ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને , અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી […]
માણસ કર્મથી મહાન છે, જન્મથી નહિ ભારતમાં વર્ણપ્રથાનાં મૂળ એટલાં બધાં દ્રઢ થઇ ગયાં છે, જેને કારણે સમગ્ર દેશને અને સંસ્કૃતિને ખૂબ વેઠવું પડયું છે – જે આપણે આજે વિકૃત સ્વરૃપે અનુભવી રહ્યા છીએ. વૈદિક સંસ્કૃતિ મૂળ સ્વરૂપે વર્ણપ્રથાને જડ સ્વરૃપે મહત્ત્વ આપતી ન હતી. પણ આ વર્ણપ્રથા એટલી બધી વિકૃત બની કે જેના કારણે સવર્ણ સિવાયના લોકોને ખૂબ અન્યાય થયો એમ જણાય છે. શુદ્રોની સ્થિતિ ખૂબ દયાજનક બની અને જન્મ સવર્ણબ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાવા લાગ્યો. પરિણામે આપણા જ દેશના હિન્દુ ધર્મમાં શ્રધ્ધા રાખનારાને ધર્મપરિવર્તન કરવું પડેલું. કારણ સ્પષ્ટ છે. જે […]
દુનિયામાં તમારી પાસે તમરું કંઈ જ નથી,જે કંઈ પણ છે તે અમાનત રુપે છે,દિકરો વહુની અમાનત છે.દિકરી જમાઈની અમાનત છે.શરીર શ્મશાનની અને જીંદગી મોતની અમાનત છે.તમે જોજો એક દિવસ દિકરો વહુનો અને દિકરી જમાઈની બની જાશે.શરીર સ્મશાનની રાખમાં મળી જાશે.જીંદગી મોતથી હારી જાશે.તો અમાનતને અમાનત સમજી તેની સારસંભાળ કરવી.તેની ઊપર પોતાની માલિકીનો થપ્પો લગાવી ન દેતા. મુનિ તરૂણસાગરજી
* કુદરતી દુઃખ એક કસોટી છે,જયારે ઊભુ કરેલુ દુઃખ એક શિક્ષા છે. શ્રી અરવિંદ… * સમર્પણ એક અતિશુધ્ધ અંતઃકરણીય કર્મ છે. * અંદરની યોગ્યતાને પ્રકાશિત કરવા ગુરૂનો સ્પર્શ જરુરી છે. * ત્યાગ અને મહેનતથી જ સાચા સમજનું નિર્માણ થાય છે. * જીવનમાં તક ગમે ત્યારે આવી શકે છે,વ્યકિત એ તકને પારખી શકતો નથી અન પાછળથી પસ્તાય છે.