આળસુ નહીં, આતુર બનશો તો નસીબ બદલાશે

આજના યુવાનો એ સારી પેઠે જાણે છે કે હવે નોકરી મેળવવા અને તેને ટકાવી રાખવાનાં ધોરણો બદલાઈ ગયાં છે. તમામ બાબતોની માહિતી, બુદ્ધિચાતુર્ય, લોકસંપર્ક, લગન, પરિશ્રમ અને નેતૃત્વના ગુણની સાથે જ મેનેજમેન્ટમાં આજે જે જોવામાં આવે છે તે છે સામાન્ય બુદ્ધિ.આ બાબતે કેટલાંક ઉદાહરણ હનુમાનજીના પ્રસ્તુત કર્યા છે. લંકા જતા સમયે તેમને સિંહિકા નામની એક રાક્ષસી મળી, જેને તેમણે મારી નાખી. તે ઇષ્ર્યાની પ્રતીક હતી. તે ઊડતા-ઊડતા લોકોનો પડછાયો જોઈને તેમને પકડીને ખાઈ જતી હતી. હનુમંતલાલજીનો મત છે કે ઇષ્ર્યાને મારી નાખવી જોઈએ. ઇર્ષાળુ લોકો પોતાની ઊર્જા બીજાના નસીબ સાથે લડવામાં લગાવી દે છે, જ્યારે હકીકતમાં મનુષ્યએ પોતાના નસીબ સાથે લડવું જોઈએ, જેથી કરીને તે તેને સારું બનાવી શકે.નસીબ ભલે બદલી ના શકાય, પરંતુ નસીબનો સામનો કરીને પરિસ્થિતિઓમાં પરિવર્તન તો જરૂર લાવી શકાય છે. ત્યાર બાદ તેમને લંકાના દરવાજે લંકાની રક્ષા કરનારી લંકિની નામની રાક્ષસી મળી, તેણે હનુમાનજીને ઓળખી લીધા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો.હનુમાને તેને પણ ઘાયલ કરી નાખી. લંકિની આમ તો રક્ષક હતી, પરંતુ તે રાવણની સેવામાં હતી. જે રક્ષક ખોટી વ્યવસ્થાની સુરક્ષા કરે તેના પર હુમલો કરવો જ જોઈએ. હનુમાનજીની ચતુરાઈ આપણા માટે પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું છે કે,\’વિદ્યાવાન ગુણી અતિચાતુર. રામકાજ કરિબે કો આતુર\’. તેઓ આતુર છે, આળસુ નહીં. જેને રામભક્ત બનવું હોય, હનુમાનભક્ત બનવું હોય તેણે આળસ છોડી દેવી જોઈએ. અધ્યાત્મમાં આળસનું કોઈ કામ નથી અને સાંસારિક જીવનમાં પણ આળસ એક ગુનો છે

પં. વિજયશંકર મહેતા

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors