આસન પાથર્યા વગર પૂજા કેમ ન કરવી જોઈએ?

પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. નિયમિત રીતે પૂજા કરવાથી અનેક લાભ થાય છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે પૂજા પૂરા વિધિ-વિધાનની સાથે કરવામાં આવે.

આપણા ધર્મશાસ્ત્રોમાં પૂજાની બાબતે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક વિધાન એવું છે કે પૂજાના સમયે આસન પાથરવાનું. એટલે કોઈપણ પ્રકારની પૂજા કરવામાં આવે ત્યારે કે કોઈ હવન કરવામાં આવે છે ત્યારે જે પણ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે. તેમને મંત્રો દ્વારા આસન ગ્રહણ કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આસન વગર જો પૂજા કે જાપ કરવામાં આવે તો તે પૂજાથી મળતી ઊર્જા પૃથ્વીમાં ચાલી જાય છે. આસન ઊર્જાને પૃથ્વીમાં જતા રોકી લે છે.

એટલે કહેવાય છે કે દરેક પૂજા કરનાર વ્યક્તિએ પોતાનું અલગ આસન રાખવું જોઈએ. તેનાથી સકારાત્મક પરિણામ જલદી મળવા લાગે છે. સાથે જ રોજ એક જ આસન ઉપર બેસી પૂજા કરવાથી પૂજાનો સમયે ધ્યાન સ્થિર રહે છે. એ સિવાય જે આસન ઉપર બેસીને પૂજા કરવામાં આવે છે તેને શાસ્ત્રો પ્રમાણે પગેથી ખસેડવું પણ ઉચિત માનવામાં આવતું નથી.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors