\”ધર્મની અપુરતી સમજ સિવાય ધર્મને વિશેષ કશાનો ભય નથી\” સતરમી સદીમાં લખાયેલુ આ વાકય આજે પણ સાચુ લાગે છે કે જેને ધર્મની પુરી સમજ નથી ધર્મવિશે જેને ગેરસમજ છે તેવા લોકો ખરેખર ધર્મના પોષાકને જ જાણે છેધર્મને નહિ મનુષ્યનો એકજ ધર્મ હોય એ અને તે છે માણસાઈ. અમેરિકાના એક કવિ વોલ્ટ વ્હિટમને એક કાવ્યમાં એવુ લખ્યું છે કે મને મનુષ્યો કરતા પશુઓ ગમે છે કારણ કે મનુષ્યો હંમેશા ધર્મ વિશેનીજ વાતો કરતા હોય છે જયારે પશુઓ ધર્મની વાતો કરતા નથી. આપણે તો અધર્મની કક્ષાએ ધર્મની વાતો કરીએ છીએજેમકે ધર્મને લઈને […]
ઇશ્વાશુવંશ ની નામાવલી પ્રથમ સૃષ્ટિના આદિમાં અવ્યકત બ્રહ્મથી શાશ્વત,નિત્ય તથા અવ્યય એવા બ્રહ્મદેવ ઉત્પન્ન થયા એ બ્રહ્મદેવથી મરિચિ ઋષિ ઉત્પન્ન થયા મરિચિના પુત્ર કશ્યપ કશ્યપ પુત્ર સૂર્ય સૂર્યથી પ્રજાપતી વૈવસ્વત મનુ વૈવસ્વત મનુથી ઇશ્વાકુ ઉત્પન્ન થયા જે અયોધ્યામાં પહેલા રાજકર્તા થયા ઇશ્વાકુનો પુત્ર કૃક્ષિ કૃક્ષિનિ પુત્ર વિકૃક્ષિ વિકૃક્ષિનો પુત્ર બાણ(મહાતેજસ્વી બાણાવલી) બાણનો પુત્ર મહાસમર્થ અનરણ્ય અનરણ્યનો પુત્ર થૃયુ થૃયુનો પુત્ર ત્રિશંકુ ત્રિશંકુનો પુત્ર ધંધુમાર ધંધુમારનો પુત્ર યુવાનાશ્વ યુવાનાશ્વનો પુત્ર માંધાતા માંધાતાનો પુત્ર સુસંધિ સુસંધિના બે પુત્રો થયા સુસંધિના બે પુત્રો(૧)ધ્રુવસંધિ(૨)પ્રસેનજિત ધ્રુવસંધિનો પુત્ર અસિત અસિતનો પુત્ર સગર સગરનો પુત્ર અસમંજ અસમંજનો […]
ગાયત્રી – ૨૪ બીજ શક્તિઓ : યોગસાધનાના અનેક માર્ગો છે.એ બધા પૈકી\’ગાયત્રી માર્ગ\’ એક છે. ગાયત્રીની સાધના પણ એ દેવશક્તિઓ સાથે સાધક સંબંધ સ્થાપી શકે છે અને \’ઈચ્છા\’મુજબ તે દ્રારા લાભ પણ મેળાવી શકાય છે. ગાયત્રીના ૨૪ અક્ષરો ખરેખર ૨૪ બીજ શક્તિઓ છે – પૃથ્વી,પાણી,તેજ,વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વો તો મુખ્ય છે જ. પરંતુ એ સિવાયનાં બીજા ૨૪ તત્ત્વોનું વર્ણન સાંખ્યદર્શનમાં આવી છે,તેનું જ નામ ગાયત્રી છે. ગાયત્રીના ૨૪ અક્ષરો ૨૪ માતૃકાઓની મહાશક્તિઓનાં પ્રતીક છે. એ બધાની ગૂંથણી એવા વૈજ્ઞાનીક ક્રમમાં થઈ છે કે આ મહામંત્રનો ફકત ઉચ્ચાર કરવાથી […]
મનુષ્ય ઇચ્છાઓનું પોટલું છે. તેની ઇચ્છાઓનો કોઇ અંત નથી. એક ઇચ્છા પૂરી થતાં બીજી ઇચ્છા તરત પ્રગટે છે. જો તે ૧૦૦ કરોડનો આસામી હશે તો તેને ૨૦૦ કરોડનો આસામી બનવાનું મન થશે. આ મનનું શું છે? તે આપણે જોઇએ. મન એક સુંદર યંત્ર છે. મન અસ્તિત્વના ચમત્કારોનો એક ચમત્કાર છે. વૈજ્ઞાનિકો બધું જ કરી શકયા પણ માનવ મન જેવું કાંઇ જ નથી બનાવી શકયા. આ દિશામાં તેમણે જે કાંઇ પ્રયત્ન કર્યા હશે તે બધા નિષ્ફળ ગયા છે. તેમાં સફળતા મળી નથી. મનને ઓળખવામાં કમ્પ્યૂટર પણ થાય ખાઇ જાય છે. માનવ […]
ક્રોધી મનુષ્ય રાક્ષસ જેવો દેખાય છે. એમ કહેવાતું હતું કે રાક્ષસને માથે બે શગડાં હોય છે. તે દેખાવમાં ભારે કદરૂપો તથા બિહામણો હોય છે. તેનું પેટ મોટું , નારિયેળ જેવડું નાક, એટલે રાક્ષસ, રાક્ષસ હસે ત્યારે જાણે ગુફા ફાટી. આ બધાં વર્ણન વાળો રાક્ષસ આપણો ્ફ સિરિયલ મહાભારત, રામાયણ કે શ્રીકાૃષ્ણ સિરિલયલમાં જોયો હશે. આજે આવા વરવા દેખાવવાળા મનુષ્યને જોવો હોય તો કોઇ ગુસ્સે થયેલા મનુષ્યને જુઓ. તેને પણ અરીસો બતાવો. તે પોતાની જાત અરીસામાં જોઇને જ રાક્ષસને પ્રત્યક્ષ મળ્યાની વાતને અનુમોદન આપશે. ક્રોધ એ વ્યકિતની માનસિક નિર્બળતાનું લક્ષણ છે. […]
જેને સુખી થવું છે તેણે બીજાને સમજવાની અને બીજાને સમજાવવાની બાબતોનો દૃષ્ટિકોણ રાખવો આવશ્યક છે. આ દૃષ્ટિકોણ રાખનાર કદી દુઃખી થતો નથી. તેના જીવનમાં બિનજરૂરી વિવાદ, ઝગડા, કલેશ, કંકાસ હન આવે. તેથી તે કદી દુઃખી પણ થતો નથી. જીવનમાં દરેક વ્યકિત સુખી થવા માગે છે. તે માટે દરેક પોતાને અનુકુળ રસ્તો પસંદ કરે છે. ઊંચંુ જીવન જીવવાની ઇચ્છા રાખે છે. તે માટે તેણે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડે છે તે પૂરા કરવા તેને માટે ત્રણ પગલાં છે. જે પગલાં મુજબ તે જો ચાલે તો તે સુખી થઇ શકે છે. (૧)આત્મનિરીક્ષણ (૨) […]
સામાન્યરીતે હદુઓ મહદંશે દિવાળીના દિવસોમાં જ મીણબત્તી પ્રગટાવે છે. ક્રિશ્ચિયન લોકો તેમના દરેક તહેવાર અથવા અંગત પળોમાં કે રાત્રે ડીનર લેતી વખતે કેન્ડલ (મીણબત્તી) વાપરે છે. ઇકો ફ્રેન્ડલી મીણબત્તી એવી છે કે કલાકો સુધી ચાલે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ મીણબત્તીનું મીણ મધમાખીનું મીણ વપરાયું હોય છે. જે ખૂબ ધીમા કલાકે બળે છે. તે વધુ સમય સુધી જલે છે. ઊનાળાના શુષ્ક દિવસોમાં જો ઘરમાં આળસ તથા ગરમી પ્રવેશી ગયાં હો તો ઘરના એક ખૂણામાં એક મીણબત્તી પ્રગટાવી દો. તમારો રૂમ તાજગી ભર્યો તથા સુગંધીદાર બની જશે. આ […]
શહેરની કેટલીક સુંદર યુવતીઓ કે કોલેજ કન્યાઓ આજકાલ મોબાઇલ રોમિયોના ત્રાસથી પરેશાન થઇ ગઇ હોવાનો વ્યાપક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. જયારે આવી યુવતીઓ કે કોલેજ કન્યા ફોન કે સીમકાર્ડ રિચાર્જ કરાવવા જાય ત્યારે જો તે થોડી સાવધ રહેશે તો રોડ રોમિયો કે મોબાઇલ રોમિયોના ત્રાસથી છૂટકારો મેળવી શકશે. તાજેતરમાં અમરાઇવાડીમાં રહેતી એક સાધના નામની સુંદર કોલેજ કન્યા (નામ બદલ્યું છે) પોતાનો મોબાઇલ રિચાર્જ કરાવવા ગઇ ત્યારે તેને ખ્યાલ ન આવે તેમ દુકાન બહાર ઉભેલા કેટલાક લુખ્ખાં તત્ત્વોએ તેનો ફોન નંબર લખી લીધો હતો. ત્યારબાદ તે જયારે ઘેર પહાચી ત્યારે આ […]
હસમુખો ચહેરો દરેકને ગમે છે. જો કોઇનો ચહેરો હસમુખો હોય તો આપણને તેની સાથે વાત કરવી ખૂબ ગમે છે. તેમાંય જો તે વ્યકિત સુંદર તથા હસમુખી સ્ત્રી હોય તો આપણે પણ સાતમા આસમાનમાં ઉડવા લાગીએ છીએ. એમ કહેવાય છે કે સુંદર ચહેરો હોય અને તે ચહેરા પર નિરંતર હાસ્ય રમતું હોય તો તે વ્યકિત કયાંય નિષ્ફળ જતી નથી. તાજેતરમાં તમે ્ફ ઊપર શશી થરૂરનો ચહેરો જોયા હશે તે સદાય હસતો જ દેખાતો હતો. તેને પડેલી મુશ્કેલી દરમિયાન પણ તે હસમુખા જ દેખાતા હતા. આજકાલ યુવતીઓમાં નવો જ ટ્રેન્ડ છલકાઇ રહ્યો […]
પત્ની એટલે સહધર્મચારિણી. પતિનું અર્ધું અંગ. પતિનાં સુખ, દુઃખમાં સદૈવ અગ્રેસર રહેતું પતિનું અર્ધું અંગ. પત્ની એટલે સંસાર રથનું બીજું પૈડું. એક પૈડું. પતિ તો બીજું પૈડું પત્ની. આ બંને પૈડાં એકસરખાં હોય એટલે સંસાર રથ સડસડાટ ચાલ્યા કરે છે. તેમાં રસ્તો ઊબડખાબડ આવે તો પણ રથ સડસડાટ ચાલ્યા કરે છે. પતિ જયારે કોઇ લગ્નસમારંભમાં હાજરી આપવા જાય, કોઇના ઘેર કોઇ પ્રસંગ માણવા જાય કે કોઇપણ કામે જાય તો તેની સાથે તેની પત્ની શોભે. પત્ની એટલે પતિનું સર્વસ્વ. પત્ની બાળકોની માતા છે તો ઘરની રાણી છે. તેના થકી જ ઝૂંપડી […]