મનને સન્માર્ગે વાળાવા શું કરવું? સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળ ન કરવી. સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.