આ કાર્યો નહિ કરવા. જેથી લક્ષ્મીનો વાસ તમારા ધરમાં રહેશે

ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે તમારી દેવી મહાલક્ષ્મીની કૃપા રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈપણ વ્યક્તિ ધન સાથે સંતુષ્ટ નથી થઈ શકતો. ધર્મશાસ્ત્રો પ્રમાણે મહાલક્ષ્મી તેવા લોકોથી પ્રસન્ન થાય છે જે નીચે પ્રમાણેના કામથી દૂર રહે છે…

– વેદ- પુરાણ અનુસાર જે વ્યક્તિ સુર્યોદય પછી અને સુર્યાસ્તના સમયે સૂવે છે તેનાથી લક્ષ્મી રિસાઇ જાય છે. તેની સાથે દિવસમાં ઊંઘવુ એ પણ લક્ષ્મીનો નાશ કરે છે.

– રાતમાં દહીં અને દિવસમાં દુધનુ સેવન કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે.

– ઘર,પૂજાઘરમાં કે દુકાનમાં કોઇપણ પ્રકારની ગંદકી કે દુર્ગંધ હોય તો લક્ષ્મીનો નાશ થાય છે.

– કોઇપણ દિવસે વિશેષ રીતે ગુરૂવારે વધારે ઊંચી અવાજથી બોલવા કે લડવાથી લક્ષ્મી તે ઘરમાં નિવાસ નથી કરતી.

– જે ઘરમાં પતિ- પત્નીનો પરસ્પરમાં વિવાદ થતો રહે તો ત્યાં લક્ષ્મીની કૃપા રહેતી નથી.

– જે વ્યક્તિ પૂરી રીતે સાફ- સફાઇથી ના રહે તેને ત્યાં દેવી મહાલક્ષ્મી નિવાસ કરતી નથી.

– શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવતા આ કાર્યો કરનારથી મહાલક્ષ્મી હંમેશા દુર રહે છે.

– જે ઘરમાં રાતના સમયે એઠવાડા વાસણો રહે છે ત્યાં મહાલક્ષ્મી નથી રહેતી.

આ વાતોનું ધ્યાન રાખવાથી ધનની દેવી મહાલક્ષ્મી સદૈવ તમારા ઘર ઉપર નિવાસ કરશે અને પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors