મનુષ્યના જીવનમાં ત્રણ બાબતો હોય છે,આધિ વ્યાધિ અને ઉપાધિ.આધિનો અર્થ છે વસ્તું હોવાનું દુઃખ.વ્યાધિનો અર્થ એ શારિરીક દુઃખ અને ઉપાધિનો અર્થ છે વસ્તું ન હોવાનું દુઃખ.મનુષ્યોથી પહેલા માતાપિતા મનુ-શતરૂપા અંગે થૉડૂ વિચારવામાં આવે.આ બંનેના ભાગ્યમાં શું લખ્યુ છે?ચારેય તરફથી સૌભાગ્યની વર્ષા થઈ રહી હતી.આખો પરિવાર પ્રતિષ્ટિત હતો.હવે જયારે આટલું બધું સુખ મળેલું હોય તેમાં શારીરિક રોગ આવી જાય તો શું કામનું.મનુ મહારાજને એક પણ રોગ ન હતો.બિલકુલ સ્વસ્થ હતા.દુનિયામાં બધું જ મળ્યું,વેદમાં પ્રતિષ્ઠા મળી,દિવ્ય દાંપત્યજીવન, ઉત્તાનપાદ અમે પ્રિયવ્રત જેવા પુત્રો,પૌત્ર પણ ધુવ જેવો,દેવહુતિ જેવી પુત્રી,કર્દમ મની જેવો જમાઈ,કપિલ જેવો પુત્રીનો […]
(૧) ॐ ગણેશ ગાયત્રીઃ ॐ એક દંષ્ટ્રાય વિહ્મહે,વક્રતુંડાય ધીમહિ,તન્નો બુધ્ધિઃ પ્રચોદયાત્ | (૨)નૃંસિહ ગાયત્રીઃ ॐ ઉગ્રનૃસિંહાય વિહ્મહે,વજ્ર નખાય ધીમહિ,ધીમહિ,તન્નો નૃસિંહ પ્રચોદયાત્ | (૩) વિષ્ણુ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,મહાદેવાય ધીમહિ,તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ | (૪) શિવ ગાયત્રીઃ ॐ પંચવકત્રાઈ વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ | (૫) કૃષ્ણ ગાયત્રીઃ ॐ દેવકીનંદાનાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્ | (૬) રાધા ગાયત્રીઃ ॐ વૃષભાનુજાયં વિહ્મહે,કૃષ્ણપ્રિયાયૈ ધીમહિ,તન્નો રાધા પ્રચોદયાત્ | (૭) લક્ષ્મી ગાયત્રીઃ ॐ મહાલક્ષ્મ્યૈ વિહ્મહે,વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ,તન્નો લક્મીઃ પ્રચોદયાત્ | (૮) અગ્નિ ગાયત્રીઃ ॐ મહાજવાલાય વિહ્મહે,અગ્નિદેવાય ધીમહિ,તન્નો અગ્નિઃ પ્રચોદયાત્ | (૯) ઈન્દ્ર ગાયત્રીઃ ॐ સહસ્તનેત્રાય વિહ્મહે,વજ્રહસ્તાય ધીમહિ,તન્નો ઈન્દ્રઃ […]
શ્રી સ્વામી શિવાનન્દજી મહારાજ અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં આત્માના ગુણોનું આમ વર્ણન કરવામાં આવ્યું છે \”આત્મા સર્વવ્યાપી, તેજસ્વી, અકાય, અવ્રણ, સ્નાયુ રહિત, શુદ્ધ, અપાપહત, સર્વ દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ છે. એણે જ નિત્ય-સિદ્ધ પ્રજાપતિઓના માટે યથાયોગ્ય રીતે કર્તવ્યોનો વિભાગ કર્યો છે.\” (મંત્ર ૮) સાકાર પદાર્થોની જ ઉત્પત્તિ અને નાશ થઈ શકે છે. બ્રહ્મ કે ચૈતન્ય નિરાકાર છે, એની ઉત્પત્તિ અને નાશ માનવું એ મૂર્ખતા છે. બ્રહ્મ નિરાકાર છે, શુદ્ધ ચૈતન્ય છે. […]
શ્રી સ્વામી શિવાનન્દજી મહારાજ બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના મણિ છે, રત્નોના રત્ન છે. તે અવિનાશી અનંત પરમ નિધિ છે જે ન ચોરી શકાય, ન લૂટી શકાય. તે ચિંતામણિઓના ચિંતામણિ છે જે મનુષ્યને બધા ઇચ્છિત પદાર્થ આપે છે. જે સ્વયં બધાને જુએ છે, જેને બીજા નથી જોઇ શકતા; જે બુદ્ધિને પ્રકાશ આપે છે, પરંતુ જેને કોઈ પ્રકાશ નથી […]
માનવી કાં તો ભૂતકાળમાં કરેલી ભૂલો પર પસ્તાતો હોય છે અથવા ભવિષ્યની ચિંતામાં હોય છે. વર્તમાનમાં એ બહુ ઓછો હોય છે. Yesterday is ‘History’, Tomorrow is‘Mystery’, Today is the gift of God, So it is called ‘Present’. પરંતુ સત્ય શું છે? અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું શું?નૌકા ડૂબી ગયા પછી હવે, સફરની વાતો ફરી કરું શું? *બિગરી બાત બને નહી લાખ કરો કિન કોય | રહિમન બિગરે દૂધ સે મથે ન માખન હોય Done is done, it can not be undone. જાગૃત રહી કામ કરવા છતાં […]
આજકાલ ટીવી ચેનલો પર એક જાહેરખબર ખૂબ જોવા મળે છે. દશ્યાવલિમાં એક પિતા અને એક પુત્રી જોવા મળે છે. પુત્રી ખાસ્સી ઉંમરલાયક થઈ છે એટલે સ્વાભાવિક જ પિતાને એનાં લગ્ન કરવાની ઈચ્છા છે. આથી એ મૂરતિયા બતાવવા માંડે છે. જાહેર ખબરમાં આ બાબતને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. પિતા લગ્નની પાઘડી એક પછી એક જુવાનને શીરે ધરવા કોશિશ કરે છે અને પુત્રી ઈન્કાર પર ઈન્કાર કરે છે. આખરે પુત્રી પોતાના કોમ્પ્યુટરમાં એક વેબસાઈટમાં એક ‘મૂરતિયા’ પર ‘ક્લિક’ કરે છે અને પિતાને સૂચવે છે કે પાઘડી આને માથે બાંધો ! ટૂંકમાં, […]
–માનવ ચરિત્ર તરીકે રામાયણ ગુણોના ગુણૉ * રામ, શ્રવણ – પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો. * રામ, ભરત- ભાઇઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે. * સીતા – પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી * લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઇની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી. * હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી. * સુગ્રીવ – મિત્રતા. * વાલી, રાવણ – શક્તિનુ અભિમાન ન રાખવું […]
રામાયણના પાત્રો રામ – રામાયણનું મુખ્ય પાત્ર. સીતા – રામના પત્ની. લવ – રામ અને સીતાનો પુત્ર. કુશ- રામ અને સીતાનો પુત્ર. દશરથ – રામના પિતા. અયોધ્યાના રાજા. કૌશલ્યા – રામની માતા. કૈકૈયી – દશરથ રાજાના પત્ની અને ભરતની માતા સુમિત્રા – દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા લક્ષ્મણ – રામના ભાઇ. સુમિત્રાનો મોટો પુત્ર. ભરત – રામના ભાઇ. કૈકેયીનો પુત્ર. શત્રુધ્ન – રામના ભાઇ. સુમિત્રાનો નાનો પુત્ર. જનક-સુનયના – સીતાના પિતા-માતા. ગુહ – રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા. વશિષ્ઠ – અયોધ્યાના રાજ્યગુરુ વિશ્વામિત્ર – રામના ગુરુ અને વશિષ્ઠના […]
ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર. મહાદેવં મહાત્માનં મહાધ્યાનપરાયણમ્ । મહાપાપહરં દેવં ‘મ’ કારાય નમો […]
શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્ વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ । વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું. વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, વન્દે દેવશિખામણિં શશિનિભં વન્દે હરેર્વલ્લભમ્ । વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં વન્દે શિવં ચિન્મયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં […]