દરેક વ્યક્તિના જીવનમાં કયારેક એવો પ્રસંગ આવે છે જયારે તેને સંધર્ષ કરવો પડતો હોય છે આમ તો માનવીનું જીવન પણ હરએક પણ સંધર્યમય હોય છે.તેને સંધર્ષ કોઈ સાથ આપનાર મળે છે તો કયારેક સંધર્ષ એકલા હાથે કરવો પડે છે.
JAI SHREE KRISHNA….HAPPY JANMASHTAMI
કૃષ્ણલાલ શ્રીધરાણી: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર ઈ. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે હ્રદય બંધ પડી જવાથી ૪૯ વર્ષની વયે જેમનું અવસાન થયું તે ડૉ.કૃષ્ણલાલ શ્રીધરાણી ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના કલમકશ તરીકે તેમજ વિશ્વમાન્ય પત્રકાર તરીકે અને સ્વદેશની આઝાદીની ભાવનાના વિદેશમાં પ્રચારક અને પ્રતિનિધિ તરીકે તેમણે જે ખ્યાતિ મેળવી હતી તે જેટલી ઊજળી અને ઉચ્ચ છે તેથીયે ઉચ્ચ છે તેમની કવિ તરીકેની પ્રતિભા. ઈ. ૧૯૪૫ પછી તેઓ કલકત્તાના ‘અમૃતબજાર પત્રિકા‘ના ખાસ ખબરપત્રી તરીકે નિમાયા હતા. તદુપરાંત ‘ન્યુયૉર્ક ટાઇમ્સ‘, ‘વૉગ‘, ‘કરન્ટ હિસ્ટરી‘, ‘સેટરડે રિવ્યુ ઑવ લિટરેચર‘, ‘ન્યુયૉર્ક હેરૉલ્ડ ટ્રિબ્યૂન‘, ‘દ વિલ્ટ હામ્બુર્ગ‘ […]
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા. આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (પંતપ્રધાન કે મુખ્ય મંત્રી કે Chief Minister) ડો. જીવરાજ મહેતા. ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ઈસ ૧૮૮૭માં થયો. આઠ ભાઈબહેનોમાં સાતમું સંતાન. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી. પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી ડો. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે ૧૯૦૯માં લંડન (ઈંગ્લેંડ) ગયા. તેમણે લંડનમાં એમડી અને એમઆરસીપી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. છ એક વર્ષના લંડન-નિવાસ દરમ્યાન ડો. જીવરાજભાઈ આપણા રાષ્ટ્રીય નેતાઓ ગાંધીજી, ગુરુદેવ રવીન્દ્રનાથ […]
‘વનેચર’ ના ઉપનામથી આખું ગુજરાત જેમને ઓળખે છે તે ખ્યાતનામ પ્રકૃતિવિદ્ હરિનારાયણ આચાર્યનો જન્મ વિરમગામમાં ૨૫-૮-૧૮૯૭ના રોજ થયો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઈમાં ગાળ્યો હતો એમનું સંસ્કૃતનું તથા વેદાંતના વિષયોની પારંગતતા અને બહુશ્રુતતાને લીધે વિદ્યાર્થીઓમાં તેઓ અત્યંત પ્રિય થઈ પડ્યા હતા. પ્રકૃતિ વિજ્ઞાનમાં એમનો પ્રવેશ એમ લેખ વાંચીને થયો. ફુરસદના સમયે ચોતરફ ભટકીને પ્રાણીજીવનના વિવિધ પાસાઓનું જ્ઞાન એમણે સંપાદન કર્યું. પ્રાણીજીવન, વનસ્પતિ સૃષ્ટિના પ્રચાર-પ્રસાર અર્થે તેમણે અમદાવાદ ‘પ્રકૃતિ’ ત્રૈમાસિક શરૂ કર્યું પ્રકૃતિ વિજ્ઞાનની એમની ગુણવિશેષતાને લીધે ૧૯૪૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. એમના પ્રયાસથી […]
જન્મઃ જન્મ ઈ.સ. ૧૮૬૮માં અમદાવાદ અભ્યાસઃ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ વકીલાત કુટુબઃમાતાનું નામ રૂપકુંવરબા પિતાઃ મહીપતરામ પત્નિઃ પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં દિકરીઃ વિનોદિની નીલકંઠ વિષેશઃ તેજસ્વી વિધાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજિક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકનશક્તિએ માનવ સ્વભાવનાં અનેક પાસાં જોયાં. તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃત્તિ જાગી ઊઠી અને ‘ભદ્રંભદ્ર’નું સર્જન થયું. ઉપરાંત ‘રાયનો પર્વત’, ‘ધર્મ અને સમાજ’ તેમજ ‘હાસ્ય મંદિર’ એ તેમની […]
ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને […]
ત્રિક્ સ્થાનો : એક અભિનવ ર્દષ્ટિકોણ જન્મકુંડળીમાં છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનોને કનિષ્ઠ સ્થાનો તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રીય ર્દષ્ટિએ ૧-૪-૭-૧૦ એ સ્થાનો કેન્દ્ર-સ્થાનો છે. ૨-૫-૮-૧૧ એ પણ-ફર સ્થાનો છે અ ને ૩-૬-૯-૧૨ એ આપોકિલમ સ્થાનો છે. એટલે આઠમું સ્થાન પણ ફર અને છઠું-બારમું આપોકિલમ સ્થાનો થયાં. વળી, સ્થાનોની જે ઉપચય- અનુપચય એવી સંજ્ઞાઓ છે, તે મુજબ છઠ્ઠું સ્થાન ઉપચય-સ્થાન અને આઠમું-બારમું અનુપચય-સ્થાનો છે. સ્થાનોમાં આ શાસ્ત્રીય વિભાજનો ઉપરથી સ્પષ્ટ થાય છે કે છઠ્ઠાં, આઠમાં અને બારમાં સ્થાનોને તદ્દન અલગ તારવવામાં આવ્યાં નથી. જો કે ષષ્ઠાષ્ટમાંત્યાનિ ત્રિકસંજ્ઞાનિ એવું એક સૂત્ર […]
સંત ભોજા ભગત ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હતો. આર્થિક દ્રષ્ટિએ સામાન્ય પરંતુ આંતરિક સમૃદ્ધિ અને ભક્તિએ અસામાન્ય હતા. બાલ્યબાળમાં ઈશકૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુ તેમના દર્શન આવવા લાગ્યા. ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમને સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ‘ચાબખા’નામથી જાણીતા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે. […]
બહુશ્રુત પંડિત આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ઈ. ૧૮૬૯માં રાજકોટ મુકામે થયો હતો. અભ્યાસકાળ દરમિયાન જ પિતાએ તેમને ઉત્તર ભારતના પંડિતો પાસે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો. એમ.એલએલ.બી. થઈ એમણે ગુજરાત કોલેજના સંસ્કૃતના અધ્યાપકનું સ્થાન શોભાવ્યું. પોતાની તેજસ્વી કલમ વડે ‘વસંત’ ને ગુજરાતની સંસ્કારિતાનું પ્રતિનિધિ બનાવ્યું. ધીમે ધીમે તે જ દિશામાં આગળ વધતા ભારતભરની તત્વજ્ઞાન પરિષદનું પ્રમુખસ્થાન તેમને પ્રાપ્ત થયું. પછીથી બનારસ યુનિવર્સિટીનું સંચાલન સંભાળી તેને સુવ્યવસ્થિત કરી. હિંદુ ધર્મ, નીતિ રક્ષણ, રામાનુજભાષ્ય(અનુવાદ) વગેરે ગુજરાતી ભાષામાં લખાયેલા તેમના મૂલ્યવાન ગ્રંથો છે. જિંદગીના આખરી મહિનામાં પોતાનું મહામૂલ્યવાન પુસ્તકાલય વર્નાક્યુલર સોસાયટીને ભેટ આપ્યું. […]