સારામા સારી જીવનશૈલી કઈ છે? દુનિયામાં રહેવાથી જ્યારે આપણે જીવવાંના એક ઢંગથી કંટાળી જઈએ છીએ ત્યારે આપણે બીજા જીવન ચર્યામાં પ્રવેશ કરી જઈએ છીએ. ચેંજના ચક્કરમાં માણસ ચક્કરધિન્ની થઈ જાય છે. આવી રીતે પણ જીવી શકાય છે. તેને જોઈને જીવીયે જે બધાને જોઈ રહ્યો છે. આને સીધી ભાષામાં એમ કહી શકાય કે ભક્ત બની જાવ અને પોતાના પુરૂષાર્થ, આત્મવિશ્વાસને ભગવાનના ભરોસા પર છોડી દો. પરિશ્રમ આપણુ રહે અને પરિણામ એનુ રહે. આનો સીધો જ અર્થ છે કે શ્રમ આપણે કરીએ અને ફળ પરમાત્મા પર છોડી દઈએ. આધ્યાત્મમાં આને જ નિષ્કામતા […]

સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ? ૦ સ્વાનુભવ ૦ સાચી સમજદારી. ૦ એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન. ૦ એને કરેલું તપ અથવા એની સાધના. ૦ આચરેલો ધર્મ. ૦ આપેલું દાન. ૦ જીવનમાં વણાયેલું સત્ય. ૦ એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.

||  મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા || દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા સુખાકારીને બદલે સુરક્ષામાં વધુ વપરાય છે. વિશ્વમાં સૌથી વધુ ગરીબો આજે ભારતમાં વસે છે.૪૨% ભારતીય ગરીબીરેખા નીચે જીવે છે.ભારતના ૮ રાજયોની ગરીબીનું સ્તર અફ્રિકાના ૨૬ સૌથી ગરીબ રાષ્ટ્રો કરતા પણ વરવું છે. ભારતમાં દર ૧૫ […]

શિવમહિમ્ન સ્તોત્ર -પુષ્પદંત પુષ્પદંત ઉવાચ || મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: | અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 || ગુજરાતી અનુવાદઃ હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે […]

શિવજીનું રુદ્રાષ્ટકમ नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् । निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥ ગુજરાતી ભાષાંતરઃ હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ કરનાર (અથવા આકાશને પણ આચ્છાદિત કરનાર) હે દિગંબર, હું આપને ભજુ છું. निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् । करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥२॥ ગુજરાતી […]

મનુષ્યની નિંરાંત કોણ ઝુંટવી લે છે ? ૦ ત્રુષ્ણા. ૦ લોભવ્રુતિ. ૦ સંગ્રહવ્રુતિ. ૦ કીર્તિની લાલસા. ૦ અસંતોષીનો સહવાસ. ૦ મહત્વકાંક્ષા. ૦ અહંકાર.

* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે. * ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી. * જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું તમે બીજાઓને તમારો પ્રેમ આપો છો?છે ને આશ્ચર્ય ! * જયારે આપણે નાની- નાની ચીજો પર ધ્યાન આપીએ છીએ.ત્યારે મહાન ઉન્નતિ થાય છે,પરંતુ મહાન ઉન્નતિ કોઈ નાની ચીજ […]

રોજ મળુ  સ્વપનમાં હું તને , છતાંય મિલનની આશા રાખું છું. તારાં એ હાસ્યની લહેરોને, હું મારા અશ્રુનાં સમંદારમાં રાખું છું. નજર લાગે નહિ કોઈની તને,તેથી હું તને મારી નજરોમાં રાખુ છું. તારો પડછાયો બનીને રહી શકું,તેથી તેને હ્રદયના પાલવમાં રાખુ છું. મારી દષ્ટિને પારખી શકે તું.તેથી મારી જાતને એકાંતમાં રાખું છું. જાણ થાયનહિ તને મારી પ્રિતની, તેથી મારા હાલને ગઝલમાં રાખુ છું. દુઃખી થાવ નહિ કયારેય તેથી  જ, હું ખુશીનું સ્મરણ મનમાં રાખું છું. વિજય જેઠવા

જીવનના સાત પગલા (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો .. અને કુરબાન થવાની આશા છે. (૫) પ્રૌઢાવસ્થા ખુદને માટે કશુ ન વિચારતા… બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ […]

*  પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. દયાનંદ સરસ્વતી * દરરોજ ઇશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે. સ્વામી રામતીર્થ. * પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. મુહમ્મદ સાહેબ * પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે. મહાભારત. * નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે. વિષ્ણુ પુરાણ

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors