પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ। યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્।।૧।। ગુજરાતી ભાષાંન્તર ઃ અર્જુને કહ્યું : હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવા આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે? ||૧|| શ્રી ભગવાનુવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ। તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે।।૨ ગુજરાતી ભાષાંન્તર ઃ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું : મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૩૨ થી ૪૨ એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે | કર્મજાંવિદ્વિ તાંસર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ આવા બેજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સમ્પન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબન્ધનથી પૂર્ણ રીતે છૂટી જઇશ. ॥ ૩૨ ॥ શ્ર્યાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞ: પરંતપ | સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ! […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૧ યદ્રચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સર: | સમ: સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ૨૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃઇચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે, હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી જે સમ્પૂરણપણે અતીત થઇ ગયો છે-એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બન્ધાતો. ॥ ૨૨ ॥ ગતસઙસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ: | યજ્ઞાયાચરત: કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ ૨૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૧ યે યથા માં પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્ | મમ વત્માર્નુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૧૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃહે પાર્થ! જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવાજ ભાવથી ભજું છું; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. ॥ ૧૧ ॥ કાઙક્ષંત: કર્મણાં સિદ્ધિં યજંત ઇહ દેવતા: | ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા || ૧૨ ॥ આ મનુષ્યલોકમાં કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્રીભગવાન્ ઉવાચ ઇમં વિવસ્તે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ | વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેડબ્રવીત્ ॥ ૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃ શ્રી ભગવાન બોલ્યા : આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્ત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. ॥ ૧ ॥ એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુ: | સ કાલાનેહ મહતા યોગો નષ્ટ: પરંતપ ॥ ૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૩૩ થી ૪૩ સદ્રશં ચેષ્ટતે સ્વસ્યા: પ્રકૃતેર્જ્ઞાનવાનપિ | પ્રકૃતિં યાંતિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ ॥ ૩૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઇને કર્મો કરે છે; જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે; એમાં કોઇનો દુરાગ્રહ શો કરવાનો?॥ ૩૩ ॥ ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ | તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપંથિનૌ ॥ ૩૪ || ગુજરાતી ભાંષાતર ઃ ઇન્દ્રિય-ઇન્દ્રિયના અર્થમાં એટલેકે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છૂપાઇને રહેલા છે; માણસે એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૨ ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિગ્ચન | નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. ॥ ૨૨ ॥ યદિ હ્રહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિત: | વર્ત્માનુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૨૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે પાર્થ! જો કદાચ હું સાવધાન થઇને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઇ જાય, કારણકે […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૧ દેવાંભાવયતાનેન તે દેવા ભાવયંતુ વ: | પરસ્પરં ભાવયંત: શ્રેય: પરમવાપ્સ્યથ ॥ ૧૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે; આ પ્રમાણે નિ:સ્વાર્થભાવે એક-બીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો.॥ ૧૧ ॥ ઇષ્ટાંભોગાન્હિ વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતા: | તૈર્દત્તાપ્રદાયૈભ્યો યો ભુઙતે સ્તેન એવ સ: ॥ ૧૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે; આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૬૧ થી ૭૨ તાનિ સર્વાણિ સન્યમ્ય યુક્ત આસીત મત્પર: | વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃ માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઇને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ॥ ૬૧ ॥ ધ્યાયતો વિષયાન્ પુંસ: સઙસ્તેષૂપજાયતે | સઙાત્સગ્જાયતે કામ: કામાત્ક્રોધોડભિજાયતે ॥ ૬૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાયછે […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૪૯ થી ૬૦ દૂરેન હ્રવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનગ્જય | બુદ્ધૌ શરણમંવિચ્છ કૃપણા: ફલહેતવ: ॥ ૪૯ ॥ ગુજરાતી ભાંષાતર ઃ આ સમત્વ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્ બુદ્ધિયોગનો જ આશરો લે; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત્ ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. ॥ ૪૯ ॥ બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે | તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગ: કર્મસુ કૌશલમ્ ॥ ૫૦ ॥ ગુજરાતી ભાંષાતર ઃ સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors