દરેક વ્યકિતને સફળતા નથી મળતી. જો કોઇને સફળ થવું હોય તો જે ક્ષેત્રે તેણે સફળ થવું હોય તે ક્ષેત્રે તેણે તે અંગેની સઘળી માહિતી લઇ લેવી જોઇએ. મેળવેલ માહિતી ઊપર ખૂબ મનન ચતન કરી લેવું જોઇએ. તે બાબતને સારી રીતે સમજી લેવી જોઇએ. જે તે બાબતને સારી રીતે સમજી લેતાં તે બાબતે કામ કરવામાં સરળતા રહે છે. જો કોઇ ચિત્રકારને સુંદર સ્ત્રીનું ચિત્ર દોરવું હોય તો તેણે તે સ્ત્રીને મનોમન નિરખી લેવી જોઇએ. તેણે તેના માનસપર ઊપર તે સ્ત્રીની છબિ અંકિત કરી લેવી જોઇએ. જેથી તે સ્ત્રીનું આબેહૂબ નખશીશ ચિત્ર […]
દરેક વ્યકિતને મોટા પદની ઝંખના હોય છે. તે એવું ઇચ્છતી હોય છે કે તેને તેની લાયકાત મુજબ તેના કાર્યક્ષેત્ર જોગ મોટું પદ મળે. આ માટે તમારો પહેરવેશ, તમારા વાળની સ્ટાઇલ, તમારાં જૂતાંની ચમક તથા તમારી ચાલ ઊપર ખાસ ધ્યાન આપો. તમારા દાંત સફેદ ઝગમગતા રાખો. તમારા મામાથી વાસ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. તો તમે અર્ધું જગ જીતી ગયા સમજો. તમે તમને મળનારી દરેક વ્યકિતનું નામ યાદ રાખો. તેને તેના નામથી જ બોલાવો. તમારા આ વર્તનથી સામેવાળી વ્યકિત ભારે ઇમ્પ્રેસ થશે. તેને તમારા પ્રત્યે આત્મીય ભાવ પ્રગટશે. સામે વાળી […]
\”ચડે પડે જીભ વડે જ માનવી\” કહેવત અનુસાર મનુષ્ય સફળ તથા નિષ્ફળ તેની જીભને કારણે જ થાય છે તેવું કહેવાય છે. પરંતુ બીજી એક કહેવત અનુસાર \”કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી\” તે ન્યાયે મનુષ્યએ સખત મહેનત કરવી પડે છે જદગીની પરીક્ષામાં સફળતા મેળવવા. આ બધી થઇ કિતાબી વાતો. પરંતુ આજે જો નીચેનાં પાંચ પગલાંને મનુષ્ય જો લક્ષમાં રાખે તો સફળતા તેનાં કદમ ચૂકે તેમાં કોઇ શક નથી. આવો આપણે પણ સફળતા પ્રાપ્ત કરવાનાં આ પાંચ પગલાંને અનુસરીએ અને પછી સફળતાની સીડી ચડતાં ચડતાં છેક ગગનમાં પહાચીએ. કેમ મિત્રો તૈયાર છો […]
એક ધનવાન પિતા-પુત્રને ચિત્રકળા પ્રત્યે બહુ જ લગાવ હતો. એટલે તેઓ આખી દુનિયામાં ફરી-ફરીને ખ્યાતનામ પેઈન્ટરોનાં ચિત્રો ખરીદી લાવતા. એક વાર પુત્રએ માતૃભૂમિની રક્ષા કાજે યુદ્ધના મેદાન પર જવું પડ્યું. તે ગયો તે ગયો પાછો ફરીને આવ્યો જ નહીં. માત્ર તેના અવસાનના સમાચાર આવ્યા. હવે તેના પિતા દુનિયામાં એકલા થઈ ગયા. તેમના માટે આખોય કલાસંગ્રહ નકામો થઈ ગયો. એક દિવસ તેમના દીકરાનો એક મિત્ર ઘરે આવ્યો. તે પોતાના દોસ્તનું પોટ્રેટ બનાવીને તેના પિતાને ભેટ આપવા માટે લાવ્યો હતો. તે પોટ્રેટ મિત્રની યાદમાં તેણે જાતે જ બનાવ્યું હતું. દીકરાનું પોટ્રેટ જોઈને […]
આટલા લોકો સંબંધમાં નજીક હોવા છતાં કાંઈ કામના નથી. (૧)વહુધેલો દીકરો અને વંઠેલી દિકરાની વહુ (૨)પ્રપંચી ભાઈ અને ભ્રર્દી ભાગીદાર (૩)કપટી અને કંજૂસ મિત્ર દયાહીન શેઠ કે સાહેબ (૪)ઝગડાખોર અને મતલબી પડોશી અને દીકરા-દીકરીના લાલચુ સાંસરિયા (૫)પતિત પત્ની અને વહેમી પતિ
જીવનમાં મસ્ત રહેતાં શીખો આ૫ણી સમક્ષ વિ૫ત્તિનાં વાદળો છવાયેલાં છે, સંસારમાં ભયંકર મારફાડ ચાલી રહી છે અને દુઃખ રૂપી અંધકારે આ૫ણને ઘેરી લીધા છે. માનવી દુન્વયી ૫ળોજણોમાં સતત ફસાયેલો રહે છે. એને નિરાંતનો શ્વાસ લેવાની ૫ણ ફૂરસદ નથી. સવારથી સાંજ સુધી દુઃખ, ચિતાં અને હેરાનગતિના અગ્નિમાં બળતા માનવીને શાંતિ હોતી નથી. હું તો કહીશ શાંતિ છે મસ્તીમાં, ખુશમિજાજમાં, વિનોદપૂર્ણ સ્વભાવમાં અને ઉત્સાહી મુખ-મુદ્રામાં. જો તમે મસ્ત રહેતાં શિખ્યા હો, આનંદ-ઉત્સાહ અને આશાને તમારા સ્વભાવનાં અંગો ગણતા હો, પોતાના રમુજી અને ઉલ્લાસમય સ્વભાવથી હાસ્યની દિવ્યતા વરસાવતાં શિખ્યા હો તો તમે જરૂર […]
આપણે બધાં જાણીએ છીએ કે સ્ત્રીઓને પુરુષોમાં શું પસંદ નથી પડતું, પણ આપણામાંથી મોટાભાગનાને ખબર નહીં હોય કે પુરુષો કેવી સ્ત્રીઓને રીજેક્ટ કરી દે છે! અહીં એવી પાંચ પ્રકારની સ્ત્રીઓની વાત કરીએ છીએ જે પુરુષોને પસંદ નથી હોતી… ફરિયાદ કરતી સ્ત્રી : જે સ્ત્રી સતત ફરિયાદો કર્યા કરે, નકારાત્મક વાતો કર્યા કરે તેમની તરફથી પુરુષો નજર ફેરવી લે છે. આપણા દરેકના જીવનમાં ફરિયાદો કરવા માટેના કારણો હોય છે, પણ તેનો અર્થ એ નથી કે ચોવીસે કલાક, દરેક બાબતે ફરિયાદો જ કર્યા કરવાની. પુરુષો નથી સમજી શકતા કે શા માટે સ્ત્રીઓ […]
આપણામાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ન જાણે શું-શું શોધતા હોય છે, જીવનમાં ન જાણે શું-શું મેળવવાની આશા રાખે છે. તેઓ વિચારે છે કે, જો અમને ફલાણું-ફલાણું મળી જાય તો અમે જીવનભર સુખી રહી શકીશું. પરંતુ, આ મેળવવાની લાલસામાં સમય અને નાની નાની ખુશીઓ મુઠ્ઠીમાંની રેતની જેમ સરકતી જાય છે. જો તમે તમારી વિચારધારાને બદલો અને અત્રે આપેલા ૭ ઉપાય અજમાવો તો જીવનભર ખુશ રહી શકો છો. ૧. તમને ખુશ રહેવાનો હક્ક છે : જો તમે એવું વિચારતા હોવ કે, ખુશી ક્યાં છે જ. તો તમે ખરેખર ખુશ રહી જ નહીં […]
જીવનને માણતા શીખો. જીવનમાં એવી ધણી વાતો કે કામો હોય છે કે જેનુ કોઈ જ મહત્ત્વ નથી તેને કચરાની ટોપલીમાં નાખી દો. તમારા કામની દરેક દરેક ક્ષણ માણૉ,\’કંટાળૉ\’નામના શબ્દને તમારી ડિકશનરીમાંથી કાઢી નાખી દો.તમારા અર્ધજાગૃત મનને એવા કામમાંથી બહાર કાઢવા કામે લગાડો.તો તમને ચૌકકસ મદદ કરશે.હું કોઈ પણ કામ કરતી તે મને કંટાળા જનક લાગતું મને લાગતું કે હું મારી જીંદગીનો સમય ખોટી જગ્યાએ વિતાવી રહ્યો છુ.મેં મારા અર્ધજાગૃત મનની મદદથી નવો ઉત્સાહપ્રેરક રસ્તો શોધી કાઢયો. માઇન્ડ ટ્રેનર અને મોટિવેશનલ ટ્રેનર બનવાનો. અત્યારે મારા જીવનમાં કંટાળો નામનો શબ્દ જ નથી. […]
નાસ્તિક કોને કહેવો ? ૦ જે \”નહી\”થી આગળ વધી શકતો નથી અથવા જેનું વલણ નિષેધાત્મક હોય. ૦ જેન પોતાના ઉપર પણ વિસ્વાસ નથી તે. ૦ પરમ શક્તિ કે પરમાત્મા વિશે શ્રધ્ધા ન હોય. ૦ મનુષ્યમાં રહેલ ઈશ્વરત્વનો જે સ્વીકાર ન કરતો હોય. ૦ મનુષ્યમાં રહેલી ભલાઈમાં જેને શ્રધ્ધા ન હોય. ૦ પોતા પરથી જેને વિસ્વાસ ઉઠી ગયો હોય.