનાર થાઓ.

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors