(૬) ઓમકારેશ્વર(બાર જયોર્તિલિંગ)

(૬) ઓમકારેશ્વર
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ‍ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે \”હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?\” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે \”તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં આટલું અભિમાન રાખનારને ત્યાં હું કેવી રીતે રહી શકું?\” એમ કહીને નારદજી ચાલ્યા ગયા.
આ સાંભળીને અત્યંત આત્મગ્લાનિ અને ન્યૂનતામાંથી મુક્તિ પ્રાપ્‍ત કરવા માટે ભગવાન શંકરને પ્રસન્ન કરવાના નિર્ધારથી? વિંધ્યરાજ કઠોર તપ કરવા લાગ્યા. અંતે પ્રસન્ન થઈને આશુતોષ ભગવાન પ્રગટ થયા તથા દેવતા અને મુનિઓને પણ દુર્લભ છે એવા પોતાનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન કરાવ્યાં, અને વરદાન આપ્‍યું કે \”હે વિંધ્યરાજ ! અભિમાન રૂપી મળમાંથી શુદ્ધ થઈને હવે તું અમલ (મળરહિત-અમળ) થયો છે, એટલે તારી ઈચ્છા અનુસાર બ્રહ્માજી અને વિષ્‍ણુજી સાથે હું અહીં હંમેશ વાસ કરીશ, આથી સુમેરુ પર્વત જેટલો જ મહાન અને પવિત્ર ગણવામાં આવશે.\”
એમ કહીને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થઈને શિવજી અંતર્ધાન થઈ ગયા.
અમલેશ્વર એટલે ઓમકારેશ્વર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors