સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ | નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯|| ગુજરાતી ભાષાંતરઃ શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા. અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૧ થી ૧૨ સંજય ઉવાચ: તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ | વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ || ૧ || ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ચિંતા અને વિશાદમાં ડૂબેલા અર્જુનને, જેની આઁખો્માં આઁસૂ ભરાઇ આવ્યા હતા,મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્રીભગવાન ઉવાચ: કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન || ૨ || ગુજરાતી ભાષાંતરઃ હે અર્જુન, આ તું કયા વિચારોમાં ડૂબી રહ્યો છે જે આ સમયે ખોટા છે અને સ્વર્ગ અને કીર્તી ના બાધક છે. ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે | ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ || ૩ || ગુજરાતી ભાષાંતરઃ તારે માટે આ દુર્બળતાનો […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક અર્જુન બોલ્યા: જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન | તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૧|| ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જો આપ બુદ્ધિને કર્મથી અધિક માનતા હો તો મને આ ઘોર કર્મમાં શા માટે નિયોજીત કરો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મેં | તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૨|| ગુજરાતી ભાષાંતરઃ ભળતા વાક્યોથી મારી બુદ્ધિ શંકિત થઇ રહી છે. માટે મને એ એક રસ્તો દેખાડો જે નિશ્ચિંત પ્રકારે મારા માટે ઉત્તમ હોય. શ્રીભગવાન બોલે લોકેઽસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ | જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ || ૩ || ગુજરાતી […]

દ્રાદશ અધ્યાય: ભક્તિયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦ અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ । સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી- મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.॥ ૧૧॥ શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે । ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ॥१२॥ ગુજરાતી ભાંષાન્તરઃ અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે. આ રીતે […]

દ્રાદશ અધ્યાય: ભક્તિયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે। યેચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ।।1।। ગુજરાતી ભાંષાન્તર : અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે, અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? ।।1।। શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે। શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ।।2।। ગુજરાતી ભાંષાન્તર : શ્રી ભગવાન બોલ્યા- જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ […]

એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૪૫ થી ૫૫ અદૃષ્ટપૂર્વં હૃષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે। તદેવ મે દર્શય દેવ રૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ।।૪૫।। ગુજરાતી ભાંષાન્તર ઃ મારા માટે અભૂતપૂર્વ એવા આપનાં આ વિશ્વરૂપનાં દર્શન કરીને હું આનંદવિભોર થયો છું, પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપનાં ભગ્વત્સ્વરૂપનાં પુન: દર્શન આપો. ||૪૫|| કિરીટિનં ગદિનં ચક્રહસ્ત- મિચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ। તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે।।૪૬।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે વિશ્વરૂપ, હે […]

એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૩૪ થી ૪૪ દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્। મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્।।૩૪।। ગુજરાતી ભાંષાન્તર ઃ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાંથી જ મારા વડે હણાઈ ચુક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશમાત્ર વ્યથિત થઈશ નહિ. માત્ર યુદ્ધ કર અને યુધ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. ||૩૪|| સઞ્જય ઉવાચ એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી। નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય।।૩૫।। ગુજરાતી ભાંષાન્તર ઃ સંજયે ધ્રુતરાષ્ટ્રને કહ્યું : હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ […]

એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૨૩ થી ૩૩ રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં મહાબાહો બહુબાહૂરુપાદમ્। બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્।।૨૩।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર, તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઇને, દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. ||૨૩|| નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્। દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો।।૨૪।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપનાં વિસ્ફારિત મુખોને અને આપનાં અત્યંત જ્યોતિર્મય […]

એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૨ દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા। યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ।।૧૨।। ગુજરાતી ભાંષાન્તર ઃ આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે, તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરુપના દેદીપ્યમાન તેજ સમાન થઇ શકે. ||૧૨|| તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા। અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા।।૧૩।। ગુજરાતી ભાંષાન્તર ઃ તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરુપમાં એક જ સ્થાનમાં હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડનાં અનંત આવિર્ભાવોનું દર્શન થયું. ||૧૩|| તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ। પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત।।૧૪।। ગુજરાતી ભાંષાન્તર ઃ ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા […]

એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧ અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતમ્। યત્ત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ।।૧।। ગુજરાતી ભાંષાન્તર ઃ અર્જુને કહ્યું : આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, તે શ્રવણ કરીને હવે મારો મોહ દુર થઇ ગયો છે. ||૧|| ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા। ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્।।૨।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે કમળનયન, મેં આપની પાસેથી જીવમાત્રનાં ઉત્પત્તિ તથા લય વિષે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. ||૨|| એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર। દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ।।૩।। ગુજરાતી ભાંષાન્તર ઃ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors