ધરગથ્થુ ઉપચારઃ કમરનો દુખાવો-સંધિવા માટે

ધરગથ્થુ ઉપચારઃ કમરનો દુખાવો-સંધિવા માટે
* અજમો અને ગોળ સરખે ભાગે મેળાવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
* સુંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
* સીંઠનું ચુર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.
* ખજુરની પાંચ પેશીનો ઉકાળૉ કરી,તેમાં અર્ધો તોલો મેથી માખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
* સૂંઠ,લસણ, અજ્મો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિસ કરવાથી કમરનો દુખાવો તેમજ દુંખતા સાંધામાં આરામ થાય છે.
* સુંઠ અને હિગ નાખીને તેલ ગરમ કરી તેનું માલિસ કરવાથી કમરનો દુખાવો તેમજ શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે.સાંધાનો દુખાવો પણ મટે છે.
* રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળાવીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
* આદુના રસમાં સહેજ મીંઠુ નાખી તેનું માલિસ કરવાથી સંધિવા દુખાવો મટે છે.ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.
* જાયફળને સરસિયાના તેલમાં ધસી માલિસ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધિવા મટે છે.
* લવિંગનું તેલ ધસવાથી સંધિવા મટે છે.
* ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ૩ ગ્રામ લઈ વાટી,તેનો ઉકાળો બનાવી,તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે.
* સૂંઠ,સાજીખાર અને હિંગનું ચુર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકાળના શુળ મટે છે.
* જિરુ,સિંધવ અને હિંગ ફાકી જવાથી શૂળ મટે છે.
* એક ચમચી શેકેલી ઇંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.
* સૂંઠનો ઉકાળો કરી,તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.
* કોઈપણ પ્રકારના શૂળ – પડખાં,છાતી,હ્રદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરીને તેના પર માલિસ કરવાથી તરત આરામ થાય છે,આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
* મેથીને થોડા ધીમાં શેકી તેનો લોટ કરવો.તેમાં ગોળા,ધી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે.જકડાઈ ગયેલાં અંગો છુટા પડે છે.અને હાથે-પગે થતી કળતર પણ મટે છે.
* કાચા બટેટાની છાલ કાઢયા વગર ટુકડા કરી તેનો રસ કાડી તુરત જ પીવાથી સંધિવામાં ધણો ફાયદો થાય છે.
* તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.
* દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવા ના દર્દીને ખુબ જ ફાયદો થાય છે.દરિયાઈ પાણીથી સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીંઠુ ગરમ પાણીમાં ઓગાળીનેતેનાથી સ્નાન કરવું.
* કૌંચાના બીજ ૧ કિલો લઈને સાંજે પાણીમાં પલાળૉ.સવારે તેનાં ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સુકવી દો. સુકાયા બાદ તેનું ચુર્ણ બનાવી ત્રણ ગ્રામ ચુર્ણ સાથે એક ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યાં પહેલા ગરમ દુધ આથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.
* સૂંઠનો કાઢો બનાવી પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.
* સાંધાના દુખાવામાં કેરોશીન જરા ગરમ કરી માલિસ કરો..

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors